ઈરાને ઘણા અમેરિકન સૈનિકોને પકડવાનો દાવો કર્યો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સીલ (એસએનએસસી)ના પ્રમુખ અલી લારીજાનીએ દાવો કર્યો છે કે 'ઘણા અમેરિકન સૈનિકો ઈરાનની કેદ'માં છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "મારી પાસે જાણકારી આવી છે કે ઘણા અમેરિકન સૈનિકોને બંદી બનાવી લેવામાં આવ્યા છે. પરંતુ અમેરિકાનો દાવો છે કે તેઓ યુદ્ધમાં માર્યા ગયા છે."
તેમણે કહ્યું, "પોતાની બેકાર કોશિશો છતાં સત્ય બહુ લાંબા સમય સુધી છુપાયેલું નહીં રહે."
ત્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ડોવર ઍરફોર્સ બેઝ પર ઈરાન સાથે યુદ્ધમાં માર્યા ગયેલા છ અમેરિકન સૈનિકોના પરિજનો સાથે મુલાકાત કરી હતી.
ગત શનિવારે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો, જે બાદ મધ્ય પૂર્વના દેશોમાં તણાવ પેદા થયો છે.
અમદાવાદમાં ટી20 વર્લ્ડકપની ફાઇનલની ટિકિટોનું 'બ્લૅકમાર્કેટિંગ' કરતા બે આરોપી ઝડપાયા

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે અમદાવાદમાં રમાનારી ફાઇનલની મૅચની ટિકિટો મેળવવી મુશ્કેલ છે ત્યારે તેનું કાળાબજારમાં વેચાણ થઈ રહ્યું હોવાના ઓરોપો થઈ રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાવો કર્યો હતો કે તેણે શનિવારે મૅચની ટિકિટનું બ્લૅકમાર્કેટિંગ કરનારા બે આરોપીને પકડ્યા હતા.
આજે 8મી માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મૅચ રમાવાની છે.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે જારી કરેલી પ્રેસનોટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમને મળેલી માહિતીના આધારે ઉસ્માનપુરામાં ગુજરાત વિદ્યાપીઠના એસટી સ્ટેન્ડ નજીક સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. તેમાં બે વ્યક્તિને આંતરીને તેમની તલાશી લેવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્રાઇમ બ્રાન્ચની ટીમને તેમની પાસેથી મૅચની 8 ટિકિટ મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ લોકો ટિકિટના અસલી ભાવ કરતાં લભભગ ત્રણ ગણા ભાવે 10 હજાર રૂપિયામાં ટિકિટનું વેચાણ કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને પકડીને આ નેટવર્ક કેટલું વ્યાપક છે તેની તપાસ શરૂ કરી છે.
ઈરાનનાં ઑઇલ ઠેકાણાં પર ઇઝરાયલનો હુમલો, શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલની સેનાએ પુષ્ટિ કરી છે કે તેણે ઈરાનની રાજધાની તહેરાનમાં 'ઘણાં ફ્યૂઅલ સ્ટોરેજ કૉમ્પ્લેક્સો'ને નિશાન બનાવ્યાં છે.
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે આ ફ્યૂઅલ ટૅન્કો સામે આ પ્રકારનો હુમલો 'જરૂરી' હતો.
સેનાનો દાવો છે કે ઈરાની શાસન આ ફ્યૂઅલ ટૅન્કોનો ઉપયોગ 'સૈન્ય બુનિયાદી ઢાંચાને સંચાલિત કરવા' માટે સતત કરે છે.
આ પહેલાં ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ પણ સમાચાર આપ્યા હતા કે તહેરાનમાં એક તેલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યું છે.
આ વચ્ચે બીબીસી વેરિફાઈએ સોશિયલ મીડિયા પર શૅર કરેલા એક વીડિયોની પુષ્ટિ કરી છે. જેમાં તહેરાનની ઉપર આકાશમાં મોટી આગની જ્વાળાઓ ઉઠતી નજરે પડે છે.
જોકે, હજુ સ્પષ્ટ નથી કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં.
ઈરાન સ્કૂલ પર થયેલા હુમલા વિશે ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં એક સ્કૂલ પર થયેલા હુમલાને લઈને કહ્યું છે કે તેની પાછળ 'ઈરાનનો જ હાથ' હોય શકે છે. આ સ્કૂલ ઈરાનના મિનાબમાં આવેલી છે.
ગત શનિવારે ઈરાનના અધિકારીઓએ કહ્યું હતું કે આ હુમલામાં 160થી વધુ લોકોનાં મોત થયાં, જોકે બીબીસી ન્યૂઝ આ આંકડાની સ્વતંત્ર તપાસ કરી શક્યું નથી.
આ મામલે શનિવારે રાત્રે ઍરફોર્સ-વન વિમાનમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું ઇસ્લામિક રિવલ્યૂશનરી ગાર્ડ કૉરના એક ઠેકાણા પાસે થયેલા આ હુમલા માટે શું અમેરિકા જવાબદાર છે?
તેના પર ટ્રમ્પે કહ્યું, "ના, મારા મત પ્રમાણે અને જે મેં જોયું છે તેના આધારે આ હુમલો ઈરાને કર્યો."
આ દરમિયાન અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથને પણ સવાલ કરવામાં આવ્યો. તેમણે કહ્યું, "અમે તેની તપાસ કરી રહ્યા છે, પરંતુ ઈરાન જ સામાન્ય પ્રકારે નાગરિકોને નિશાન બનાવે છે."
ટ્રમ્પે પણ આ વાતને આગળ ધપાવતા કહ્યું, "અમને લાગે છે કે આ હુમલો ઈરાને જ કર્યો. તમે જોણો છો કે તેનાં હથિયારો સટીક નથી હોતાં. તે સચોટ નથી હોતાં."
ગત સપ્તાહે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પણ કહ્યું હતું કે અમેરિકા જાણીજોઈને કોઈ સ્કૂલને નિશાન નહીં બનાવે. અમેરિકાની સેના પાસે નાગરિક ઠેકાણાં પર હુમલો કરવાનું કોઈ કારણ નથી.
તે સમયે અમેરિકા અને ઇઝરાયલ ઈરાનનાં સૈન્ય ઠેકાણાં પર હુમલા કરીને તેના નેતાઓને નિશાન બનાવી રહ્યાં હતાં.
ઈરાની અધિકારીઓએ સ્કૂલ પર થયેલા હુમલા માટે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યા છે. જ્યારે કે ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેણે આ વિસ્તારમાં કોઈ કાર્યવાહી કરી હોય તેની તેને જાણ નથી.
બીબીસી વેરિફાઇ તરફથી કરવામાં આવેલા સેટેલાઇટ વિશ્લેષણમાં ઘણા વિસ્ફોટોના નિશાન અને સળગતા વિસ્તારો દેખાયા. જેનાથી સંકેત મળે છે કે સ્કૂલ પર એકથી વધુ હુમલા થયા હતા. જોકે, તેમાં કયાં હથિયારોનો ઉપયોગ થયો તે અંગે હથિયારોના અવશેષોની તસવીર સ્પષ્ટ ન હોવાને કારણે એ નક્કી કરવું મુશ્કેલ છે કે આ હુમલા માટે કોણ જવાબદાર છે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












