દિલ્હી : 'આપ'એ રાજ્યસભા માટેના તેના ત્રણ ઉમેદવારો જાહેર કર્યા

અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ

લાંબા સમય સુધી થયેલી અટકળો બાદ આમ આદમી પાર્ટીએ રાજ્યસભા માટે ત્રણ ઉમેદવારો જાહેર કરી દીધા છે.

આપ પાર્ટીએ રાજ્યસભા માટે સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સુશીલ ગુપ્તાના નામોની જાહેરાત કરી છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પત્રકાર પરિષદમાં આ નામોની જાહેરાત કરી હતી.

દિલ્હી સરકારમાં આમ આદમી પાર્ટી પાસે 70માંથી 67 ધારાસભ્યો છે.

આથી તેમના ત્રણ ઉમેદવારો ચૂંટાઈ આવે તે નક્કી છે.

line

વિશ્વાસને રાજ્યસભાની ટિકિટ નહીં

કુમાર વિ્શ્વાસની તસવીર

ઇમેજ સ્રોત, @DRKUMARVISHWAS

ઇમેજ કૅપ્શન, કુમાર વિશ્વાસ

અટકળોને સાચી પુરવાર કરતા 'આપ'એ તેના સ્થાપક સભ્ય કુમાર વિશ્વાસને રાજ્યસભામાં નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે.

પત્રકાર પરિષદમાં મનીષ સિસોદીયાને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે, આટલી બધી ચર્ચાઓ છતાં કયા આધાર પર કુમાર વિશ્વાસને રાજ્યસભામાં નહીં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો?

ત્યારે તેમણે જવાબ આપ્યો, "ચર્ચા તો તમે લોકો(મીડિયા) કરી રહ્યા હતા. મીડિયા જ જણાવે કે કયા આધાર પર ચર્ચા કરી રહ્યા હતા?"

તમને આ પણ વાંચવું ગમશે

આ નિર્ણય બાદ કુમાર વિશ્વાસના સમર્થકો નારાજ થઈ ગયા છે.

line

કુમાર વિશ્વાસના સમર્થકોની નારાજગી

અત્રે નોંધવું રહ્યું કે, તાજેતરમાં જ આ મામલે કુમાર વિશ્વાસના સમર્થકોએ પાર્ટીની ઓફિસમાં હંગામો કર્યો હતો.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ત્યાર પછી 28 ડિસેમ્બરે કુમાર વિશ્વાસે ટ્વિટ કર્યું હતું, "મેં હંમેશા તમામને કહ્યું છે કે પહેલા દેશ, પછી પક્ષ, પછી વ્યક્તિ, આમ આદમી પાર્ટીની ઓફિસ પર ભેગા થયેલા કાર્યકર્તાઓને અરજ છે કે

"સ્વરાજ, મૂળભૂત અધિકાર, પારદર્શિતાના મુદ્દાઓ માટે સંઘર્ષ કરે, મારા હિત-અહિત માટે નહીં. યાદ રાખો કે અભિમન્યુના વધમાં પણ તેમનો વિજય છે."

દરમિયાન, એવી પણ અટકળો હતી કે આપના સંસ્થાપક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઇચ્છતા હતા કે કોઈ બહારની વ્યક્તિને રાજ્યસભામાં મોકલવામાં આવે.

આ માટે પાર્ટી તરફથી ઘણા લોકોના નામ પર ચર્ચા પણ કરવામાં આવી હતી.

જેમાં ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ટી. એસ. ઠાકુર તથા ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના નામ સામેલ હતા.

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બીજી તરફ અલકા લાંબાએ કોઈ મહિલાને રાજ્યસભામાં મોકલવાની માંગ કરી હતી. તેમણે પૂર્વ બેંકર મીરા સાન્યાલનું નામ સૂચવ્યું હતું.

વળી, આ તમામ નામો વચ્ચે અચાનક બે નામ સપાટી પર આવ્યા.

જેમાં દિલ્હીના વ્યવસાયી સુશીલ ગુપ્તા અને ચાર્ટડ એકાઉન્ટન્ટ નવીન ગુપ્તાનું નામ સામેલ હતું.

રાજ્યસભામાં દિલ્હીની ત્રણ બેઠક છે. આ માટે 16 જાન્યુઆરીના રોજ ચૂંટણી યોજાશે. 5મી જાન્યુઆરી ઉમેદવારી દાખલ કરવાની આખરી તારીખ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો