ગઢચિરૌલી:પોલીસ સાથે અથડામણમાં 10થી વધુ નક્સલીઓનાં મોત

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સંકેત સબનીસ અને આલોક પ્રકાશ પુતુલ
- પદ, બીબીસી સંવાદદાતા
છત્તીસગઢની સીમાથી અડીને મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં પોલિસ અને નકસલીઓ વચ્ચેની અથડામણમાં દસથી વધુ નક્સલીઓનું મૃત્યુ થયું છે.
આ અંગે વધુ વિગતો આપતા પોલીસ અધિક્ષક અભિનવ દેશમુખે કહ્યું, “આ ઑપરેશનમાં નક્સલીઓનાં મૃત્યુની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. આ ઑપરેશન દરમિયાન મોટી સંખ્યામાં પ્રચાર સામગ્રી જપ્ત કરવામાં આવી છે.”
ગઢચિરૌલી જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસે કહ્યું, "અમને અત્યાર સુધી દસથી વધુ નક્સલીઓનાં મોતના સમાચાર મળ્યા છે. આ ઑપરેશન અમારા સી-60 દળના જવાનોએ કર્યું છે."
પોલીસના જણાવ્યા મુજબ આ દળ ભામરાગઢ વિસ્તારના તાડગામના જંગલોમાં સર્ચ ઑપરેશન માટે ગયું હતું. જ્યાં રવિવારે સવારે નકસલિયો સાથે તેમની અથડામણ થઈ.
આ અથડામણ લાંબા સમય સુધી ચાલી. આ અથડામણ બાદ નક્સલિઓના દસથી વધુ મૃતદેહ એકઠા કરવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR/AFP/Getty Images
અથડામણમાં બે મોટા નક્સલ કમાંડર સાઇનાથ અને શિનૂના મોતના સમચાર છે, જો કે પોલીસે હજી એની પુષ્ટિ નથી કરી.
પોલીસ આ અથડામણને મોટી સફળતા માની રહી છે.
અભિનવ દેશમુખે જણાવ્યું "આ વર્ષે છઠ્ઠી વખત આવી કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉના પગલાંમાં, 8 નક્સલવાદીઓ માર્યા ગયા હતા અને ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












