ફટાકડા અંગે સુપ્રીમના ચુકાદાની તમારા પર શું અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ફટાકડા ફોડવાને કારણે દિલ્હી સહિત અનેક શહેરોની હવામાં પ્રદૂષણનું સ્તર વધી જાય છે અને તે 'ગૅસ ચેમ્બર' બની જાય છે.
ફટાકડા ફોડવાથી હવામાં ઝેરી વાયુ ભળે છે, જેની માઠી અસર બાળકો, સગર્ભા મહિલાઓ તથા સિનિયર સિટીઝન્સ પર જોવા મળે છે.
અરજદારોની માગ હતી કે દિલ્હીમાં ફટાકાડના વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે.
ચુકાદો આપનાર જસ્ટિસ એ. કે. સિકરી તથા જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે કહ્યું હતું કે અમે 'સંતુલન' સાધવાનો પ્રયાસ કર્યો છે.
તા. 28મી ઑગસ્ટના સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી, ત્યારબાદ આજ પર ચુકાદો મોકૂફ રાખવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ચુકાદના મુખ્ય મુદ્દા

ઇમેજ સ્રોત, Getty Images
- દિવાળીના દિવસે સાંજે આઠથી દસ કલાક દરમિયાન ફટાકડા ફોડી શકાશે.
- નાતાલ તથા ખ્રિસ્તી નવવર્ષ દરમિયાન રાત્રે 11.55 કલાકથી 12.30 કલાક દરમિયાન ફટાકડા ફોડી શકાશે.
- બંધારણના અનુચ્છેદ 21 હેઠળ સન્માનપૂર્વક આજીવિકા રળવાના તથા શાંતિપૂર્વક જીવવાના અધિકાર મળેલા છે. ત્યારે ફટાકડા બનાવનારાઓના આજીવિકા રળવાના તથા આરોગ્યપ્રદ જીવન જીવવાના સામાન્ય નાગરિકના અધિકાર વચ્ચે સંતુલન સાધવાનો સુપ્રીમ સમક્ષ પડકાર હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
- ફટાકડા ફોડવાથી ફેલાતા પ્રદૂષણ તથા તેની જાહેર જનતાના આરોગ્ય પર અસર અંગે શું પગલાં લેવામાં આવ્યા છે, તે અંગે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે.
- ફટાકડાનું ઑનલાઇન વેચાણ નહીં થઈ શકે. જો કોઈ વેચાણનો પ્રયાસ કરશે તો તેમની સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
- લાઇસન્સધારક વિક્રેતા ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડા વેચી શકશે.
- ફટાકડાના ઉત્પાદકોનું કહેવું હતું કે માત્ર ફટાકડાને કારણે પ્રદૂષણ નથી ફેલાતું, એટલે વેચાણને મંજૂરી આપવામાં આવે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












