You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રમાં વતન પરત જઈ રહેલા 16 મજૂરો ટ્રેન નીચે કચડાયા
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પાટા પર 16 પ્રવાસી મજૂરો પર માલગાડી ચાલી જતા તેમનું મૃત્યુ થયું છે.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આ દુર્ઘટના જાલના અને ઔરંગાબાદ વચ્ચે દક્ષિણ મધ્ય રેલવેના નાંદેડ ડિવિઝન પાસે બની છે.
આ ઘટના શુક્રવારે વહેલી સવારે 5.30 વાગ્યે ઘટી હતી.
બીબીસી મરાઠીના સંવાદદાતા નિરંજન ચાનવાલ સાથેની વાતચીતમાં ઔરંગાબાદના એસપી મોક્ષદા પાટીલે જણાવ્યું છે કે આ મજૂરો ઔરંગાબાદ પાસેના જાલનામાં આવેલી એક સ્ટીલ ફેકટરીમાં કામ કરતા હતા.
પાટીલનું કહેવું છે કે તેઓ ભુસાવલ તરફ જઈ રહ્યા હતા. તેમને એવી જાણ હતી કે અહીંથી તેમને ટ્રેન મળી જશે.
દક્ષિણ મધ્ય રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસરની માહિતી પ્રમાણે RPF અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો