પહલગામ હુમલો : 10 તસવીરોમાં જુઓ, 26 લોકો જ્યાં માર્યા ગયા એ વિસ્તારમાં બે દિવસ શું થયું?

જમ્મુ-કાશ્મીરના પહલગામ મંગળવારે 22 એપ્રિલે થયેલા હુમલામાં 26 લોકોનાં મોત થયાં છે. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પણ વધી ગયો છે.

ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરીને કેટલાક નિર્ણયો કર્યા છે. તો સામે પક્ષે પાકિસ્તાને પણ વળતી કાર્યવાહી કરવાનું એલાન કર્યું છે.

આ દરમિયાન જે જગ્યાએ હુમલો થયો ત્યાં બે દિવસમાં ઘણું બદલાઈ ગયું છે. સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત બનાવવામાં આવ્યો છે, જમ્મુ અને કાશ્મીરના સ્થાનિક લોકોએ હુમલાના વિરોધમાં પ્રદર્શન યોજ્યાં છે અને હુમલાખોરોની શોધ જારી છે.

અહીં 10 તસવીરોમાં જુઓ કે ચરમપંથી હુમલાના સ્થળ પર બે દિવસની અંદર શું શું થયું છે.