You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#BoysLockerRoom : બૉયઝ લૉકર રૂમ અને રેપચેટની તપાસમાં ટ્વિસ્ટ
સોશિયલ મીડિયામાં સ્કૂલના વિદ્યાર્થીઓના વચ્ચેની અશ્લીલ ચેટની તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી છે.
સાયબર સેલ યુનિટનો દાવો છે કે રેપની ચેટ બૉયઝ લૉકર રૂમનો હિસ્સો નથી. આ ચેટ એક સગીરાએ છોકરાની નકલી પ્રોફાઇલ બનાવીને પોતાના મિત્રો સાથે કરી હતી.
હિંદુસ્તાન અખબારે પોતાના રિપોર્ટમાં ડીસીપી અનેશ રાયના હવાલાથી લખ્યું કે સોશિયલ મીડિયા પર બૉયઝ લૉકર રૂમના નામે જે પણ અશ્લીલ કૉમેન્ટ અને રેપના સ્ક્રીનશૉટ વાઇરલ થયા હતા એ બે સગીર વચ્ચેની વાતચીત હતી. તેમાં એક સગીરા પોતાના મિત્રને રેપ કરવા જેવી ચેટ કરતી હતી, જેથી તેને તેના ચરિત્રની ખબર પડે.
અખબાર અનુસાર, પોલીસે સિદ્ધાર્થ નામથી નકલી આઈડી બનાવીને ચેટ કરનાર છોકરી અને સગીર મિત્ર બંનેની અલગઅલગ પૂછપરછ કરી છે. છોકરાએ પોલીસને જણાવ્યું કે રેપવાળી ચેટ બાદ તેણે વાત કરવાનું બંધ કરી દીધું હતું.
જોકે, પોલીસે એ તપાસ કરી રહી છે કે શું સાચે જ છોકરાએ ચેટિંગ બંધ કરી દીધું હતું કે પછી પોતાના બચાવમાં ડિલીટ કર્યું હતું.
ઇન્સ્ટાગ્રામ ગ્રૂપ #BoysLockerRoomનો વિવાદ શું છે જાણો અહીં ભારતમાં સોશિયલ મીડિયામાં છેલ્લા બે દિવસથી #BoysLockerRoom ટ્રૅન્ડમાં છે.
કોરોના લૉકડાઉન : 54 દિવસ ઍરપૉર્ટમાં રહેનાર વિદેશી નાગરિક
દિલ્હીના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર એક 40 વર્ષીય જર્મન નાગરિક છેલ્લા 54 દિવસથી રહે છે.
વર્ષ 2004માં આવેલી ફિલ્મ ધ ટર્મિનલના મુખ્ય પાત્ર સાથે આ જર્મન નાગરિકની કહાણી મળતી આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિંદુસ્તાન ટાઇમ્સના એક વિશેષ રિપોર્ટ પ્રમાણે, જર્મન નાગરિક એડગાર્ડ જીબટ ઍરપૉર્ટના ટ્રાન્ઝિટ એરિયામાં રહે છે. તેઓ 18 માર્ચે હનોઈથી ઇસ્તંબુલ જતા હતા. એ દિવસે ભારતે કોરોના વાઇરસના સંક્રમણને રોકવા તુર્કી સાથે જોડાયેલી તમામ ફ્લાઇટ રદ કરી હતી. તેના ચાર દિવસ પછી ભારતે બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરી હતી અને 25 માર્ચથી દેશભરમાં લૉકડાઉન લાગુ કરી કર્યું જે આજે પણ ચાલુ છે.
ઍરપૉર્ટ પર જીબટ સિવાય અન્ય યાત્રી પણ હતા. પરંતુ તેમની સ્થિતિ થોડી વધુ વિકટ છે, કેમ કે તેઓ પોતાના દેશમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
અખબારે બે સિક્યૉરિટીના હવાલાથી લખ્યું કે ગુનાહિત રેકર્ડને કારણે અને વિદેશમાં હોવાથી હાલમાં તેમના દેશ તેમની કસ્ટડી લેવાનો ઇન્કાર કર્યો છે.
તો આ તરફ ભારતે પણ ગુનાહિત ઇતિહાસને કારણે તેમને વિઝા આપ્યા નથી.
ભારતીય અને ચીની સૈનિક લદ્દાખ-સિક્કીમમાં સામસામે
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સીમા પર ઘર્ષણના સમાચાર છે. આ ઘટના ગત અઠવાડિયાની ગણાવાઈ રહી છે, જેમાં ઘણા સૈનિકો ઘાયલ પણ થયા છે.
ધ હિન્દુના રિપોર્ટ અનુસાર, પહેલી ઘટના પાંચ મેના રોજ પૂર્વી લદ્દાખમાં ઘટી, જ્યારે બીજી ઘટના 9 મેના રોજ સિક્કીના નાકુ-લામાં થઈ.
અખબારે સેનાના સૂત્રોના હવાલાથી લખ્યું, "બંને દેશના સૈનિકોમાં આમનેસામને આવ્યા હોવાની ઘટના બની છે. બંને તરફથી સૈનિકોને સામાન્ય ઈજા પહોંચી છે."
સિક્કીમ થયેલી ઘટનામાં ચાર ભારતીય સૈનિકનાં મૃત્યુ અને સાત ચીની સૈનિક ઘાયલ થયા હોવાના સમાચાર છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : આ વૈશ્વિક બીમારીનો અંત ક્યારે આવશે? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો