બીબીસી ગુજરાતીના આ લેખો વાંચવાનું ચૂકી તો નથી ગયા ને...

ઇમેજ સ્રોત, LEELAVATI JADHAV
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચિત્તાને ભારતમાં લાવવાની મંજૂરી આપી છે અને હવે આખરે ભારતમાં આફ્રિકાથી ચિત્તા આવશે.
ચિત્તા ભારતમાં સદીઓથી હતા પરંતુ 20મી સદીમાં તેઓ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયા હતા.
પરંતુ હવે સુપ્રીમ કોર્ટની પરવાનગી બાદ ભારતીયોને આ ઝડપના બાદશાહ પ્રાણીને ફરીથી જોવાનો મોકો મળશે.
ભારતીય શાસકો મુઘલ કાળથી ચિત્તા રાખવાના શોખીન હતા અને શિકાર દરમિયાન તેનો ઉપયોગ કરતા હતા.
કોલ્હાપુર, બરોડા, ભાવનગર જેવાં રજવાડાંઓ ચિત્તા ઉછેરવામાં મોખરે રહ્યા છે અને ઐતિહાસિક દસ્તાવેજો દર્શાવે છે કે બાદશાહ અકબર પાસે ઘણા ચિત્તા હતા.
આ અહેવાલ પૂરો વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:

છેલ્લો શો : એ ગુજરાતી ફિલ્મ જે ઑસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ઇમેજ સ્રોત, Instagram/@roykapurfilms
પાન નલિન દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' એ બહુચર્ચિત ફિલ્મ 'આરઆરઆર' તથા 'કાશ્મીર ફાઇલ્સ'ને પછાડીને ઑસ્કાર એવૉર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ઔપચારિક ફિલ્મ બની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફિલ્મ નવ વર્ષના બાળક સમયની કહાણી છે, જે સૌરાષ્ટ્રના ચલાલામાં આકાર લે છે. સમયને ભણવાનું કંટાળાજનક લાગે છે અને તે થિયેટરના પ્રોજેક્ટર-રૂમમાં બેસીને ફિલ્મો જુએ છે અને તેના પ્રત્યે આકર્ષણ પેદા થાય છે. આગળ જતાં તે જુગાડથી દેશી પ્રોજેક્ટર બનાવે છે.
પાન નલિનના કહેવા પ્રમાણે, આ તેમની 'અર્ધ-આત્મકથાનક ફિલ્મ' છે, જે 14 ઑક્ટોબરથી સિનેમાગૃહોમાં રજૂ થશે. નલિન અગાઉ સમસારા અને 'ઍંગ્રી ઇન્ડિયન ગૉડેસિસ' જેવું ફિલ્મોનું સર્જન કરી ચૂક્યા છે.
આ અહેવાલ પૂરો વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:

ઢોર નિયંત્રણ બિલ : ગુજરાત સરકાર માલધારીઓ સામે કેમ ઝૂકી ગઈ?

ઇમેજ સ્રોત, Getty Images
નવી સરકાર રચાય તે પહેલાં ગુજરાત વિધાનસભાનું છેલ્લું સત્ર બુધવારથી શરૂ થયું છે. રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાના છેલ્લા સત્રના પહેલા જ દિવસે સરકારે માર્ચમાં લાવેલું ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચવાની તૈયારી બતાવી છે.
ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ બીબીસી તરફથી વાત કરતા ભાર્ગવ પરીખ સાથે પુષ્ટિ કરતા કહ્યું કે રખડતાં ઢોર અંગેનો કાયદો વિધાનસભામાં સર્વાનુમતે પરત લેવાયો છે. આ બિલ રાજ્યપાલને મોકલી આપવામાં આવશે.
જોઈએ હાઈકોર્ટની ટકોરને પગલે લાવવામાં આવેલા અને હવે પાછા ખેંચવામાં આવેલા આ બિલનો સંપૂર્ણ ઘટનાક્રમ.
આ અહેવાલ પૂરો વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:

ગુજરાતના રાજકારણમાંથી પારસીઓ કઈ રીતે અદૃશ્ય થઈ ગયા?

ઇમેજ સ્રોત, Getty Images
પારસીઓએ ગુજરાત જ નહીં, દેશમાં વેપાર-ઉદ્યોગ, કાયદા, પત્રકારત્વ, વિજ્ઞાન, એંજિનિયરિંગ, કળા-સ્થાપત્ય, ખેલ, અભિનયક્ષેત્રે પ્રદાન આપ્યું છે અને એક સમયે રાજકારણ પણ એમાંથી બાકાત ન હતું
તેઓ દૂધમાં સાકર ભળે એમ સમાજમાં ભળી ગયા, પરંતુ રાજકીય ક્ષેત્રે જેમ 'અત્તર ઊડી જાય અને સુગંધ છોડી જાય' તેમ હાલના રાજકીય પરિદૃશ્યમાંથી અદૃશ્ય થઈ ગયા હોવા છતાં પોતાની સુગંધ છોડી ગયા છે.
ગુજરાતના પારસી સંસદસભ્યો પીલૂ મોદી અને મીનુ મસાણીએ દિલ્હીમાં જઈને ડંકો વગાડ્યો, તો બરજોરજી પારડીવાલા ગુજરાત વિધાનસભાના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા હતા.
ગત વિધાનસભા ચૂંટણી સમયે કોઈ પણ મુખ્ય રાજકીય પક્ષે પારસી ઉમેદવારને ટિકિટ આપી નહોતી અને જો કોઈ 'સરપ્રાઇઝ' ન આવે તો સંખ્યાની દૃષ્ટિએ નગણ્ય એવા આ સમુદાયના કોઈ સભ્યને ટિકિટ મળે એની શક્યતા પણ જણાતી નથી.
અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો - ગુજરાતના રાજકારણમાંથી પારસીઓ કઈ રીતે અદૃશ્ય થઈ ગયા?

આખી દુનિયા સંપૂર્ણ શાકાહારી બની શકે ખરી?

ઇમેજ સ્રોત, Getty Images
શાકાહારી વિકલ્પ વધી રહ્યા છે. ખાદ્ય કંપનીઓ અને માર્કેટ રિસર્ચ ફર્મ્સે પણ માગમાં આવી રહેલા પરિવર્તનને ઓળખી લીધો છે.
2018માં 1,68,000 લોકોએ વેગન્યૂરી અભિયાન અંતર્ગત એક મહિના માટે શાકાહાર અપનાવ્યો. 2014માં જ્યારે આ અભિયાન શરૂ થયું તો ત્યારે માત્ર 3,300 લોકોએ તેમાં ભાગ લીધો હતો.
સૅન્ડવિચ માટે જાણીતા પ્રેટ એ મૉન્ઝેએ 2016માં લંડનમાં એક મહિના માટે 'વેગી પ્રેટ' નામે બ્રાન્ચ ખોલી. આ એટલી લોકપ્રિય થઈ ગઈ કે હવે તેના ચાર સ્ટોર છે.
નેસ્લેએ ગયા વર્ષે નિષ્ણાતોને કહ્યું કે છોડથી મળતા આહારની માગ હંમેશાં રહેશે. માંસની જગ્યા લેનારા સ્વાદિષ્ટ વિકલ્પોની માગ વધી રહી છે. તેનું બજાર 2025 સુધી 7.5 અબજ ડૉલર સુધી પહોંચવાનો અનુમાન છે.
એક માર્કેટ રિસર્ચ ફર્મના રિપોર્ટ પ્રમાણે જર્મનીના 44 ટકા ઉપભોક્તા ઓછું માંસ ધરાવતા આહાર ખાઈ રહ્યા છે. 2014થી અત્યાર સુધી તેમાં 26 ટકા વધારો થયો છે. અમેરિકામાં પહેલાની સરખામણીએ વધારે લોકો પોતાની ઓળખ શાકાહારી ગણાવી રહ્યા છે.
આ અહેવાલ પૂરો વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













