ગઢચિરૌલી:પોલીસ સાથે અથડામણમાં 10થી વધુ નક્સલીઓનાં મોત

સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકિતિક ફોટો
    • લેેખક, સંકેત સબનીસ અને આલોક પ્રકાશ પુતુલ
    • પદ, બીબીસી સંવાદદાતા

છત્તીસગઢની સીમાથી અડીને મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં પોલિસ અને નકસલીઓ વચ્ચેની અથડામણમાં દસથી વધુ નક્સલીઓનું મૃત્યુ થયું છે.

આ અંગે વધુ વિગતો આપતા પોલીસ અધિક્ષક અભિનવ દેશમુખે કહ્યું, “આ ઑપરેશનમાં નક્સલીઓનાં મૃત્યુની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. આ ઑપરેશન દરમિયાન મોટી સંખ્યામાં પ્રચાર સામગ્રી જપ્ત કરવામાં આવી છે.”

ગઢચિરૌલી જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસે કહ્યું, "અમને અત્યાર સુધી દસથી વધુ નક્સલીઓનાં મોતના સમાચાર મળ્યા છે. આ ઑપરેશન અમારા સી-60 દળના જવાનોએ કર્યું છે."

પોલીસના જણાવ્યા મુજબ આ દળ ભામરાગઢ વિસ્તારના તાડગામના જંગલોમાં સર્ચ ઑપરેશન માટે ગયું હતું. જ્યાં રવિવારે સવારે નકસલિયો સાથે તેમની અથડામણ થઈ.

આ અથડામણ લાંબા સમય સુધી ચાલી. આ અથડામણ બાદ નક્સલિઓના દસથી વધુ મૃતદેહ એકઠા કરવામાં આવ્યા છે.

સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સ

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકેતિક ફોટો

અથડામણમાં બે મોટા નક્સલ કમાંડર સાઇનાથ અને શિનૂના મોતના સમચાર છે, જો કે પોલીસે હજી એની પુષ્ટિ નથી કરી.

પોલીસ આ અથડામણને મોટી સફળતા માની રહી છે.

અભિનવ દેશમુખે જણાવ્યું "આ વર્ષે છઠ્ઠી વખત આવી કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉના પગલાંમાં, 8 નક્સલવાદીઓ માર્યા ગયા હતા અને ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો