યાસ વાવાઝોડું : પશ્ચિમ બંગાળમાં ત્રણ લાખથી વધુ ઘર તબાહ, હવે ઝારખંડ પર ખતરો

ઇમેજ સ્રોત, Reuters
બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું યાસ બુધવારે સવારે અંદાજે નવ વાગ્યે ઉત્તર ઓડિશાના દરિયાકાંઠે અને તેની પાસેના પશ્ચિમ બંગાળના કેટલાક ભાગમાં ટકરાયું હતું.
સવારે 10.30થી 11.30 વાગ્યા વચ્ચે વાવાઝોડું બાલાસોર પહોંચ્યું, જ્યાં પવનની ગતિ 130-140 કિલોમીટર પ્રતિકલાકની વચ્ચે હતી.

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગ અનુસાર, કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 155 કિલોમિટર પ્રતિકલાક હતી અને કેટલીક જગ્યાએ સાગરમાં બે મીટર ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Rex Features
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે યાસ વાવાઝોડાની અસર બપોરે 1.30 વાગ્યા સુધી હતી, બાદમાં આ તોફાનમાં તબદીલ થઈને ઝારખંડ તરફ આગળ વધ્યું, જ્યાં તે અડધી રાતે પહોંચે તેવી શક્યતા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભુવનેશ્વરમાં હવામાન વિભાગ કેન્દ્રના એક વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે તોફાન ઓડિશાથી આગળ વધી ચૂક્યું છે, પણ માછીમારોને સાગરમાં બુધવાર આખા દિવસ સુધી ન જવાની ચેતવણી અપાઈ છે.
તેમણે જણાવ્યું કે આ પસાર થઈ ગયું છે, પણ ગુરુવાર સુધી વરસાદ રહેશે.

પશ્ચિમ બંગાળ અને ઓડિશા પ્રભાવિત

ઇમેજ સ્રોત, Twitter
વાવાઝોડામાં ઓડિશા અને પશ્ચિમ બંગાળ રાજ્ય પ્રભાવિત થયાં છે.
ઓડિશામાં બાલાસોર, ભદ્રક, જગતસિંહપૂર અને કેન્દ્રપાડા પ્રભાવિત થયા છે, તો પશ્ચિમ બંગાળના દક્ષિણી અને ઉત્તરી 24 પરગણા, દિગહા, પૂર્વ મિદનાપુર અને નંદીગ્રામ પર ખાસ અસર થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Sanjay Das
કોલકાતાના 13 નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે.
ઓડિશાએ પોતાને ત્યાં 5.8 લાખ લોકોને અને પશ્ચિમ બંગાળે 15 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે.

ઇમેજ સ્રોત, Twitter/ @satyrapradh1
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પત્રકારોને કહ્યું કે ચક્રવાતી તોફાન યાસને કારણે રાજ્યમાં ત્રણ લાખથી વધુ ઘર તબાહ થઈ ગયાં છે અને તેનાથી એક કરોડ લોકો પ્રભાવિત થયા છે અને 15 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, Twitter/@Satyapradh1
તો સમાચાર એજન્સી એએફપી અનુસાર, પશ્ચિમ બંગાળના દિઘામાં બે લોકોનાં મોત થયાં છે.
સમાચાર એજન્સી એએનઆઈએ મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યમાં વીજળી પડવાથી બે લોકોનાં મોત થયાં છે.

રેલ અને હવાઈ વ્યવહાર પર અસર

ઇમેજ સ્રોત, Twitter/NDRF
યાસને કારણે હવાઈ અને રેલવ્યવહાર પણ અસર થઈ છે.
પશ્ચિમ બંગાળમાં કોલકાતા અને દુર્ગાપુર, તો ઓડિશામાં ભુવનેશ્વર, ઝારસુગુડા અને રાઉરકેલામાં ઉડાનો રદ કરાઈ છે.

ઇમેજ સ્રોત, Twitter/@SatyaPradh1
ઍરપૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ જણાવ્યું કે હવામાનની સમીક્ષા બાદ ઉડાનોને લઈને નિર્ણય લેવાશે, ત્યાં સુધી ઍરપૉર્ટનું સમારકામ કરવાનું કહેવામાં આવ્યું છે.
તો ભારતીય રેલવેએ કહ્યું કે 29 મે સુધી 30 પેસેન્જર ટ્રેનોને રદ કરાઈ છે.
ઉત્તર-પૂર્વ ફ્રન્ટિયર રેલવેએ નિવેદન જાહેર કરીને કહ્યું કે દક્ષિણ તરફ જનારી 38 ટ્રેનો અને કોલકાતા જનારી યાત્રી ટ્રેનોને 24થી 29 મે સુધી રદ કરાઈ છે.
ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન હળવું થઈને આગળ વધી ગયું છે, પણ બંને રાજ્યોના કેટલાક વિસ્તારોમાં આજે અને કાલે પણ ભારે વરસાદની શક્યતા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













