You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી, ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં હાજર નહીં રહી શકે
કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલની ઊંઝા જવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી. હાર્દિકે લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લેવા માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની અરજી કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે અવલોક્યું હતું કે હાર્દિક પટેલનો ઇરાદો દર્શન કરવાનો લાગતો નથી. હાઈકોર્ટે હાર્દિક પટેલનાં ટ્વીટનો હવાલો આપ્યો હતો.
ઊંઝાના ઉમિયા ધામમાં લક્ષચંડી મહાયજ્ઞનો ગુરુવારે બીજો દિવસ છે.
આ યજ્ઞમાં હાર્દિક પટેલ યજમાન તરીકે તેમનાં પત્ની સાથે બેસવાના હતા, પરંતુ તેમની પર મહેસાણા જિલ્લામાં પ્રવેશબંધી હોવાથી તેઓ ભાગ નથી લઈ શક્યા.
હાર્દિક પટેલને સ્થાને એમનાં પત્ની કિંજલે એકલાંએ મહાયજ્ઞમાં ભાગ લીધો છે.
અગાઉ હાર્દિક પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું:
"હું પોતે આ યજ્ઞમાં યજમાન હોવા છતાં મને ત્યાં જવા પર મનાઈ છે. સરકાર કિન્નાખોરી રાખીને વર્તી રહી છે."
"પાંચ વર્ષથી હું ત્યાં ગયો નથી, કારણ કે મને મહેસાણા જવા દેવામાં આવતો નથી. મંદિરમાં પણ જવા દેતા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મેં યજમાન તરીકે યજ્ઞમાં પાટલો લીધો છે અને ઉમિયા ટ્રસ્ટ દ્વારા મને યજમાન તરીકે આમંત્રણ આપ્યું છે."
"સરકાર મને કાયદાના નામે મંદિર સુધી જવા દેતી નથી એનું મને દુઃખ છે."
"જો મને નહીં જવા દે તો મારી પત્ની કળશ લઈ એકલી જશે અને પૂજા કરશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો