You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીએ કહ્યું કે 'ચીન ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાની તૈયારી કરી રહ્યું છે'
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ચીન ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાની તૈયારી કરી રહ્યું છે.
રાહુલ ગાંધીએ રાજસ્થાનના જયપુરમાં ભારત જોડો યાત્રાના 100મા દિવસે થયેલી પત્રકારપરિષદમાં આ વાત કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું, "ચીન આપણી સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, પણ આપણી સરકાર એ વાતને સ્વીકારતા માટે તૈયાર નથી. તે સત્ય છુપાવી રહી છે."
રાહુલ ગાંધીએ આ સમયે ચીનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મીડિયા તેને ચીન અંગે સવાલ નથી કરતું.
ચીન મામલે રાહુલ ગાંધીનો આ સરકાર સામે મોટો હુમલો કહી શકાય. તેમણે મીડિયાને પણ ફરિયાદના સૂરમાં કહ્યું કે કોઈ તેમને ચીન અંગે પૂછતું નથી.
તેમણે કહ્યું, "ચીને ભારતના બે હજાર વર્ગ કિલોમીટર વિસ્તાર પર કબજો કર્યો છે. તેણે ભારતના 20 જવાનોને શહીદ કર્યા છે અને અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાના જવાનો સાથે મારપીટ કરી રહ્યું છે.
ગાંબિયામાં બાળકોનાં મૃત્યુ માટે જવાબદાર કફ સીરપનો ભારત સરકારે કર્યો બચાવ
ભારત સરકારે કહ્યું હતું કે, ગાંબિયામાં જે ચાર બ્રાન્ડની કફ સીરપ પીવાના કારણે બાળકોનાં મૃત્યુ થયાં હતાં, તે ભારતમાં પરીક્ષણ સમયે સુરક્ષિત મળી આવી છે.
WHOએ ઑક્ટોબરમાં કહ્યું હતું કે, “મેડન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બનાવવામાં આવેલી ચાર બ્રાન્ડની કફ સીરપ 66 બાળકોનાં મૃત્યુ સાથે સંકળાયેલી હોઈ શકે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ભારતે ડ્રગ કંટ્રોલરેને એક પત્રમાં કહ્યું હતું કે, WHOએ હજુ સુધી કોઈ પુરાવા રજૂ કર્યા નથી. ભારત આફ્રિકાનો જેનરિક દવાઓનો સૌથી મોટો સપ્લાયર છે.
ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ડૉ. વીજી સોમાનીએ 13 ડિસેમ્બરે WHOના નિયમન સાથે જોડાયેલી જવાબદારીઓ સંભાળનારા રોજેરિયો ગૅસ્પરને આ અંગે પત્ર લખ્યો હતો. ભારતના આરોગ્ય વિભાગે આ પત્ર પત્રકારો સાથે શૅર કર્યો છે.
WHOએ જણાવ્યું હતું કે, તેઓએ આ સીરપનું સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં ડાઈથાલિન ગ્લાઈકોલ અને ઇથિલિન ગ્લાઈકોલની માત્રા વધુ પડતી મળી આવી હતી.
તેઓએ ડાઈથાલિન ગ્લાઈકોલ અને ઇથિલિન ગ્લાઈકોલ મનુષ્ય માટે ઝેરીલો પદાર્થ છે, જેના સેવન જીવલેણ બની શકે છે.
ધારાસભ્ય બન્યા બાદ હાર્દિક પટેલે કેમ કહ્યું? 'સરકારી સ્કૂલો કેવી હોય એ જોવા મારા વીરમગામની શાળાએ આવો'
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વીરમગામ વિધાનસભા બેઠક પરથી હાર્દિક પટેલનો વિજય થયો છે. હાર્દિક પટેલે જીત બાદ હવે વીરમગામની શાળાઓની મુલાકાત લીધી હતી.
તેમણે વીરમગામની કન્યાશાળા-1 સરકારી શાળામાં મિનિ-સાયન્સ સેન્ટર અને કુમારશાળા-1 સરકારી શાળામાં ભોજનાલય અને પ્રાર્થના હૉલનાં ઉદ્ધાટન કર્યાં હતાં.
શાળાની મુલાકાત બાદ તેમણે તેમના ફેસબુક ઍકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, "સરકારી સ્કૂલો કેવી હોય એ જોવું હોય તો મારા વીરમગામની પ્રાથમિક કન્યા શાળા-1 અને પ્રાથમિક કુમાર શાળા-1 જોવા અચૂક આવજો."
તેમણે જણાવ્યું હતું કે, "આ બંને સરકારી પ્રાથમિક શાળા છે. સરકાર અને સામાજિક સંસ્થાના સહયોગથી ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી સરકારી શાળાઓ બની છે."
તેઓએ એમ પણ કહ્યું હતું કે, "વીરમગામ શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરે, તે માટે જે પ્રયાસ કરવા પડશે તે હું કરીશ. આ સાથે તેમણે શાળાને સુંદર બનાવવા બદલ તાલુકા શિક્ષણ અધિકારી અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યાં હતાં."
મોરબી: નગરપાલિકાના સભ્યોએ પાલિકાને સુપરસીડ નહીં કરવા કરી રજૂઆત
મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યારે હવે મોરબી નગરપાલિકા સુપરસીડ કરવાની કવાયત ચાલી રહી છે. જેમાં 47 સભ્યોએ નગરપાલિકા સુપરસીડ ના થાય તે માટે મુખ્ય મંત્રીને રજૂઆત કરી છે.
નગરપાલિકાના 52 પૈકી 49 સભ્યોએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં મુખ્ય મંત્રીને શુભેચ્છા પાઠવી હતી.
તેઓએ રજૂઆત કરી હતી કે, મોરબી નગરપાલિકા અને અજંતા મેન્યુ.પ્રા.લી. (ઓરેવા ગ્રુપ) સાથે મોરબીના પુલ બાબતે 8 માર્ચ 2022ના રોજ થયેલા એગ્રીમેન્ટમાં 49 સભ્યો પૈકી એકપણ સભ્યએ સહી કરી નથી. એગ્રીમેન્ટ સામાન્ય સભામાં રજૂ થયેલો નથી, જેથી સહી કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
આ અંગે સરકાર દ્વારા એગ્રીમેન્ટની સમગ્ર પ્રક્રિયામાં 49 સભ્યો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંય સામેલ નથી અને કોઈની સહી નથી. જેથી સભ્યોને ન્યાય મળે તેમજ સભ્યોના નિયત સમયકાળ સુધી યથાવત રહે તે મુજબ જરૂરી નિર્ણય કરવા જણાવ્યું છે.
આ અંગે મોરબી નગરપાલિકાના કાઉન્સિલર દેવાભાઈ અવાડિયાએ જણાવ્યું હતું કે, “અમે મુખ્ય મંત્રી સહિતના નેતાઓને રજૂઆત કરી હતી કે, આ પુલ દુર્ઘટનામાં જે લોકોનાં મૃત્યુ થયાં એ અંગે અમને ઘણું દુ:ખ થયું છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે નગરપાલિકાના 52 સભ્યોનો કોઈ વાંક નથી, તેમ છતાં સહી કરી છે, તેનો અમે બચાવ કરવા માગીએ છે. અમારામાંથી કોઈએ જનરલ બોર્ડનો ઠરાવ કર્યો નથી, અમને કોઈ જાતની ખબર હોય, તો સુપરસીડ કરે તો અમને કોઈ વાંધો નથી. પણ જો પાલિકાને સુપરસીડ કરવામાં આવશે, તો ફરી ચૂંટણી કરશે અને ચૂંટણી થશે તો પ્રજા હેરાન થશે. આમાં અમારો કોઈ વાંક નથી.”
પાકિસ્તાનના નેતા બિલાવલ ભુટ્ટોએ કેમ ગુજરાતનાં રમખાણ યાદ કરાવ્યાં?
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યાર બાદ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે 'આતંકી' ઓસામા બિન લાદેનની યાદ અપાવી હતી. લાદેનનું નામ સાંભળતાં જ પાકિસ્તાન તરફથી પ્રતિક્રિયા આવવા લાગી હતી.
નવભારત ટાઈમ્સના અહેવાલ અનુસાર, પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં ગુજરાતનાં રમખાણોની વાત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એસ. જયશંકરને લઈને 'અપમાનજનક ટિપ્પણી' કરી હતી.
બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે, “ઓસામા મરી ગયો છે, પરંતુ નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન છે. વડા પ્રધાન બનતા પહેલાં તેમના પર અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો."
આ સિવાય બિલાવલે આરએસએસ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "આ આરએસએસના વડા પ્રધાન છે, આ આરએસએસના વિદેશમંત્રી છે. આરએસએસ શું છે? તે હિટલરમાંથી પ્રેરણા લે છે.”
બિલાવલે કહ્યું હતું કે, “ભારત હવે ગાંધીની વિચારધારાથી નથી ચાલતું."
આ પહેલાં તેઓએ બુધવારે યુએનએસસીમાં કહ્યું હતું કે, "ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશમીર એક મોટો મુદ્દો છે અને યુએનના પ્રસ્તાવોને લાગુ કરવા જોઈએ.”