મુકુલ આર્ય : પૅલેસ્ટાઇનમાં ઑફિસના પરિસરમાંથી જ મળ્યો ભારતીય રાજદૂતનો મૃતદેહ, શું છે મામલો?

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર, પેલેસ્ટાઇનના શહેર રામલ્લામાં રવિવારે ભારતના રાજદૂત મુકુલ આર્યનો મૃતદેહ તેમની જ ઑફિસના પરિસરમાંથી મળી આવ્યો હતો. આ સમાચાર સૌપ્રથમ વિદેશમંત્રી એસ. જયશંકરે શૅર કર્યા હતા, જેમણે ભારતીય રાજદ્વારીના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

પેલેસ્ટાઇનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું છે કે તેમને રાજદૂત મુકુલ આર્યના મૃત્યુના સમાચાર 'ભારે આશ્ચર્ય અને આઘાત' સાથે પ્રાપ્ત થયા છે. 2008ની બૅચના ભારતીય વિદેશસેવાના અધિકારી મુકુલ આર્યના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.

તેમણે કાબુલ તથા મોસ્કોના ભારતીય દૂતાવાસમાં પણ સેવા આપી હતી.

તેઓ નવી દિલ્હીમાં મંત્રાલયની ઑફિસમાં કામ કરતા હતા. તેમણે પેરિસમાં યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિમંડળમાં પણ સેવા આપી હતી.

આર્યે ભારતીય વિદેશસેવામાં જોડાતા પહેલાં દિલ્હી યુનિવર્સિટી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.

line

અમદાવાદમાંથી બાળતસ્કરીનું રૅકેટ ઝડપાયું, 9ની ધરપકડ

ચાર મહિનાની બાળકીનું અમદાવાદમાં રોડ કિનારેથી અપહરણ કરીને વેચી દેવાયું (પ્રતિકાત્મક તસ્વીર)

ઇમેજ સ્રોત, REUTERS/ZOHRA BENSEMRA

ઇમેજ કૅપ્શન, ચાર મહિનાની બાળકીનું અમદાવાદમાં રોડ કિનારેથી અપહરણ કરીને વેચી દેવાયું (પ્રતિકાત્મક તસ્વીર)

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે નવ વ્યક્તિઓને શનિવારે અમદાવાદ પોલીસે આંતરરાજ્ય બાળતસ્કરી રૅકેટમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી.

ચાર મહિનાની બાળકીનું અમદાવાદમાં રોડના કિનારેથી અપહરણ કરીને દંપતીને વેચી દેવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ બાળકીને વડોદરા અને હૈદરાબાદમાં બે વાર ઍજન્ટોને રૂપિયા બે લાખમાં વેચવામાં આવી હતી અને અંતે પોલીસે બાળકીને સુરતથી છોડાવી હતી.

પકડાયેલા 9 આરોપીમાંથી ત્રણ મહેસાણાના લખવાડના છે, જ્યારે ત્રણ અમદાવાદના છે, બે હૈદરાબાદના છે અને બે આરોપી વડોદરાના છે.

અપહરણનાં લગભગ બે અઠવાડિયાં પછી ઝોન-5 અમદાવાદ પોલીસની ટીમે સુરતમાં રહેતા એક દંપતી પાસેથી બાળકીને શોધી કાઢી હતી અને સમગ્ર રૅકેટનો પર્દાફાશ કર્યો હતો.

line

શ્રીનગર ગ્રૅનેડ વિસ્ફોટમાં એક નાગરિકનું મોત, 23 ઘાયલ

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ધ હિન્દુના અહેવાલ મુજબ, શ્રીનગરમાં રવિવારે ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગ્રૅનેડ વિસ્ફોટમાં એક નાગરિકનું મોત થયું હતું અને એક પોલીસકર્મચારી સહિત 23 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ સાંજે 4.20 વાગ્યે થયો હતો. પ્રારંભિક અહેવાલો મુજબ, વેપારના કેન્દ્ર એવા અમીરા કદલના બજારમાં ગ્રૅનેડ ફેંકવામાં આવ્યો હતો.

જેમાં શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારના મહમ્મદ અસલમ મકધુમી નામના એક નાગરિકનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

પોલીસ મહાનિરીક્ષક વિજયકુમારે જણાવ્યું હતું કે, “પોલીસ હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. મોડ્યુલનો ટૂંક સમયમાં પર્દાફાશ કરવામાં આવશે.”

સૅન્ટ્રલ કાશ્મીર રૅન્જના ડીઆઈજી સુજિતકુમારે જણાવ્યું હતું કે પોલીસને સીસીટીવી ફૂટેજ અને કેટલાક મહત્ત્વના પુરાવાઓ મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ગયા વર્ષે ઑક્ટોબરમાં આવો જ ગ્રૅનેડ હુમલો થયો હતો, જેમાં નાગરિકો ઘાયલ થયા હતા.

line

પુણે : પીએમ નરેન્દ્ર મોદીના મૅટ્રોના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગાયબ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે પુણે મૅટ્રોના બે કોરિડોરનું ઉદ્ઘાટન કરાયું હતું. આ કાર્યક્રમમાંથી મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અળગા રહ્યા હતા. સેનાના મુખપત્ર સામનાએ પણ આ કાર્યક્રમનો ઉલ્લેખ ટાળ્યો છે.

મૅટ્રોના ઉદ્ઘાટનકાર્યક્રમમાં નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર અને શહેરી વિકાસ વિભાગના પ્રધાન એકનાથ શિંદેએ હાજરી આપી હતી.

જ્યારે મુખ્ય મંત્રીને કાર્યક્રમથી દૂર રહેવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે, સેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું, “મુખ્ય મંત્રીએ કાર્યક્રમ છોડી દીધો, પરંતુ અમારા મંત્રી એકનાથ શિંદેને મોકલ્યા. મુખ્ય મંત્રીની ગેરહાજરીમાં નાયબ મુખ્ય મંત્રી અજિત પવારે સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું."

ફૂટર
line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો