બીબીસી ગુજરાતીના આ અહેવાલો ચૂકી તો નથી ગયા?

મહિલા

દર વર્ષે લાખો લોકો ભારત-ચીન સરહદ નજીક આવેલા શહેર જોશીમઠમાં બદ્રીનાથ, ઑલી, વૅલી ઑફ ફ્લાવર, હેમકુંડ જેવા સ્થળોની મુલાકાત લેવા આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઉત્તરાખંડના જોશીમઠના લોકો ફરિયાદ કરી રહ્યા છે કે તેમના ઘર જમીનમાં ધસી રહ્યા છે, તેમાં તિરાડો પડી રહી છે.

જોશીમઠ ભારતના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તાર ઝોન-5માં આવે છે. વર્ષ 2011ની વસતી ગણતરી અનુસાર, અહીં લગભગ 4 હજાર ઘરોમાં 17 હજાર લોકો રહેતા હતા, પરંતુ સમયની સાથે આ શહેર પર પણ મનુષ્યનો ભાર પણ વધી રહ્યો છે.

ત્યારે સુપ્રીમ કૉર્ટે મંગળવારે ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસવાના મામલામાં તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને તેને 16 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે.

સુપ્રીમ કૉર્ટે કહ્યું છે કે, દરેક મહત્ત્વપૂર્ણ મુદ્દાને સુપ્રીમ કૉર્ટમાં લાવવા જરૂરી નથી. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી એવી ઘણી સંસ્થાઓ છે, જે આના પર કામ કરી રહી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં જોશીમઠને ઘણા ઘરો અને રસ્તાઓમાં તિરાડો પડવાની અને સતત જમીન ધસી જવાના કારણે ‘સિકિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યું છે.

ગ્રે લાઇન

વિશ્વના સૌથી લાંબા ક્રૂઝ 'ગંગાવિલાસ'માં શું છે ખાસ?

ક્રૂઝ

ઇમેજ સ્રોત, PIB

આજે 13 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી વિશ્વના સૌથી લાંબા કૂઝ 'ગંગાવિલાસ'ને લીલી ઝંડી આપી છે.

ગંગાવિલાસ ક્રૂઝ વારાણસીના રવિદાસઘાટથી રવાના થશે અને બિહાર-બંગાળના રસ્તે બાંગ્લાદેશ થઈને આસામના દિબ્રુગઢ પહોંચશે.

આ આખી યાત્રા કુલ 51 દિવસની રહેશે.

આ યાત્રી જહાજ ભારત અને બાંગ્લાદેશની 27 રિવર સિસ્ટમ અને સાત નદીઓ- ગંગા, ભાગીરથી, મેઘના, હુગલી, જમુના, પદ્મા અને બ્રહ્મપુત્રાથી પસાર થશે. આ યાત્રામાં 50 પર્યટનસ્થળને સાંકળી લેવાશે.

અગાઉ 11 જાન્યુઆરીએ 56 કલાકની યાત્રા બાદ ઉત્તરપ્રદેશના બલિયાથી આ ક્રૂઝ વારાણસી પહોંચ્યું હતું.

આ ક્રૂઝ ભારતના આર્ટ હિસ્ટોરિયન ડૉ. અન્નપૂર્ણા ગર્રીમાલાએ ડિઝાઇન કર્યું છે.

ગ્રે લાઇન
પાંચ કલાકથી ઓછું ઊંઘતા હો, તો તમારા સ્વાસ્થ્યને ખતરો હોઈ શકે છે
ઊંઘ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જો તમારી ઉંમર 50 વર્ષ કરતાં વધુ છે અને તમે પાંચ કલાક કરતાં પણ ઓછી ઊંઘ લેતા હો તો તમને ઘણી બીમારીઓ લાગી શકે છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ઓછામાં ઓછા પાંચ કલાકની ઊંઘ લેવાથી 50 વર્ષ કરતાં વધુ વય ધરાવતી વ્યક્તિને સ્વાસ્થ્યસંબંધી પરેશાનીઓનો ખતરો ઓછો થઈ જાય છે.

સ્વાસ્થ્ય ઠીક ન હોય તો ઊંઘમાં ખલેલ પડી શકે છે. અને સારી ઊંઘ ન આવવી એ કોઈ ખતરાના એંધાણ પણ હોઈ શકે છે. એ વાતના પૂરતા પુરાવા મોજૂદ છે કે ઊંઘથી યાદશક્તિ, મન-મસ્તિષ્કને સ્વસ્થ રાખવામાં, તેને આરામ આપવામાં મદદ મળે છે. પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે કેટલા કલાકની ઊંઘ એ ‘ગોલ્ડન નંબર’ છે.

પીએલઓએસ મેડિસિન સ્ટડીમાં બ્રિટનના સિવિલ સર્વન્ટનાં સ્વાસ્થ્ય અને ઊંઘ પર નજર રાખવામાં આવી. આ અભ્યાસમાં ભાગ લેનાર આઠ હજાર લોકોને પુછાયું કે આપ વીકનાઇટમાં સરેરાશ કેટલા કલાકની ઊંઘ લો છો. અમુક લોકોએ આ હેતુ માટે સ્લીપ વૉચનો પણ ઉપયોગ કર્યો.

તેમજ તેમની ક્રૉનિક (દીર્ઘકાલીન) બીમારીઓની તપાસ કરાઈ. તેમની બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, કૅન્સર, હૃદયરોગની તપાસ અને તેમની પાસેથી લગભગ બે દાયકાની માહિતી લેવાઈ.

ગ્રે લાઇન

'RRR'નું ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડ વિજેતા ગીત 'નાચો-નાચો' કેવી રીતે તૈયાર થયું હતું?

નાટુ નાટુ

ઇમેજ સ્રોત, RRR / FACEBOOK

એસએસ રાજામૌલીની ફિલ્મ 'આરઆરઆર'ના 'નાટૂ-નાટૂ' (નાચો-નાચો) ગીતને ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડમાં બેસ્ટ ઓરિજિનલ સૉંગ મોશન પિક્ચરનો પુરસ્કાર અપાયો છે.

ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણે મુખ્ય ભૂમિકા નિભાવી છે. આ ગીત પણ એ બંને પર ફિલ્માવાયું છે.

અમેરિકાના કૅલિફોર્નિયામાં 80મો ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડ સમારોહ થઈ રહ્યો છે.

આ સમારોહ ભારત માટે ખાસ છે, કેમ કે 'આરઆરઆર' બે કૅટેગરીમાં નૉમિનેટ થઈ છે.

આ તેલુગુ ગીતને એમએમ કિરવાણીએ કમ્પોઝ કર્યું છે અને ચંદ્રબોઝે લખ્યું છે. રાહુલ સિપલીગુંજ અને કાલભૈરવે ગીતને અવાજ આપ્યો છે.

આરઆરઆરને સર્વશ્રેષ્ઠ બિનઅંગ્રેજી ફિલ્મની શ્રેણીમાં પણ નૉમિનેટ કરાઈ હતી.

આ એ ગીત છે, જેના પર બાળકો અને મોટેરા પણ એકસાથે ઝૂમી રહ્યા છે. આ ગીત સિનેમાપ્રેમીઓના દિલોદિમાગ પર છવાયેલું છે.

આ ગીત કેવી રીતે તૈયાર થયું. ગીતને પડદે ઉતારતા પહેલાં ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજામૌલી, મ્યુઝિક ડાયરેક્ટર કિરવાણી અને ગીતકાર ચંદ્રબોઝના દિમાગમાં શું ચાલતું હતું. જાણો આખી કહાણી.

ગ્રે લાઇન

અલ્ગો ટ્રેડિંગથી શૅરબજારમાં અબજોની કમાણી કરી શકાય?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

શૅરબજારમાં ગણિતની અનેક ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. 1900ના દાયકામાં સ્ટૉકમાર્કેટમાં ટ્રેડિંગ લોકપ્રિય થઈ રહ્યું હતું ત્યારે અનેક ગાણિતિક સૂત્રો શોધવામાં આવ્યાં હતાં.

આવો જ એક પ્રસિદ્ધ સિદ્ધાંત 1930માં રાલ્ફ નેલ્સન એલિયટે શોધેલો ‘ધ એલિટ વેવ’ સિદ્ધાંત છે. તે મુજબ, શૅરબજારના ગ્રાફમાં વેવ હોય તો મુખ્ય વેવમાં ત્રણ અન્ય વેવ પણ હોય છે, જેમાંથી એક ઉપર જાય છે, જ્યારે બે એક પછી એક નીચે જાય છે. તેનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ તો ત્રણ વેવ ઉપર અને બે નીચે એવી સિક્વન્સ જોવા મળે છે.

એવી જ રીતે સ્ટૉકમાર્કેટ ટ્રેડિંગમાં ‘ફિબોનાચી’ સિક્વન્સ પણ પ્રસિદ્ધ છે. શૅરબજારનો સૂચકાંક ઉપર કે નીચે જાય ત્યારે બદલાવ પણ એ જ ક્રમમાં થાય છે એવું માનવામાં આવે છે. એટલે કે આપણે જૂના ભાવની સાથે નવા ભાવનો સરવાળો કરીએ તો આપણને ભવિષ્યનો ભાવ મળે છે.

સ્ટોક માર્કેટના ભૂતકાળના ટ્રેડના આધારે આવાં અનેક સૂત્ર બનાવવામાં આવે છે. આવાં સૂત્ર પર આધારિત કેટલાંક કૉમ્પ્યૂટર પ્રોગ્રામ પણ વિકસાવવામાં આવ્યાં છે.

લોકો તેના આધારે ખરીદી કે વેચાણ કરે છે. તેના આધારે ઝડપી નિર્ણય લેવામાં આવે છે અને સ્વચાલિત ટ્રેડિંગ થાય છે.

રેડ લાઇન
રેડ લાઇન