મુંબઈમાં વૃક્ષો કાપવાનો વિવાદ વકર્યો, વિરોધમાં શિવસેના આગળ

પોલીસ
ઇમેજ કૅપ્શન, વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

મુંબઈની આરે કૉલોનીમાં મેટ્રો કારશેડ બનાવવા માટે 2,646 વૃક્ષો કાપવાની શરૂઆત થતા ગઈ કાલથી શરૂ થયેલો વિરોધ વધુ આક્રમક બન્યો છે.

લોકોના આક્રમક વિરોધને પગલે પોલીસે આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી છે.

આ વિરોધ-પ્રદર્શનમાં 50થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શિવસેનાનાં નેતા પ્રિયંકા ચતુર્વેદીની પણ અટકાયત કરવામાં આવી છે.

ગઈ કાલે આ મુદ્દે બૉમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને આરે કૉલોનીનાં વૃક્ષોને જંગલ ગણવાનો ઇન્કાર કર્યો હતો.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

અદાલતે પર્યાવરણ બચાવ કાર્યકર્તા જોરુ ભઠેનાની અરજી ફગાવી દેતા મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને ગઈ કાલે જ વૃક્ષોની કાપણી શરૂ કરી દીધી હતી.

વૃક્ષો કાપવાનો વિરોધ કરી રહેલા લોકો અને મુંબઈ પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

આ વિસ્તારમાં તણાવ વધતા પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

line

'ગણતરીના કલાકોમાં 300 વૃક્ષ કાપી નાખ્યાં'

લોકોનો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લોકોનો વિરોધ

પર્યાવરણ કાર્યકર્તા જોરુ ભઠેનાએ આરે કૉલોનીમાં મેટ્રો કાર શેડના બાંધકામ માટે 2,646 વૃક્ષો કાપવાના મુંબઈ મહાનગરપાલિકાના નિર્ણયની વિરુદ્ધમાં કોર્ટમાં અરજી કરી હતી.

કાર્યકરોનો દાવો છે કે હાઈકોર્ટે પિટિશન ફગાવી દીધી એના ગણતરીના કલાકોમાં 300 વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં.

આ વિસ્તારમાં રહેતા કાર્યકર પ્રકાશ ભોઈરે બીબીસીને કહ્યું કે રાત્રે લગભગ 9.30 વાગે તંત્ર અંદર આવ્યું અને એમણે કાર શેડનાં સ્થળે વૃક્ષો કાપવાનું શરૂ કરી દીધું.

અહીંના સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓ આ કાર શેડને અન્ય સ્થળે લઈ જવાની માગણી રહ્યા છે.

તેઓ કહે છે કે આ કાર શેડને લીધે અહીંની જૈવવિવિધતા નષ્ટ થશે અને વિસ્તારમાં બાંધકામ માટે જમીનોના કબજાનો રસ્તો ખૂલશે.

પર્યાવરણીય કાર્યકર્તાઓનું કહેવું છે કે કોર્ટની અનુમતિ પછી પણ વૃક્ષો કાપવાં માટે 15 દિવસનો સમય આપવો જોઈએ.

line

નેતાઓ અને કલાકારો મેદાને

લોકોનો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વૃક્ષો કપાતાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ

આ મામલે અનેક જાણીતા રાજનેતાઓ અને કલાકારોએ પણ અવાજ ઉઠાવ્યો છે.

યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરીને વિરોધ દર્શાવ્યો અને કહ્યું કે જે ઝડપથી વૃક્ષો કાપવામાં આવ્યાં છે એ જોતાં મુંબઈ મેટ્રોના અધિકારીઓને પીઓકે (પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર) શું કામ ન મોકલવા જોઈએ? એમને વૃક્ષોનો નાશ કરવાને બદલે આતંકવાદી અડ્ડાઓનો નાશ કરવા મોકલવા જોઈએ.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ઉપરાંત અભિનેત્રી દિયા મિર્ઝાએ પણ ટ્વીટ કરી પોતાનો રોષ ઠાલવ્યો છે. તેમણે 15 દિવસના વેઇટિંગ પિરિયડની વાત કરી.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

જોકે, મુંબઈ મેટ્રોના મુખ્ય નિદેશક અશ્વિની ભિડેએ ટ્વિટર પર જવાબ આપતાં કહ્યું કે કોર્ટના આદેશ પછી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. 15 દિવસની નોટિસ આપવાની વાતનો કોઈ કાનૂની આધાર નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો