લોકોને BJPના શાસનથી બચાવવા NCPમાં જોડાયો : શંકરસિંહ વાઘેલા

ઇમેજ સ્રોત, FACEBOOK.COM/PG/SHANKERSINHVAGHELA
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રવાદી કૉંગેસ પક્ષ(એનસીપી)માં જોડાયા છે.
અમદાવાદમાં પત્રકાર પરિષદમાં પક્ષના અધ્યક્ષ શરદ પવારે વાઘેલાને ખેસ પહેરાવી સંબંધિત જાહેરાત કરી હતી.
વાઘેલાએ જણાવ્યું હતું કે "દેશમાં લોકશાહી અને લોકશાહીની સંસ્થાઓ જોખમમાં છે. ત્યારે અસક્રીય રહેવું યોગ્ય ના કહેવાય."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમણે એવું પણ ઉમેર્યું કે તેઓ 'લોકશાહી બચાવવા અને લોકોને ભાજપના શાસનથી બચાવવા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષમાં જોડાયા છે.'
પોતે દેશના વિવિધ વિસ્તારોમાં ફરીને એનડીએ વિરુદ્ધ માહોલ ઊભો કરશે એવી વાત કરતા વાઘેલાએ ઉમેર્યું કે તેઓ 'યૂપીએ-3 પ્રકારની એનડીએ વિરોધી સરકાર જોઈ રહ્યા છે.'

અટકળોનો અંત

ઇમેજ સ્રોત, FACEBOOK.COM/PG/SHANKERSINHVAGHELA
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તેમજ જનસંઘથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનારા વાઘેલા ગુજરાતના મુખ્ય મંત્રી અને કેન્દ્રીય મંત્રીનું પદ સંભાળી ચૂક્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કૉંગ્રેસમાંથી છેડો ફાડી વાઘેલા 'જન વિકલ્પ મોરચા'ની રચના કરી હતી.
એ બાદ તેઓ એનસીપીમાં જોડાઈ જશે એવી સતત અટકળો વહેતી થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ અટકળોને સતત નકારતા તેઓ દેશમાં ભાજપ વિરોધી સરકારના ગઠન માટે કાર્ય કરવાની વાત કરતા રહ્યા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















