વજન કેવી રીતે ઘટે છે, કસરતથી શરીરની ચરબી ઓછી થાય ખરી?

કસરત, એક્સરસાઈઝ, વજન ઘટાડો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જુલિયા ગ્રાન્ચી
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

મોટાભાગના લોકો જે જિમમાં જાય છે તેમનો એક જ ધ્યેય હોય છે: વજન ઘટાડવું.

પરંતુ આપણા શરીરમાંથી ચરબી તરત જ ઓછી થવાનું શરૂ થતું નથી.

બીબીસી એક્સપ્લેનર

સ્થૂળતામાં ઘટાડો ઘણી બાબતો પર આધાર રાખે છે. આ કસરતો કરતી વખતે કેટલી ઊર્જાનો ઉપયોગ થયો હતો? કસરતની તીવ્રતા કેટલી હતી અને તમે કેટલો સમય કસરત કરી તે જેવાં ઘણાં પરિબળોનો સમાવેશ થાય છે.

શરીરમાંથી ચરબી કેવી રીતે ઓછી કરવી તે જાણવા માટે, શરીર ઊર્જાનો ઉપયોગ કેવી રીતે કરે છે તે સમજવું મહત્ત્વપૂર્ણ છે.

શરીર ઊર્જાનો ઉપયોગ કેવી રીતે કરે છે?
કસરત, એક્સરસાઈઝ, વજન ઘટાડો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિવિધ કસરતો વિવિધ માત્રામાં ઊર્જાનો ઉપયોગ કરે છે

ગ્લાયકોજેન ફળો, શાકભાજી અને અનાજમાંથી મળે છે. જોકે, તમને તે ખાંડ અને સફેદ બ્રેડમાંથી પણ મળે છે. પરંતુ તેમાં કૅલરી વધુ અને પોષક તત્ત્વો ઓછા હોય છે.

જ્યારે આપણે વધુ કૅલરીનો ઉપયોગ કરીએ છીએ અને ઓછો ખર્ચ કરીએ છીએ ત્યારે સ્થૂળતા ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે.

ગ્લાયકોજેનના રૂપમાં સંગ્રહિત ઊર્જાનો ઉપયોગ કરવામાં પણ વધુ સમય લાગે છે.

ટેક્સાસ સાઉથવેસ્ટર્ન યુનિવર્સિટીના પ્રોફેસર એડ મેરિટ, મીણબત્તી અને લાકડાના ટુકડાના ઉદાહરણનો ઉપયોગ કરીને આ સમજાવે છે.

તેઓ કહે છે, "જેમ મીણબત્તી ધીમે ધીમે બળે છે, તેમ ચરબી ધીમે ધીમે ઓછી થાય છે. જ્યારે લાકડાનો ટુકડો ઝડપથી બળે છે અને અદૃશ્ય થઈ જાય છે. આપણું શરીર પણ એ જ રીતે કાર્ય કરે છે."

"જ્યારે આપણને તાત્કાલિક ઊર્જાની જરૂર હોય છે, ત્યારે આપણે આપણા શરીરમાં હાજર કાર્બોહાઇડ્રેટ્સને બાળી નાખીએ છીએ. પરંતુ જ્યારે આપણને ધીમી ઊર્જાની જરૂર હોય છે, ત્યારે આપણે શરીરની ચરબી પર આધાર રાખીએ છીએ."

પ્રોફેસર એડ મેરિટ 'ફૅટ બર્નિંગ ઝોન' વિશે વાત કરે છે અને કહે છે, "જ્યારે આપણે ઓછી તીવ્રતા પર કસરત કરીએ છીએ, ત્યારે ચરબી ઊર્જાનો મુખ્ય સ્ત્રોત બને છે."

જોકે, તેમનું કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ડેસ્ક પર કામ કરતી હોય છે અથવા ટીવી જોતી હોય છે, ત્યારે ઊર્જાનો વ્યય થાય છે પરંતુ તેનાથી સ્થૂળતા ઓછી થતી નથી.

પ્રોફેસર એડ મેરિટે કહ્યું, "વજન ઘટાડવા માટે ચરબી બર્નિંગ ઝોન પર આધાર રાખવો યોગ્ય નથી."

શ્રેષ્ઠ કસરત કઈ છે?
કસરત, એક્સરસાઈઝ, વજન ઘટાડો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તમારે જાણવું જોઈએ કે કસરતનો હેતુ શું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક ગેરસમજ એ છે કે સ્થૂળતા ફક્ત કાર્ડિયો દ્વારા જ ઘટાડી શકાય છે. પરંતુ કૅલરી બર્ન કરવા માટે દોડવું અને સાયકલ ચલાવવું પણ મહત્ત્વપૂર્ણ છે. સ્ટ્રૅન્થ ટ્રેનિંગ પણ તેનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.

સ્નાયુ બનાવવાથી ચયાપચય સુધરે છે કારણ કે સ્નાયુ પેશીઓને વધુ ઊર્જાની જરૂર પડે છે.

આનો અર્થ એ છે કે જ્યારે તમે કસરત ન કરતા હોવ ત્યારે પણ તમે કૅલરી બર્ન કરી રહ્યા છો.

સ્નાયુ સમૂહ પણ સ્વાસ્થ્ય સુધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે આપણને હૃદય રોગ, ડાયાબિટીસ અને હાડકાં નબળાં પડવાથી બચાવે છે.

જોરદાર કસરત દરમિયાન ગ્લાયકોજેન બળી જાય છે, જ્યારે ચરબી લાંબા સમય સુધી કસરત માટે ઊર્જા પૂરી પાડે છે.

ઉદાહરણ તરીકે, જો તમે લાંબા સમય સુધી ચાલવા માંગતા હો, તો તમે ફક્ત ગ્લાયકોજેન પર આધાર રાખી શકતા નથી.

ઇન્ટેન્સિટી રેન્જ 'ઝોન ટુ' તરીકે ઓળખાય છે અને તે તમારા હૃદયના ધબકારાની દર 60 થી 70 ટકા જેટલી હોય છે. આ સ્વાસ્થ્ય માટે સારું છે પણ જરૂરી નથી કે તેનાથી શરીરની ચરબી ઓછી થાય.

જો તમે કસરત કરી રહ્યા છો તો ચરબી ઘટાડવાનો રસ્તો કૅલરી ખર્ચવાનો છે. તે શરીરના કયા ભાગને મળે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

શરીરના તે ભાગમાં ચરબી જમા થાય છે જ્યાં કૅલરીનું સેવન વધુ હોય છે અને ખર્ચ ઓછો હોય છે. પરંતુ જ્યારે તમે વધુ કૅલરી ખર્ચો છો અને તમારું સેવન ઓછું થાય છે, ત્યારે તમારું વજન ઘટે છે.

પ્રોફેસર એડ મેરિટ કહે છે, "જ્યારે તમે ધીમી ગતિએ કસરત કરો છો, ત્યારે વધુ ચરબી ઓછી થાય છે અને ઓછી કેલરી બળે છે. પરંતુ જ્યારે તમે વધુ તીવ્રતાથી કસરત કરો છો, ત્યારે શરીરના દરેક ભાગમાંથી કૅલરી બળે છે."

પ્રોફેસર કોહેયા કહે છે, "વ્યાયામ કર્યા પછી પણ ઊર્જાનો વ્યય થાય છે. આને 'આફ્ટરબર્ન ઇફેક્ટ' કહેવામાં આવે છે. જ્યાં સુધી તમારી પ્રવૃત્તિ સામાન્ય હોય ત્યાં સુધી સ્નાયુઓ લીવરમાંથી ગ્લાયકોજેન લેતા રહે છે."

વ્યક્તિ કેટલી ઝડપથી વજન ઘટાડે છે તેમાં ઉંમર અને ફિટનેસ સ્તર જેવાં પરિબળો પણ ભૂમિકા ભજવે છે.

કેટલાક લોકોનું ચયાપચય ઝડપી હોય છે. તેમની ચરબી વધુ સરળતાથી સંગ્રહિત થાય છે.

તે જ સમયે, ઉંમર સાથે ચયાપચય ધીમો પડી જાય છે. સ્નાયુ સમૂહમાં ઘટાડો થાય છે, જે ચરબીના સંગ્રહ અને ઉપયોગને અસર કરે છે.

શું કસરત પછી ખાવાથી વજન પર અસર પડે છે?
કસરત, એક્સરસાઈઝ, વજન ઘટાડો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કસરત અને ખોરાક વચ્ચે સીધો સંબંધ છે.
કસરત, એક્સરસાઈઝ, વજન ઘટાડો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વજન ઘટાડવામાં આહાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

વજન ઘટાડવા માટે કસરત મહત્ત્વપૂર્ણ છે. પરંતુ વર્કઆઉટ પછી તમે શું ખાઓ છો તે પણ મહત્ત્વપૂર્ણ છે.

પ્રોફેસર એડ મેરિટ કહે છે, "કસરત પછી, તમારા શરીરને ઝડપથી ઊર્જાની જરૂર પડે છે. જો તમે કસરત પછી તરત જ કંઈ ન ખાઓ, તો તમારા શરીરને તમારી ચરબીમાંથી ઊર્જા મળે છે."

પરંતુ જો તમારો ધ્યેય તમારી કસરત ક્ષમતા વધારવાનો, ઝડપથી દોડવાનો અને વધુ વજન ઉપાડવાનો હોય, તો કસરત પછી ખાવું મહત્ત્વપૂર્ણ છે.

તે કહે છે, "આ તમને સ્વસ્થ થવામાં મદદ કરે છે અને તમે આગલી વખતે વધુ સારી રીતે તાલીમ લઈ શકો છો.'

કેટલાક કિસ્સાઓમાં, કાર્બોહાઇડ્રેટ્સ ઘટાડવાથી સ્થૂળતા ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ સતત કસરત કરવાથી પણ આવું થાય તે જરૂરી નથી.

જ્યારે કાર્બોહાઇડ્રેટ્સમાં ઘટાડો થવાને કારણે શરીરને ચરબીમાંથી પૂરતી ઊર્જા મળતી નથી, ત્યારે શરીરમાં થાક, સ્નાયુઓની નબળાઈ અથવા તો પેશીઓના સ્નાયુ તૂટવાની સમસ્યા થઈ શકે છે.

આની સીધી અસર તમારી પાચન ક્ષમતા પર પણ પડી શકે છે.

શરીરમાં ચરબી કેવી રીતે એકઠી થાય છે?

ફક્ત કસરત દ્વારા કૅલરી બર્ન કરવાની એક મર્યાદા છે. આમાં આહાર પણ ભૂમિકા ભજવે છે.

પ્રોફેસર કોહેયા કહે છે, "જ્યારે ઊર્જાનો ઉપયોગ ન થઈ શકે ત્યારે શરીરમાં ચરબી એકઠી થાય છે."

ઉદાહરણ તરીકે, 7,000 કૅલરી અડધા કિલોગ્રામ વજન બરાબર છે.

30 મિનિટ સાયકલ ચલાવવાથી લગભગ 300 કૅલરી બળે છે. પરંતુ પીઝાનો એક ટુકડો ખાવાથી, તમે ખર્ચાયેલી કૅલરીની ભરપાઈ કરો છો.

એડ મેરિટ કહે છે, "વ્યાયામ તમારા સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. પરંતુ કસરત દરમિયાન બળતી કૅલરી ખોરાક દ્વારા ભરપાઈ થાય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.