You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૉકડાઉન 4.0 : એ 12 ચીજો જે તમે ભૂલથી પણ ન કરી શકો
17 મેના દિવસે કેન્દ્ર સરકારે કોરોના મહામારીને નાથવા માટે લૉકડાઉનને બે અઠવાડિયાં માટે લંબાવવાની જાહેરાત કરી હતી.
સરકારે કહ્યું કે હવે લૉકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે.
આ દરમિયાન શું ખોલવામાં આવશે અને શું બંધ રહેશે, તે રાજ્ય સરકારે નક્કી કરવાનું રહેશે.
લૉકડાઉન 4.0 સાથે જોડાયેલા નિવેદનમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે 31 મે સુધી કોવિડ-19 મહામારી સામે લડવા માટે જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય નિર્દેશોનું પાલન બધાયે કરવું અનિવાર્ય રહેશે.
આ કરવાનું ભૂલતાં નહીં
રાષ્ટ્રીય દિશાનિર્દેશની યાદીમાં 12 વસ્તુઓ સામેલ છે જેનું પાલન 31 મે સુધી કરવાનું અનિવાર્ય રહેશે.
- જાહેર જગ્યાઓ અને ઑફિસોમાં ફેસ માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે.
- જાહેર જગ્યાઓ અને ઑફિસની આસપાસ થૂંકવા પર રોક હશે. થૂંકનારને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના કાયદા પ્રમાણે દંડ ભરવાનો રહેશે અથવા સજા આપવામાં આવશે.
- બધા માટે જાહેર જગ્યા અને પરિવહનમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન અનિવાર્ય હશે.
- લગ્નસમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. સાથે જ આવા આયોજનમાં વધારેમાં વધારે 50 લોકો જ ભેગા થઈ શકશે.
- કોઈના અંતિમ સંસ્કાર અથવા જનાજામાં મહત્તમ 20 લોકો સામેલ થઈ શકશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે.
- જાહેર જગ્યા પર દારૂ, પાન, ગુટખા અને તમાકુના સેવન પર રોક હશે.
- લૉકડાઉન 4.0 દરમિયાન જે દુકાનોને ખોલવાની પરવાનગી હશે તેમણે સુનિશ્ચિત કરવું પડશે કે લોકો વચ્ચે બે ગજનું અથવા ઓછામાં ઓછા છ ફૂટનું અંતર હોય. એક વખતમાં દુકાનમાં માત્ર પાંચ લોકો જ ખરીદારી કરી શકશે.
- સરકારે ઑફિસો માટે પાંચ નિયમ બનાવ્યા છે. આમાં પહેલાં પ્રમાણે ઑફિસ એ સુનિશ્ચિત કરે કે જેટલું બને કર્મચારીઓ ઘરેથી કામ કરી શકે.
- સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે ઑફિસ, દુકાનો, બજારો અને ફૅક્ટરીઓમાં કર્મચારીએ માટે કામના કલાકો વહેંચી દેવામાં આવે.
- ઑફિસમાં પ્રવેશ કરવા અને બહાર જવાની જગ્યા પર થર્મલ સ્કૅનિંગ, હૅન્ડવૉશ અને સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવે.
- વચ્ચે-વચ્ચે ઑફિસ અથવા કામની જગ્યાને સૅનિટાઇઝ કરવામાં આવે. સાથે જ ઑફિસોએ જોવું પડશે કે ડોર હૅન્ડલ જેવી જગ્યા જેને લોકો સતત અડતા રહે છે, તેને સૅનિટાઇઝ કરવામાં આવે.
- ઑફિસો સુનિશ્ચિત કરે કે કર્મચારીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને તેના માટે કર્મચારીઓ વચ્ચે અંતર જાળવવા અને લંચબ્રેકના નિયમ તથા શિફ્ટમાં કામ કરવા જેવાં પગલાં લેવામાં આવે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો