You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્લૅક જુલાઈ : શ્રીલંકામાં જ્યારે સિંહાલી રાષ્ટ્રવાદીઓએ તામિલોનો નરસંહાર કર્યો
- લેેખક, રંજન અરુણપ્રસાદ
- પદ, બીબીસી તમિલ માટે
- 23 જુલાઈ 1983થી ઘણાં અઠવાડિયાં સુધી શ્રીલંકાના ઘણા ભાગોમાં તામિલ લોકો વિરુદ્ધ હિંસાનો સમયગાળો શરૂ થયો હતો
- શ્રીલંકાની સેનાએ તાજેતરમાં જ તારીખની આસપાસ પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો હતો
- 1983માં જ્યારે શ્રીલંકામાં આ ઘટના બની ત્યારે પણ યુનાઈટેડ નેશનલ પાર્ટી સત્તામાં હતી
- 2022માં આજે પણ યુએનપી નેતા રનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના રાષ્ટ્રપતિના હોદ્દા પર છે
- 1983માં, શ્રીલંકાના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ જે. આર. જયવર્દના હતા
- આજે તેમના જમાઈ રનિલ વિક્રમસિંઘે શાસન કરી રહ્યા છે
તામિલ વિરુદ્ધ બ્લૅક જુલાઈ હિંસા શરૂ થયાને 39 વર્ષ થઈ ગયાં છે.
બ્લેક જુલાઈમાં પ્રથમ રમખાણો જુલાઈની 23મી તારીખે શરૂ થયાં હતાં અને શ્રીલંકાની સેનાએ તાજેતરમાં જ પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો હતો.
1983માં જ્યારે શ્રીલંકામાં આ ઘટના બની ત્યારે પણ યુનાઈટેડ નેશનલ પાર્ટી સત્તામાં હતી. 2022માં આજે પણ યુએનપી નેતા રનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના રાષ્ટ્રપતિના હોદ્દા પર છે.
પ્રદર્શનકારીઓ કહે છે કે 1983માં, શ્રીલંકાના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ જે. આર. જયવર્દના હતા. આજે, તેમના જમાઈ રનિલ વિક્રમસિંઘે શાસન કરી રહ્યા છે.
બ્લૅક જુલાઈનો ઇતિહાસ શું છે?
23 જુલાઈ 1983થી ઘણાં અઠવાડિયાં સુધી શ્રીલંકાના ઘણા ભાગોમાં તામિલ લોકો વિરુદ્ધ હિંસાની શરૂઆત થઈ હતી.
શ્રીલંકાના લોકો હજુ પણ આ રમખાણને બ્લૅક જુલાઈ હત્યાકાંડ અથવા 83 હત્યાકાંડ તરીકે યાદ કરે છે.
બ્લૅક જુલાઈની હિંસાને તામિલ જાતિનો નાશ કરવાના વ્યવસ્થિત પ્રયાસની શરૂઆત તરીકે જોવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિંસાની ઘટનામાં કોલંબો અને દક્ષિણ વિસ્તારોમાં રહેતા તામિલ લોકોની તમામ વેપારી સંસ્થાઓ, મકાનો અને મિલકતોને નષ્ટ કરવામાં આવી હતી.
દરેક વિસ્તારોમાં ફરી વળીને તામિલો પર હુમલો કર્યો એટલું જ નહીં, આ હિંસામાં તામિલ વંશને ખતમ કરવાનો પ્રયાસ કરાયો હતો.
શ્રીલંકાની આઝાદી પછીથી તામિલ લોકો પર ઘણી વખત હુમલા કરવામાં આવ્યા હતા પરંતુ 1983ના હુમલાનાં તામિલો માટે ઘાતક પરિણામો આવ્યાં હતાં.
બ્લૅક જુલાઇનું કારણ શું હતું?
લિબરેશન ટાઈગર્સ ઑફ તમિલ ઈલમ(એલટીટીઈ)એ 23 જુલાઈના રોજ રાત્રે 11.30 વાગ્યે જાફનાના તિરુનેલવેલી વિસ્તારમાં એક વાહન પર હુમલો કર્યો હતો.
એ હુમલામાં સેનાના 13 જવાનો માર્યા ગયા હતા.
ગૃહયુદ્ધના એ સમયમાં આ હુમલાએ દક્ષિણમાં સિંહાલી લોકોને ભારે આંચકો આપ્યો હતો.
અહેવાલ મુજબ, ઓચિંતા હુમલા બાદ ઘેરાબંધીનો હુમલો પણ કરવામાં આવ્યો હતો.
હુમલામાં શરૂઆતમાં 13 સૈનિકો માર્યા ગયા બાદ મૃત્યુઆંક વધીને 15 થયો હતો, બે ઘાયલ સૈનિકોના બાદમાં મોત થયાં હતાં.
બીજા દિવસે આ હુમલાની માહિતી જાહેર થઈ, ત્યારે સિંહાલીઓએ દક્ષિણ વિસ્તારમાં રહેતી તામિલ વસાહતો પર હુમલો કરવાનું શરૂ કર્યું.
સરકારે જાફનામાં મૃત્યુ પામેલા સૈન્ય સૈનિકોના મૃતદેહોને કોલંબો-પોરાલ્લા મંદિર ખાતે દફનાવવાનું નક્કી કર્યું. મૃતકોના સંબંધીઓ બોરાલ્લા વિસ્તારમાં ધસી આવ્યા.
આ સ્થિતિમાં, એક અફવા એવી ફેલાઈ કે એલટીટીઈ દ્વારા કોલંબો પર હુમલો કરવામાં આવ્યો છે. આ અફવા સાથે જ દેશભરમાં હિંસા ફેલાઈ.
માત્ર કોલંબોમાં જ નહીં પરંતુ પહાડીઓમાં રહેતા તામિલ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
કથિતપણે આ હિંસક ઘટનાઓમાં ઘણા તામિલોને મારી નાખવામાં આવ્યા હતા અને ઘણાને સળગાવી દેવામા આવ્યા હતા.
અહેવાલો દર્શાવે છે કે આ હિંસક ઘટનામાં હજારો તામિલોનાં મોત થયાં હતાં.
કોલંબોની વેલિકડા જેલમાં બંધ થંગાથુરાઈ અને ગુટ્ટીમાની સહિત 53 તામિલોની હત્યા કરવામાં આવી હતી.
1983માં, જ્યારે તામિલો માટે શ્રીલંકામાં રહેવું અશક્ય બની ગયું ત્યારે મોટાભાગના તામિલોએ દેશ છોડી દીધો.
શ્રીલંકામાં પોતાની સંપત્તિ અને સામાન છોડી જનારા ઘણા લોકો હજુ પણ વિદેશમાં રહે છે.
આજે પણ, તામિલો દાવો કરે છે કે આ હિંસા તામિલ વંશીય સંહારનું પ્રથમ કારણ હતું.
આજે શું થઈ રહ્યું છે?
શ્રીલંકામાં હાલમાં સરકારવિરોધી દેખાવો થઈ રહ્યા છે.
આર્થિક સંકટ માટે ગોટાબાયા રાજપક્ષેને જવાબદાર ઠેરવીને શરૂ થયેલો વિરોધ હવે રનિલ વિક્રમસિંઘે તરફ આગળ વધ્યો છે.
પ્રદર્શનકારીઓ રનિલ વિક્રમસિંઘે પર રાજપક્ષે પરિવારને બચાવવા માટે રાષ્ટ્રપતિપદ સંભાળવાનો આરોપ લગાવી રહ્યા છે.
21મીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેનાર રનિલ વિક્રમસિંઘેએ 22મીએ સવારે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે સેનાને ગાલે મુખાતિદલમાં મોકલી હતી.
પ્રદર્શનકારીઓના કબજામાં રહેલા રાષ્ટ્રપતિના સચિવાલયને કબજે કરવા માટે સેના મોકલવામાં આવી હતી.
સેનાએ ખાલી મુકાતિદલમાં પ્રવેશી અને દેખાવકારો પર હુમલો કર્યો અને ત્યાં ઊભા કરાયેલા તંબુઓ હટાવી દીધા.
ઘણા લોકો આ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે.
આ સ્થિતિમાં, ખાલી ચહેરાના વિરોધ માટે આવેલા ચતુરા જયવિક્રમ બંદારાએ પ્રદર્શનકારીઓ પરના હુમલા વિશે બીબીસી તામિલને ટિપ્પણી કરતાં કહ્યું કે. "23મી જુલાઈએ જો આપણે આ યાદો પર ફરી નજર કરીએ તો, રનિલ વિક્રમસિંઘેના સસરા કે જેમણે 23મી જુલાઈ, 1983ના રોજ શ્રીલંકાના 8મા કાર્યકારી પ્રમુખ તરીકે હોદ્દો સંભાળ્યો હતો, એટલે કે લોકમત વિરુદ્ધ ચૂંટાઈ આવ્યા હતા. તેમણે 22મી જુલાઈની આસપાસ દમન શરૂ કર્યું."
ચતુરા જયવિક્રમ બંદારાએ કહ્યું, "એવું લાગે છે કે સસરાએ જે કર્યું એ જ જમાઈએ કર્યું. અત્યાર સુધી અમે સૈન્યીકરણનો ઉપયોગ ફક્ત તામિલ લોકોને જ વશ કરવા માટે જોયો છે, જે 39 વર્ષ પહેલાં થયું હતું. આજે અમે રનિલ વિક્રમસિંઘે દ્વારા 39 વર્ષ પહેલાં જે બન્યું તેનું અવલોકન કરી શકીએ છીએ. સસરાએ શું કર્યું, જમાઈ પણ શ્રીલંકામાં બીજી બ્લૅક જુલાઈ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે."
તેઓ ઉમેરે છે, "અમે રનિલ વિક્રમાસિંઘેને પૂછવા માંગીએ છીએ કે શું તે શ્રીલંકામાં ફરી યુવાનોને ચગદી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુવક-યુવતીઓનાં સપનાંને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે."
ખલી મુખાતિદલના વિરોધમાં સામેલ પ્રદીપા ફર્નાન્ડોએ બીબીસી તામિલને જણાવ્યું હતું કે, "અહી પ્રશ્ન એ ઊભો થાય છે કે શું રનિલને 1983ની બ્લૅક જુલાઈની ઘટનાનું પુનરાવર્તન કરવાની જરૂર કેમ ઊભી થઈ?"
વિરોધમાં મોખરે લડી રહેલાં પ્રદીપ કહે છે, "અમને 1983ની બ્લૅક જુલાઈની યાદો ભુલાઈ નથી. અમે એવા ઘણા લોકોને જાણીએ છીએ જેઓ હજુ પણ આ બ્લૅક જુલાઈના ડાઘ સાથે જીવે છે. ઘણા લોકોનું જીવન તે સમયથી સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. મને ખબર નથી કે રનિલ તે જુલાઈનું પુનરાવર્તન કરવા માંગે છે કે નહીં. મને લાગે છે કે કાલે રાત્રે થયેલો ઘાતકી હુમલો બ્લૅક જુલાઇ જેવો જ હતો."
આ લાગણી ઘણા સિંહાલી યુવાનોમાં પડઘો પાડે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો