ભગવંત માન : પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન બીજી વાર પરણશે, કોની સાથે કરશે લગ્ન?
પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન ગુરુવારે બીજા લગ્ન કરવાના છે. 48 વર્ષીય ભગવંત માનનાં આ બીજાં લગ્ન હશે.
તેમનાં થનાર પત્નીનું નામ ડૉ. ગુરપ્રીત કૌર છે. લગ્ન ચંદીગઢમાં થશે અને તેમાં પંજાબના તમામ રાજનેતાઓ અને દિલ્હીના મુખ્ય મંત્રી પણ આવી શકે છે.

ઇમેજ સ્રોત, BHAGWANT MANN/FB
ભગવંત માને અગાઉ ઇન્દ્રપ્રીત કૌર સાથે લગ્ન કર્યાં હતાં પણ ભગવંત માન અને ઇન્દ્રપ્રીત ક1રના વર્ષ 2015માં છૂટાછેડા થઈ ગયા હતા.
પ્રથમ લગ્નથી ભગવંત માનને બે સંતાનો છે. ભગવંત માનના પુત્રનું નામ દિલશાન અને પુત્રીનું નામ સીરત છે.
ભગવંત માનનાં આ બંને બાળકો શપથગ્રહણ સમારોહમાં પણ જોવા મળ્યાં હતાં. શપથ બાદ પોતાનાં બાળકોને જોઈને ભગવંત માન ઘણા ભાવુક થઈ ગયા હતા.
મીડિયા અહેવાલ અનુસાર, "વર્ષ 2015માં ભગવંત માન સાથે છૂટાછેડા લીધા બાદ ઇન્દ્રપ્રીત કૌર બાળકો સાથે અમેરિકા જતાં રહ્યાં હતાં."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ભગવંત માન તેમનાં માતા સાથે ગામ સતોજમાં રહે છે. તેમનાં એક બહેન મનપ્રીત કૌરનાં લગ્ન સતોજ પાસેના ગામમાં થયાં છે.
છૂટાછેડા અગાઉ ઇન્દ્રપ્રીતે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભગવંત માન માટે પ્રચાર પણ કર્યો હતો. વર્ષ 2014માં ભગવંત માન પહેલી વાર સંગરૂરથી લોકસભાના સાંસદ બન્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સફળતા અને ભગવંત માન સીએમ બનતા ઇન્દ્રપ્રીતે ખુશી વ્યક્ત કરી હતી અને અભિનંદન આપીને કહ્યું હતું કે તેમની સફળતાથી બધાં ખુશ છે.

અભિનંદનનો વરસાદ

ઇમેજ સ્રોત, ANI
ભગવંત માનને સોશિયલ મીડિયામાં સતત અભિનંદન અને શુભેચ્છાં મળી રહ્યાં છે.
આપના નેતા હરજોતસિંહે તેમને અભિનંદન આપ્યાં છે.
તેમણે લખ્યું, "હું મુખ્ય મંત્રી ભગવંત માનને ખુશહાલ અને વૈવાહિક જીવન માટે અભિનંદન આપું છું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ભગવંત માનને લોકો એક કૉમેડિયન અને એક રાજનેતાના રૂપમાં ઓળખે છે. તેઓ પંજાબમાં સંગરૂર લોકસભા સીટ પરથી સતત બીજી વાર આમ આદમી પાર્ટીના સાંસદ બન્યા છે.
તેઓ પાર્ટીના પંજાબ એકમના પ્રદેશ અધ્યક્ષ પણ છે.
2014માં આમ આદમી પાર્ટીમાં સામેલ થયા બાદ ભગવંત માન પાર્ટીના સ્ટાર પ્રચારક હતા. છેલ્લા થયેલી ચૂંટણીમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત હાંસલ કરતા તેમને મુખ્ય મંત્રી બનાવાયા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













