બીજુ પટનાયકને શા માટે ભૂલી નથી શકતું ઇન્ડોનેશિયા?

બીજુ પટનાયક અને ઈંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, BJDODISHA.ORG.IN

ઇમેજ કૅપ્શન, બીજુ પટનાયક અને ઈંદિરા ગાંધી

બિજયાનંદ પટનાયકને લોકો પ્રેમથી બીજુ પટનાયક કહેતા હતા. બીજુ પટનાયક એક સ્વાતંત્ર્ય સેનાની, સાહસિક પાઇલટ અને મોટા રાજકીય નેતા તરીકે પણ ઓળખાય છે.

તેમને આધુનિક ઓડિશાના શિલ્પકાર પણ માનવામાં આવે છે. એ ઉપરાંત તેમને એક અન્ય ઘટના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે હંમેશા યાદ કરવામાં આવે છે.

News image

ભારતના સ્વાતંત્ર્યની લડાઈમાં જવાહરલાલ નહેરુ અને બીજુ પટનાયકની દોસ્તીને બહુ ભરોસાપાત્ર ગણવામાં આવતી હતી.

ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે પ્રાચીન સમયથી સંબંધ છે. તેથી જવાહરલાલ નહેરુને ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્યની લડાઈમાં પણ રસ હતો.

પાંચમી માર્ચ 1916ના દિવસે જન્મેલા પટનાયકનું નિધન તા. 17મી એપ્રિલ 1997ના દિવસે થયું હતું.

ઇન્ડોનેશિયાની મુક્તિની જવાબદારી

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સંસ્થાનવાદના વિરોધી હતી અને તેમણે ડચ લોકોના કબજામાંથી મુક્તિ માટે ઇન્ડોનેશિયાને મદદ કરવાની જવાબદારી બીજુ પટનાયકને સોંપી હતી.

જવાહરલાલ નહેરુએ ઇન્ડોનેશિયાના યૌદ્ધાઓને ડચ લોકોથી બચાવવા જણાવ્યું હતું.

જવાહરલાલ નહેરુના કહેવાથી બીજુ પટનાયક પાઇલટ તરીકે 1948માં ઓલ્ડ ડાકોટા વિમાન લઈને સિંગાપુર થઈને જકાર્તા પહોંચ્યા હતા.

બીજુ પટનાયક અને જવાહરલાલ નેહરુ

ઇમેજ સ્રોત, BJDODIAHA.ORG.IN

ઇમેજ કૅપ્શન, બીજુ પટનાયક અને જવાહરલાલ નહેરુ

તેઓ ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્ય સેનાનીઓને બચાવવા માટે જકાર્તા પહોંચ્યા હતા.

બીજુ પટનાયકનું વિમાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરે એ વખતે જ તેને તોડી પાડવાના પ્રયાસ ડચ સેનાએ કર્યા હતા.

બીજુ પટનાયકે જકાર્તાની આસપાસ ઉતાવળે વિમાન ઉતારવું પડ્યું હતું. ત્યાં તેમણે જાપાની સૈન્યના બચેલા ઈંધણનો ઉપયોગ કર્યો હતો.

એ પછી તેઓ વિદ્રોહીઓના અનેક વિસ્તારોમાં ગયા હતા. તેઓ મુખ્ય વિદ્રોહી સુલતાન શહરયાર તથા સુકર્ણોને લઈને દિલ્હી આવ્યા હતા અને તેમની મુલાકાત જવાહરલાલ નહેરુ સાથે કરાવી હતી.

એ પછી ડૉ. સુકર્ણો આઝાદ દેશ ઇન્ડોનેશિયાના પહેલા રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા.

line

સર્વોચ્ચ સન્માનની નવાજેશ

ઈંડોનેશિયાના પહેલા રાષ્ટ્રપ્રમુખ ડો. સુકર્ણો તેમનાં પત્ની તથા સંતાનો સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ડોનેશિયાના પહેલા રાષ્ટ્રપ્રમુખ ડૉ. સુકર્ણો તેમનાં પત્ની તથા સંતાનો સાથે

બહાદુરીભર્યા કામ માટે બીજુ પટનાયકને ઇન્ડોનેશિયાનું માનદ નાગરિકત્વ આપવામાં આવ્યું હતું અને તેમને ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ સન્માન 'ભૂમિપુત્ર' વડે નવાજવામાં આવ્યા હતા.

આ પુરસ્કાર ભાગ્યે જ કોઈ વિદેશી વ્યક્તિને આપવામાં આવ્યો છે.

ઇન્ડોનેશિયાએ 1996માં તેના પચાસમા સ્વતંત્રતા દિવસની ઊજવણી કરી હતી અને બીજુ પટનાયકને 'બિતાંગ જસા ઉતામ' વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

જે દિવસે સુકર્ણોનાં દીકરીનો જન્મ થયો એ દિવસે જોરદાર વરસાદ પડતો હતો અને વાદળ ગરજતાં હતાં. એ કારણે બીજુ પટનાયકે સુકર્ણોને તેમની દીકરીનું નામ 'મેઘાવતી' રાખવા સૂચવ્યું હતું.

બીજુ પટનાયકે તિબેટ અને ભારતને હવાઈ માર્ગે જોડવાના પ્રયાસ કર્યા હતા.

1951માં ચીને તિબેટને કબજે કર્યું એ પહેલાં બીજુ પટનાયકે આવું કર્યું હતું, પણ સરકારની અપૂરતી મદદને કારણે તેઓ નિષ્ફળ રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો