You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોશિયલ મીડિયા નહીં છોડે મોદી, મહિલા દિવસે પ્રેરણાત્મક કહાણીઓ શૅર કરશે
સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ છોડવાની વાત કરી કરી છે.
તેઓએ ટ્વિટર પર લખ્યું, 'આ રવિવારે સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડી દેવાનું વિચારું છું.' તો ફેસબુક એકાઉન્ટ પર પણ તેઓએ આ મૅસેજ મૂક્યો છે.
જોકે ગણતરીના કલાકોમાં તેમણે ટ્વીટ કરીને જણાવ્યું, 'રવિવારે મહિલા દિવસ નિમિત્તે મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ એવાં મહિલાઓને સમર્પિત રહેશે, જેમનાં જીવન અને કામ પ્રેરણા આપે છે. #SheInspiresUs સાથે પ્રેરણા આપતી કહાણીઓ શૅર કરવા આહ્વાન.'
મોદીએ કરોડો અન્ય મહિલાઓને પ્રેરણા આપે તેવી કહાણીઓને શૅર કરવા તેમના સમર્થકોને આહ્વાન કર્યું હતું.
આ સમયે ટ્વિટર પર વડા પ્રધાન મોદીને તેમના અધિકૃત ટ્વિટર હૅન્ડલ @narendramodi પર 5 કરોડ 33 લાખ લોકો ફૉલો કરી રહ્યા છે.
'વિચારું છું કે...'
સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ મૅસેજ બાદ અનેક લોકોએ સોશિયલ મીડિયા ઉપર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
જનાર્દન મિશ્રાએ લખ્યું, "અમે આદેશ તો ન કરી શકીએ પરંતુ વિન્રમ નિવેદન તો કરી શકીએ છીએ. કૃપા કરીને તમે આવું કરીને અમારાથી દૂર થઈ જશો.".
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્વિટર હૅન્ડલથી લખવામાં આવ્યું, "અમે અમારા દેશના પીએમ પાસેથી એવી આશા ક્યારેય ન રાખી શકાય કે તેઓ કોઈ પણ મેદાન છોડીને જાય."
"કેટલાક લોકો સોશિયલ મીડિયાને અફવા ફેલાવાનું માધ્યમ બનાવી રહ્યા છે. આથી તમે આ નિર્ણય લીધો છે એ હું સમજી રહી છે. પરંતુ સોશિયલ મીડિયા પણ એક મેદાન છે અને અમારા પીએમ મેદાન છોડી દે એ અમને મંજૂર નથી."
ફેસબુક પર નરેન્દ્ર મોદીના એકાઉન્ટને ચાર કરોડથી વધુ લોકો ફૉલો કરે છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ત્રણ કરોડ બાવન લાખ લોકો ફૉલો કરે છે.
યૂટ્યૂબ પર પણ વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા ઓછી નથી.
યૂટ્યૂબ પર ચાર કરોડ 51 લાખ લોકોએ મોદીના યૂટ્યૂબ એકાઉન્ટને સબ્સક્રાઇબ કરી રાખ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો