નિયોકોવ વાઇરસ : કોરોના મહામારીમાં વધુ એક વાઇરસે માથું ઊંચક્યું, માણસ માટે કેટલો ખતરનાક?

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ શુક્રવારે નિયોકોવ કોરોના વાઇરસ વિશે કહ્યું કે આ વાઇરસ પર વધુ અભ્યાસ કરવાની જરૂર છે.

ચીનના સંશોધકોએ દક્ષિણ આફ્રિકાનાં ચામાચીડિયાંમાં નવો કોરોના વાઇરસ 'નિયોકોવ' શોધી કાઢ્યો છે. હાલમાં આ વાઇરસ ફક્ત પ્રાણીઓમાં જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, JONATHAN KITCHEN

એક અભ્યાસમાં સંશોધકોએ કહ્યું છે કે આ વાઇરસ ભવિષ્યમાં મનુષ્યો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

કોરોના વાઇરસ એ વિવિધ વાયરસના જૂથનો એક ભાગ છે જે સામાન્ય શરદીથી લઈને શ્વાસ લેવામાં ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.

ડબ્લ્યુએચઓનું કહેવું છે કે તેમની પાસે આ વાઇરસ સંબંધિત માહિતી છે પરંતુ આ વાઇરસ મનુષ્ય માટે ખતરનાક છે કે નહીં તે જાણવા માટે વધુ અભ્યાસની જરૂર છે.

ડબ્લ્યુએચઓએ કહ્યું, "માણસોમાં ઉદ્ભવતા તમામ ચેપી રોગો પૈકી 75%થી વધુ રોગોના સ્રોત પ્રાણીઓ છે. ખાસ કરીને જંગલી પ્રાણીઓ તેના મોટા સ્રોત છે. કોરોના વાઇરસ મોટે ભાગે ચામાચીડિયાં સહિતનાં પ્રાણીઓમાં જોવા મળે છે. ચામાચીડિયાં તો વાઇરસનો ભંડાર છે."

ડબ્લ્યુએચઓએ આ માહિતી શૅર કરવા બદલ ચીનના સંશોધકોનો પણ આભાર માન્યો છે.

line

માત્ર એક જ મ્યુટેશન તેને ખતરનાક બનાવી દેશે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ROGER HARRIS/SCIENCE PHOTO LIBRARY

અભ્યાસ મુજબ, કોવિડ-19 વાઇરસની જેમ જ નિયોકોવ માનવકોષો સાથે જોડાઈ શકે છે. "નિયોકોવમાં માત્ર એક મ્યુટેશન થાય તો તે માણસ માટે ખતરનાક બની શકે છે." જોકે, આ અભ્યાસની સમીક્ષા કરવાની બાકી છે.

સંશોધકોના મતે, આ વાઇરસ મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (એમઇઆરએસ-મર્સ)ને અનુરૂપ છે. આ વાયરલ બીમારી સૌપ્રથમ સાઉદી અરેબિયામાં જોવા મળી હતી.

મર્સ-કોવ વાઇરસનો મૃત્યુદર ઘણો ઊંચો છે. આમાં દર ત્રણ ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી એકનું મૃત્યુ થાય છે. વર્તમાન SARS-CoV-2 વાઇરસ વધારે ચેપી છે.

મર્સ-કોવ વાઇરસનાં લક્ષણો SARS-CoV-2 જેવાં જ છે. તેમાં પણ તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ બીમારી સૌપ્રથમ વાર સાઉદી અરેબિયામાં વર્ષ 2012માં જોવા મળી હતી. 2012 અને 2015ની વચ્ચે મધ્ય-પૂર્વીય દેશોમાં તેનો પ્રકોપ રહ્યો હતો.

મર્સ-કોવ મોટા ભાગના કિસ્સાઓમાં માણસથી માણસમાં ફેલાયો હતો. જેના કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.

line

રસીની અસર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, EPA/DIVYAKANT SOLANKI

સંશોધકો એમ પણ કહે છે કે સાર્સ-કોવિડ-2 અને મર્સ-કોવિડની રસીઓની પ્રતિરક્ષા નિયોકોવ પર અસરકારક નહીં રહે.

સંશોધકોના જણાવ્યા અનુસાર, "ખાસ કરીને બહુ વધારે મ્યુટેશનવાળા ઓમિક્રૉન વૅરિયન્ટ સહિત સાર્સ-કોવિડ-2માં વધારે મ્યુટેશનને જોતાં આ વાઇરસ એન્ટિબોડી અનુકૂલન દ્વારા માનવોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે."

હાલમાં કોવિડ -19 વાઇરસનો ચેપ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે, તેની શરૂઆત વર્ષ 2019થી થઈ હતી. આ વાઇરસ સૌથી પહેલા ચીનમાં જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં કરોડો લોકો તેનાથી સંક્રમિત થયા છે અને લાખો લોકોનાં મોત થયાં છે.

કોવિડ-19 સામે લડવા માટે લોકોને ઝડપથી રસી આપવામાં આવી રહી છે જેમાં રહેલા એન્ટિબોડી દ્વારા આ વાઇરસની અસરને ઘટાડી શકાય છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો