'ગુજરાતમાંથી વિજય રૂપાણીને માનભેર વિદાય આપવાના ભાગરૂપે ઉજવણી' - અમિત ચાવડા

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, cmo gujarat twitter

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરાઈ રહી છે

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપના સંગઠનના નેતૃત્વમાં ફેરફાર થયો છે. રત્નાકરને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી (સંગઠનમંત્રી) તરીકે નિયુક્ત કરાયા છે.

રત્નાકર સતત અઢાર વર્ષથી સંઘના પ્રચારક રહ્યા છે અને હવે તેઓ ગુજરાતમાં સંગઠનની કામગીરી સંભાળશે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

હાલમાં ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરાઈ રહી છે.

તો સામે પક્ષે કૉંગ્રેસ તરફથી પણ શિક્ષણના ખાનગીકરણ અને વેપારીકરણ મામલે રાજ્યભરમાં 'શિક્ષણ બચાવો' નામનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભીખુભાઈને મોટી જવાબદારી અપાય તેવી પણ શક્યતા છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ચાવડાએ વધુમાં કહ્યું કે "વારંવાર લોકો કહી રહ્યા છે કે મુખ્ય મંત્રી બદલાય છે, તો આ કદાચ બદલાવના ભાગરૂપે ઉજવણી થતી હોય એવું લાગે છે."

"શાસન તો પચીસ વર્ષથી ચાલે છે, શું પાંચ વર્ષમાં વિજયભાઈના શાસનમાં કામ થયું છે એવી ઉજવણી કરવા માગો છો. શું આનંદીબહેન કે નરેન્દ્ર મોદીના શાસનમાં કામ નહોતું થયું એવું સાબિત કરવા માગો છો.

"કે હવે વિજયભાઈને ઉજવણી સાથે માનસન્માનથી વિદાય આપવાનો પ્રસંગ છે એ તો એમની પાર્ટીનો વિષય છે."

તો મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે એમની ઘડીઓ ગણાઈ રહી છે, માટે આવાં નિવેદનો કરે છે.

line

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી શકે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, PACIFIC PRESS/GETTY

ઇમેજ કૅપ્શન, યુરોપીય સંસદના 16 સભ્યોએ ભારત પ્રશાસિત કાશ્મીરમાં માનવાધિકારોના કથિત હનન પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે

પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ અનુસાર, યુરોપીય સંસદના 16 સભ્યોએ ભારત પ્રશાસિત કાશ્મીરમાં માનવાધિકારોના કથિત હનન પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

16 સાંસદોએ યુરોપીયન કમિશનના અધ્યક્ષ અને ઉપાધ્યાક્ષને એક પત્ર લખીને ભારત પ્રશાસિત કાશ્મીર તરફ તેમનું ધ્યાન આકર્ષિત કરવાની કોશિશ કરી છે.

સાંસદો અનુસાર, હ્યુમન રાઇટ્સ વૉચ વર્લ્ડ રિપોર્ટ 2021 અને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયોગે 2018-19ના પોતાના રિપોર્ટમાં ભારત પ્રશાસિત કાશ્મીરમાં માનવાધિકારના કથિત હનનને સામેલ કર્યું હતું.

વીડિયો કૅપ્શન, બનાસકાંઠાનું એ ગામ જ્યાં મહિલાઓ હીરાઘસું બની કરી રહી છે પગભર થવાની કોશિશ

ભારતની કેન્દ્ર સરકારે પાંચ ઑગસ્ટ, 2019માં ભારતીય સંવિધાનના અનુચ્છેદ 370 હેઠળ કાશ્મીરને મળતો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી નાખ્યો હતો અને જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશ વહેંચી નાખ્યું હતું.

ભારત સરકારે ત્યાં મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું. તેમજ ત્રણ પૂર્વ મુખ્ય મંત્રીઓ સમેત રાજ્યના ઘણા વરિષ્ઠ નેતાઓ અને સેંકડો કાર્યકરોની ધરપકડ કરી હતી કે તેમને નજરકેદ કર્યા હતા.

પત્રમાં સાંસદોએ લખ્યું કે ત્યારબાદ ભારતે કાશ્મીરમાં સખત લૉકડાઉન લાગુ કર્યું હતું અને પછી કોરોના મહામારીને કારણે સામાન્ય કાશ્મીરીઓની જિંદગી વધુ મુશ્કેલ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે ભારત આ આરોપોને નકારે છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે સ્થિતિ થાળે પડશે પછી જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.

ઑગસ્ટમાં ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિ કાશ્મીરની મુલાકાતે પણ જઈ રહી છે.

line

ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા મળતાં પાકિસ્તાને શું કહ્યું?

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાહિક હફીઝ ચૌધરી

ઇમેજ સ્રોત, AAMIR QURESHI/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાહિક હફીઝ ચૌધરી

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યના રૂપમાં પહેલી વાર ભારતને તેની અધ્યક્ષતા મળી છે.

ભારતને આ અધ્યક્ષતા આ ઑગસ્ટ મહિના માટે મળી છે.

ભારતે કહ્યું કે 15 દેશોની સદસ્યતાવાળી સુરક્ષા પરિષદની અધ્યક્ષતા દરમિયાન તેઓ આતંકવાદવિરોધી, શાંતિબહાલી અને સાગરસુરક્ષા જેવા મુદ્દાઓ પર મુખ્યત્વે ધ્યાન આપશે.

પાકિસ્તાને આશા વ્યક્ત કરી કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા સંભાળ્યા બાદ વૈશ્વિક સમુદાયને નિયંત્રિત કરનારા નિયમો અને માપદંડોનું પાલન કરશે અને જમ્મુ-કાશ્મીર પરના પ્રસ્તાવોને લાગુ કરશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાહિક હફીઝ ચૌધરીએ કહ્યું કે ભારત આ મહિના માટે અધ્યક્ષતાનું પદ સંભાળી રહ્યું છે. અમને તેને જમ્મુ-કાશ્મીર પર યુએનએસસી પ્રસ્તાવોને લાગુ કરવા માટેની કાયદાકીય જવાબદારીની યાદ અપાવવા માગીશું.

તેમણે કહ્યું કે પ્રૅસિડેન્ટ સુરક્ષા પરિષદની બેઠકોના સંચાલન માટે જવાબદાર છે અને પ્રક્રિયાના નિયમોનુસાર કાર્ય કરવા માટે બાધ્ય પણ.

યુએનએસસીની અધ્યક્ષતા પ્રત્યેક સભ્યદેશને વારાફરતી એક મહિના માટે અંગ્રેજી નામોના અક્ષરના ક્રમમાં આપવામાં આવે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો