You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બહેરીનમાં ગણેશની મૂર્તિ તોડનાર મહિલા સામે શું કાર્યવાહી કરાઈ?
બહેરીનની પોલીસનું કહેવું છે કે એક દુકાનમાં હિંદુ મૂર્તિઓ તોડનાર મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા દુકાનમાં ઘૂસીને ગણેશ ભગવાનની મૂર્તિઓ તોડતાં દેખાય છે. આ વીડિયો ઝુફૈરના માનમા વિસ્તારનો હોવાનું મનાય છે.
એ વીડિયોમાં 'બહેરીન મુસલમાનોનું છે', એવું મહિલા કહી રહી હોવાનું સંભળાય છે.
પોલીસે ટ્વિટર પર જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે 54 વર્ષનાં આ મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને હવે તેમને પ્રૉસિક્યૂટર પાસે મોકલવામાં આવ્યાં છે.
બહેરીનના એક ટોચના અધિકારીએ આને 'નફરતપ્રેરિત કૃત્ય' ગણાવતાં નિંદા કરી છે.
શાહી પરિવારના સલાહકાર ખાલિદ બિન અહમદ અલ ખલીફાએ એક ટ્વીટમાં કહ્યું, "ધાર્મિક પ્રતીકોને તોડવાં એ બહેરીનના લોકોની પ્રકૃતિમાં નથી. આ એક ગુનો છે, જે નફરતનું પ્રતીક છે, જેનો અમે અસ્વીકાર કરી ચૂક્યા છીએ."
તેમણે કહ્યું કે બહેરીનમાં અંદાજે 17 લાખ લોકો રહે છે, જેમાંથી અડધાથી વધારે લોકો બહારથી આવ્યા છે.
બહેરીનના ગૃહમંત્રાલય દ્વારા પણ આ અંગે ટ્વીટ કરવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅપિટલ પોલીસે 54 વર્ષીય મહિલા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી છે. આ મહિલા પર ઝુફૈરમાં તોડફોડ કરવાનો અને ચોક્કસ સંપ્રદાયને હાનિ પહોંચાડવાનો આરોપ છે.
સોશિયલ મીડિયામાં આ ઘટના અંગે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પૂર્વ વિદેશમંત્રી અને બહેરીનના રાજપરિવારના રાજાના સલાહકાર રહી ચૂકેલા શેખ ખાલિદ અલ ખલીફાએ કહ્યું છે કે આ પ્રકારની કોઈ પણ ઘટનાનું સમર્થન કરી ન શકાય.
બહેરીનમાં લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરો રહે છે અને એ પૈકી મોટાભાગના એશિયા મૂળના છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો