કિમ જૉંગ-ઉન : નૉર્થ કોરિયાના આ નેતા અંગે વારંવાર અફવા કેમ ફેલાય છે?

ઇમેજ સ્રોત, Reuters
હાર્ટસર્જરી બાદ ઉત્તર કોરિયાના નેતા કિમ જૉંગ-ઉન ગંભીર રીતે બીમાર થયા હોવાના અહેવાલ વહેતા થયા છે, પરંતુ દક્ષિણ કોરિયાનું કહેવું છે કે આ રિપોર્ટ્સ પાયાવિહોણાં છે.
'કિમ જૉંગ-ઉન ગંભીર રીતે બીમાર' કે 'બ્રેઇન-ડેડ' કે 'સર્જરી બાદ તબિયત સુધાર પર' જેવા અહેવાલોની ખરાઈ કરવી હંમેશા મુશ્કેલ હોય છે.
જોકે, આ વખતે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિભવનનું કહેવું છે કે ઉત્તર કોરિયાના નેતા જૉંગ-ઉન 'ગંભીર રીતે બીમાર' છે, એવા કોઈ સંકેત નથી.
અગાઉ પણ આવી રીતે જૉંગ-ઉનની નાદુરસ્ત તબિયત અંગેના અહેવાલ વહેતા થયા છે, જેને બાદમાં નકારી દેવાયા હોય.

અટકળોનું આરંભબિંદુ

ઇમેજ સ્રોત, Reuters
તા. 15મી એપ્રિલે ઉત્તર કોરિયાના સ્થાપક એવા કિમ જૉંગ-ઉનના દાદાની જયંતી હતી. તે દેશની ભવ્યતમ ઇવેન્ટ્સમાંથી એક હોય છે, પરંતુ જૉંગ-ઉન તેમાં જોવા મળ્યા ન હતા.
એવું માનવામાં આવે છે કે તેમણે આ કાર્યક્રમને ટાળ્યો એની પાછળ કોઈ અનિવાર્ય કારણ જવાબદાર હશે, અન્યથા તેઓ ક્યારેય આ કાર્યક્રમમાં ભાગ લેવાનું ચૂક્યા નથી.
છેલ્લે તેઓ તા. 12મી એપ્રિલે જાહેરમાં ફાઇટર પ્લેનનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ તે વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો હતો, તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી.
સરકારી મીડિયાના અહેવાલ મુજબ તેના એક દિવસ પૂર્વે કિમ જૉંગ-ઉને એક મહત્ત્વપૂર્ણ રાજકીય બેઠકમાં ભાગ લીધો હતો.
ઉત્તર કોરિયામાં તાજેતરમાં મિસાઇલ લૉન્ચ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે કિમ ત્યાં હાજર ન હતા.
સામાન્ય રીતે આવા લૉન્ચ સમયે તેઓ હાજર રહે છે.
અવારનવાર અટકળોનું કારણ

ઇમેજ સ્રોત, EPA
ઉત્તર કોરિયામાંથી રિપોર્ટિંગ કરવું મુશ્કેલ છે, એટલે મોટાભાગના અહેવાલો સરકારી મીડિયામાં અગાઉ પ્રકાશિત માહિતીનો આધાર લઈને પ્રકાશિત કરવામાં આવે છે.
જાન્યુઆરી મહિનાના અંતભાગમાં કોવિડ-19ને કારણે ઉત્તર કોરિયાએ તેની સરહદો બંધ કરી દીધી હતી.
ઉત્તર કોરિયાથી નાસી છૂટેલા લોકો દ્વારા 'ડેઇલી એન.કે.'ન નામની વેબઇસાટ ચલાવવામાં આવે છે, જેના ઉપર તેમની માંદગી અંગેના અહેવાલ વહેતા થયા હતા.
રિપોર્ટ મુજબ, તેમને હૃદય સંબંધિત બીમારીઓ હતી, જે પેકટૂ પર્વતની મુસાફરી બાદ વકરી હતી.

ઇમેજ સ્રોત, AFP
સમગ્ર વિશ્વમાં મીડિયાએ આ વેબસાઇટના અહેવાલને આધારે સમાચાર પ્રકાશિત કર્યા હતા.
ત્યારબાદ અમેરિકા તથા દક્ષિણ કોરિયાની ગુપ્તચર સંસ્થાઓએ આ અહેવાલની ખરાઈ કરવાની તજવીજ હાથ ધરી હતી.
ન્યૂઝ એજન્સી રૉઇટર્સે ચીનના ગુપ્તચર તંત્રના અધિકારીઓ તથા દક્ષિણ કોરિયાની સરકારના સૂત્રોને ટાંકતા દાવો કર્યો છે કે 'કિમ જૉંગ-ઉનની તબિયત અત્યંત નાદુરસ્ત' હોવાના અહેવાલ પાયાવિહોણાં છે.
જોકે, કોઈએ જૉંગ-ઉનની હાર્ટની સર્જરી થઈ હોવાની વાત નકારી ન હતી.


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












