કોવિડ હૉસ્પિટલમાં દાખલ થવા માટે પૉઝિટિવ રિપોર્ટ ફરજિયાત નહીં - કેન્દ્ર સરકાર

હૉસ્પિટલ આગળ કલ્પાંત કરી રહેલા પરિવારજનો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાજેતરમાં કોરોના કેસમાં મોટો વધારો થવાને પગલે અનેક લોકોને હૉસ્પિટલ મેળવવામાં અને ઓક્સિજન તથા દવાઓ માટે રઝળપાટ કરવી પડી હતી. દેશમાં અનેક સ્થળોએથી લોકો સારવાર કે ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ પામ્યા હતા. તસવીરમાં કલ્પાંત કરી રહેલા પરિવારજનો.

દેશમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે અને મહત્ત્ત્વના આરટી-પીસીઆર ટેસ્ટ બાબતે પણ સવાલ કરવામાં આવે છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ સારવાર ફેસિલિટીમાં દાખલ થવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના વાઇરસના દરદીઓને કોવિડ ફેસિલિટીમાં દાખલ કરવાની પૉલિસીમાં ફેરફાર કરી પૉઝિટિવ રિપોર્ટની મર્યાદા દૂર કરી છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

અગાઉ કોવિડ હેલ્થ ફેસિલિટીમાં દાખલ થવા માટે કોવિડ પૉઝિટિવ રિપોર્ટ ફરજિયાત હતો તે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, કોવિડના સંદિગ્ધ કેસને એ મુજબના વોર્ડમાં દાખલ કરવામાં આવશે. કોઈ પણ દરદીને સેવા આપવાનો ઇન્કાર નહીં થઈ શકે. જો દરદી અન્ય શહેરનો હોય તો પણ તેને ઓક્સિજન, જરૂરી દવાઓ વગેરે પૂરા પાડવાના રહેશે.

આ ઉપરાંત પર કેન્દ્ર સરકારે અન્ય નિયમોમાં ફેરફાર કર્યો છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ કેન્દ્ર સરકારે કહ્યું છે, જે તે સ્થળનું માન્ય ઓળખપત્ર ન હોવાને અભાવે કોઈને પણ દાખલ કરવા ઇન્કાર કરી શકાશે નહીં.

કેન્દ્ર સરકારે કહ્યું કે, હૉસ્પિટલમાં દાખલ થવાની એક માત્ર યોગ્યતા દરદીની જરૂરિયાત કેટલી છે એ રહેશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં શનિવારે સવાર સુધી, છેલ્લા 24 કલાકમાં 4 લાખ નવા કોરોના કેસ નોંધવામાં આવ્યા છે. દેશમાં કોરોનાનો કેસ લોડ 2.18 કરોડ થઈ ગયો છે જે પૈકી 37 લાખ ઍક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 4187 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે અને દેશમાં કુલ મરણાંક 2.38 લાખ થયો છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો