You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'23 દેશોમાં પહોંચ્યો ઓમિક્રૉન વૅરિયન્ટ', ભારત આવતાં મુસાફરો માટે શું છે ગાઇડલાઇન?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડનહૉમ ઘેબ્રેસસે કહ્યું હતું કે વિશ્વમાં 23 દેશોમાં કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટના પ્રથમ કેસ નોંધાયા છે.
નૉર્વે, નાઇજીરિયા અને સાઉદી અરેબિયામાં નવા વૅરિયન્ટના પ્રથમ કેસ નોંધાયા.
ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત દરદીઓ દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, ઇઝરાયલ, હૉંગકૉંગ, બ્રિટન અને જર્મનીમાં પહેલાં સામે આવ્યા હતા.
કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના ફેલાવાને લઈને આખી દુનિયામાં હવાઈયાત્રા પર અલગઅલગ નિયમો લદાઈ રહ્યા છે, તો ઘણા દેશોએ યાત્રાઓને લઈને નિયમોમાં ફેરફાર પણ કર્યા છે.
કેટલાક દેશોએ તો વિદેશી યાત્રાઓ સંબંધિત પ્રતિબંધ પણ લાદ્યા છે.
ભારતમાં પણ આંતરરાષ્ટ્રીય ઉડાનો 15 ડિસેમ્બરથી શરૂ થવાની હતી, પણ તેને હાલમાં અનિશ્ચિતકાળ (આગામી જાહેરાત સુધી) માટે ટાળી દેવાઈ છે. એવિએશન રેગ્યુલેટર ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશને કહ્યું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ક્યારથી શરૂ થશે તેની નવી તારીખ પછી જણાવવામાં આવશે.
જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું કહેવું છે કે કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટ પર યાત્રાઓ સંબંધિત કોઈ પણ કાર્યવાહી તેની "મોજૂદગીના ખતરાના આધારે" કરવી જોઈએ, કેમ કે યાત્રા પર પ્રતિબંધથી આ વૅરિયન્ટને ફેલાતો રોકી શકાશે નહીં.
WHOએ યાત્રા સંબંધિત એક નિવેદન જારી કરીને કહ્યું કે યાત્રા પ્રતિબંધ ઓમિક્રૉનને ફેલાતો રોકી નહીં શકે, પણ આ રીતના પ્રતિબંધો જીવન અને તેમની આજીવિકા પર ભારે પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નિવેદનમાં એ પણ કહેવાયું છે કે રિપોર્ટ છે કે 28 નવેમ્બર સુધી 56 દેશોએ ઓમિક્રૉનના તેમના દેશોમાં સંભવિત પ્રવેશમાં મોડું થાય એ માટે કેટલાક યાત્રાઉપાય લાગુ કર્યા છે.
તેમજ WHOએ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ સલાહ આપી છે.
WHOએ કહ્યું કે 60 વર્ષથી વધુ ઉંમરના એ લોકો, જેમણે રસી નથી લીધી કે જેમની પાસે કોવિડ સંક્રમણ થવાના કોઈ પુરાવા નથી અને જેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે, તેમની યાત્રાઓ સ્થગિત કરવાની સલાહ આપવી જોઈએ, કેમ કે તેમને આ બીમાર થવાનો અને મૃત્યુ થવાનો, એમ બંનેનો વધુ ખતરો છે.
વિદેશમાંથી ભારત પરત ફરતા મુસાફરો માટે સરકારી ગાઇડલાઇન શું છે?
કોરોનાના ઓમિક્રોન વૅરિયન્ટથી બચવા 'જોખમરૂપ દેશો'માંથી પરત ફરી રહેલા મુસાફરો માટે ભારત સરકારની ગાઇડલાઇન જારી કરાઈ છે.
1 ડિસેમ્બરથી 'જોખમરૂપ દેશો'માંથી ભારત પરત ફરી રહેલા મુસાફરોએ ઍરપૉર્ટ પર જ RT-PCR ટેસ્ટ કરાવી, પરિણામ માટે રાહ જોવાની રહેશે
આ સિવાય જે તે રાજ્ય સરકારોએ આ દેશોમાંથી આવતાં મુસાફરો માટે ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ખાતે અનુસરણ માટે અલગ માર્ગદર્શિકા બહાર પાડી છે.
અમદાવાદ ઍરપૉર્ટ પર કેવાં નિયંત્રણો હશે?
વિદેશમાંથી આવતાં તમામ મુસાફરો કોરોના માટે ટેસ્ટ થશે
આગમનના આઠમા દિવસે 'જોખમરૂપ દેશો'માંથી પરત ફરેલા મુસાફરોના ફરી ટેસ્ટિંગ થશે.
આ સિવાય અમુક રાજ્ય સરકારો દ્વારા ફરજિયાત સંસ્થાકીય કૉરૅન્ટીન રહેવા સહિત ટેસ્ટિંગની જોગવાઈ કરી છે, જેનો ખર્ચ મુસાફરોએ ભોગવવાનો રહેશે
'જોખમરૂપ દેશો' કયા કયા?
- યુનાઇટેડ કિંગડમ સહિત યુરોપના તમામ દેશ
- સાઉથ આફ્રિકા
- બ્રાઝિલ
- બોત્સવાના
- ચીન
- મૉરેશિયસ
- ન્યૂઝીલૅન્ડ
- ઝિમ્બાબ્વે
- સિંગાપોર
- હૉંગકૉંગ
- ઇઝરાયલ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો