કૉંગ્રેસે કહ્યું, ‘પુલવામા હુમલાના શહીદ ભાજપ માટે માત્ર ચૂંટણીનો મુદ્દો’ - TOP NEWS

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

News image

કૉંગ્રેસે પુલવામા હુમલા સાથે જોડાયેલા એક સમાચાર મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

પુલવામા હુમલાનું ષડયંત્ર રચનાર એક આરોપીને જામીન મળ્યા હોવાના સમાચાર સાથે કૉંગ્રેસે પોતાના ઔપચારિક ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કર્યું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે 'NIAની અક્ષમતાના કારણે પુલવામાના આરોપીઓને જામીન મળવા એ દર્શાવે છે કે આતંકી ખતરા મામલે સરકાર કેટલી ગંભીર છે.'

આગળ લખ્યું છે, "પુલવામાના શહીદ ભાજપ માટે માત્ર ચૂંટણીનો મુદ્દો હતા. તેમના પરિવાર સરકાર માટે કોઈ મહત્ત્વ ધરાવતા નથી."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સમાચાર પ્રમાણે કોર્ટે આ જામીન એટલે આપ્યા છે કે કારણ કે કેસની તપાસ કરી રહેલી NIA નક્કી સમયે આરોપપત્ર દાખલ કરી શકી નથી.

14 ફેબ્રુઆરી 2019ના રોજ CRPFના કાફલા પર વિસ્ફોટક ભરેલી એક ગાડીથી હુમલો થયો હતો જેમાં 40 જવાનો મૃત્યુ પામ્યા હતા.

line

દિલ્હી હિંસા મામલે ભારતે OICનું નિવેદન ભ્રામક ગણાવ્યું

રવીશ કુમાર

ઇમેજ સ્રોત, ANI

દિલ્હી હિંસા મામલે ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કન્ટ્રીઝના નિવેદનને ભારતે તથ્યાત્મક રૂપે ખોટું અને ભ્રામક ગણાવ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે OIC જેવી અન્ય સંસ્થાઓ અને સંગઠનોને આ સંવેદનશીલ સમય પર બેજવાબદાર નિવેદન ન આપવાની અપીલ પણ કરી છે.

રવીશ કુમારે કહ્યું, "OIC તરફથી આવેલા નિવેદન તથ્યાત્મક રૂપે સાચા નથી. તેમાં થોડા જ તથ્ય સામેલ કરવામાં આવ્યા છે અને તે ભ્રામક છે. ભરોસો જાળવી રાખવા અને પરિસ્થિતિને સામાન્ય કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે."

"અમારી આ સંગઠનોને અપીલ છે કે આ સંવેદનશીલ સમયે બેજવાબદાર નિવેદનો ન આપે."

OICએ દિલ્હી હિંસાની નિંદા કરી હતી અને આ દરમિયાન મુસ્લિમો સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.

3 દિવસ ચાલેલી હિંસામાં દિલ્હીના ઉત્તર-પૂર્વી જિલ્લામાં અત્યાર સુધી 37 લોકોનાં મૃત્યુ થયા છે જેમાં દિલ્હી પોલીસના એક હેડ કૉન્સ્ટેબલ સામેલ છે.

line

'હિંદુત્વ'ની વ્યાખ્યા મામલે સુપ્રીમ કોર્ટ પુનઃવિચાર કરશે

સુપ્રીમ કોર્ટ

ગુરુવારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે 'હિંદુત્વ'ની જૂની વ્યાખ્યા પર ફરી સુનાવણી કરશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટે પહેલા હિંદુત્વને 'જીવન જીવવાની રીત' તરીકે વ્યાખ્યા આપી હતી જેના વિરુદ્ધ કોર્ટમાં અરજી થઈ હતી.

વર્ષ 1995માં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે હિંદુત્વના નામે વોટ માગવાથી કોઈ ઉમેદવારને ફાયદો થતો નથી.

હવે કોર્ટ અરજી વિરુદ્ધ અને તેના સમર્થનમાં ફરી દલીલો સાંભળશે.

જસ્ટિસ એસ. એ. બોબડેની એક બેંચે કહ્યું છે કે, કોર્ટ ધાર્મિક વિશ્વાસ અને મૂળભૂત અધિકારો સંબંધિત દલીલો સાંભળશે અને પછી નિર્ણય આપશે.

line

ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ નેતા પર બળાત્કારનો આરોપ

પ્રતીકાત્મક તસવીર

રાજકોટથી આશરે 30 કિલોમિટર દૂર આવેલા ગામ કોટડા સાંગાણીમાં 19 વર્ષીય યુવતી પર કથિતરૂપે પિસ્તોલની અણી પર બળાત્કારની ઘટના બની છે.

અમદાવાદ મિરરમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે પીડિત યુવતીએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પર ભાજપના એક વરિષ્ઠ સભ્ય, તેમના મિત્ર અને એક કૉંગ્રેસ સભ્યએ મળીને બળાત્કાર કર્યો છે.

કોટડા પોલીસ સ્ટેશનના PSO અશોક ઝીબાના જણાવ્યા પ્રમાણે પીડિત યુવતીએ ભાજપના નેતા અને કોટડા સાંગાણીના ભાજપ પ્રમુખ અમિત પાદરિયા, પંચાયતમાં કૉંગ્રેસ સભ્ય શાંતિ પાદરિયા અને વિપુલ શેખડા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

રાજકોટ પોલીસના સુપરિન્ટેન્ડેન્ટ બલરામ મીનાના જણાવ્યા અનુસાર તેમને ફરિયાદ મળી છે જેના પર પોલીસ તપાસ કરી રહી છે અને હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો