You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધાબા પર શાકભાજી અને ફળો વાવતાં દંપતીને મળો
કચ્છના ભુજમાં રહેતું આ દંપતી ધાબા પર ખેતી કરે છે અને એ પણ 25 જેટલી વિવિધ શાકભાજીઓ ઉગાડે છે.
રાજેન્દ્રભાઈ અને તેમનાં પત્ની લક્ષ્મીએ તેમના ઘરની અગાસીને ખેતર બનાવી દીધું છે.
વાવેલી શાકભાજીને પાણી આપવું અને ઘરે બનાવેલાં જ કીટનાશક છાંટવા જેવા કામકાજમાં માત્ર બે કલાકનો સમય આપવો પડે છે, પણ આ પછી તેમને મળે છે એકદમ શુદ્ધ શાકભાજી, ફળો અને ફૂલો પણ.
મહત્ત્વની વાત એ છે કે તેઓ તેમના પાકમાં કોઈ રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ નથી કરતા. તેમનો દાવો છે કે તેઓ માત્ર ઑર્ગેનિક ખેતી જ કરે છે.
હવે તેઓ ધાબા પર કેવી રીતે પોતાને રોજીંદા જીવનમાં જરૂરી હોય એવાં શાકભાજી અને ફળો તથા ફૂલો ઉગાડી શકાય તેની ટિપ્સ આપવા સાથે બીજ પણ પાડોશીઓને આપીને આ પ્રકારની ખેતીમાં સામેલ કરી રહ્યા છે.
સમગ્ર કહાણી જાણો આ વીડિયો અહેવાલમાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર