માઓવાદી હુમલામાં મૃત્યુ પામેલા જવાનોના મૃતદેહ ખોખામાં લઈ જવાયા?- ફૅક્ટ ચેક

સોશિયલ મીડિયા વાઇરલ પોસ્ટ

ઇમેજ સ્રોત, SM Viral Post

ઇમેજ કૅપ્શન, દાવો કરવામાં આવી રહ્યો છે કે ખોખામાં મૂકવામાં આવેલા મૃતદેહો ગઢચિરૌલીમાં મૃત્યુ પામેલા જવાનોના છે
    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

સોશિયલ મીડિયા પર ખોખામાં લપેટાયેલા મૃતદેહોની બે તસવીરો એ દાવા સાથે શૅર કરવામાં આવી રહી છે કે તે મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં માઓવાદી હુમલામાં મૃત્યુ પામેલા પોલીસ જવાનોના મૃતદેહ છે.

ફેસબુક અને ટ્વિટર સહિત શૅરચેટના પણ કેટલાક ગ્રૂપ્સમાં આ તસવીરોને આ જ દાવા સાથે શૅર કરવામાં આવી છે.

મોદી સરકારના આલોચકો તરીકે ઓળખ ધરાવતા ગ્રૂપ્સમાં આ તસવીરોને શૅર કરતા લખવામાં આવ્યું છે, "આ કચરાના ડબ્બા નથી. આ ગઢચિરૌલીમાં થયેલા માઓવાદી હુમલામાં મૃત્યુ પામેલા સીઆરપીએફ જવાનોના મૃતદેહ છે. જુઓ પોતાને રાષ્ટ્રવાદી ગણાવતી ભાજપ સરકાર આપણા સૈનિકો સાથે કેવું વર્તન કરે છે."

સોશિયલ મીડિયા વાઇરલ પોસ્ટ

ઇમેજ સ્રોત, SM Viral Post

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયા પર તસવીરો વાઇરલ કરી ભાજપ પર જવાનોનું અપમાન કરવાનો આરોપ લગાવાયો છે

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં બુધવારના રોજ એક માઓવાદી હુમલો થયો હતો જેમાં સુરક્ષાબળોના 15 જવાન અને એક ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું.

માઓવાદીઓએ સુરક્ષાદળના એક વાહનને બારુદી સુંરગની મદદથી નિશાન બનાવ્યું હતું. આ જવાન મહારાષ્ટ્ર પોલીસના સી-60 કમાન્ડોઝ હતા.

સોશિયલ મીડિયા વાઇરલ પોસ્ટ

ઇમેજ સ્રોત, SM Viral Post

ઇમેજ કૅપ્શન, વાઇરલ તસવીર સાથે લોકોએ લખ્યું છે કે જવાનોની આવી પરિસ્થિતિ માટે વડા પ્રધાનને જવાબદાર ગણાવવા જોઈએ

જે લોકોએ સોશિયલ મીડિયા પર આ તસવીરોને શૅર કરી છે, તેમણે લખ્યું છે કે જવાનોની આવી પરિસ્થિતિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવવા જોઈએ.

પરંતુ પોતાની તપાસમાં અમને જાણવા મળ્યું છે કે આ તસવીરો મહારાષ્ટ્રની નથી અને તેની સાથે જે દાવા કરવામાં આવ્યા છે તે ખોટા છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ગઢચિરૌલીની ઘટના

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં માઓવાદી હુમલામાં મૃત્યુ પામેલા પોલીસના જવાનોને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું.

ઘણી મીડિયા સંસ્થાઓએ મૃત્યુ પામેલા જવાનોની શ્રદ્ધાંજલિસભાનું લાઇવ ટેલિકાસ્ટ પણ કર્યું હતું.

જવાનોની શ્રદ્ધાંજલિસભાની તસવીરો એ સ્પષ્ટપણે જણાવે છે કે સોશિયલ મીડિયા પર જવાનોના મૃતદેહ સાથે દુર્વ્યવ્હાર કરવાનો દાવો ખોટો છે.

line

વાઇરલ તસવીરનું સત્ય

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

રિવર્સ ઇમેજ સર્ચથી જાણવા મળે છે કે જે તસવીરોને મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં થયેલી દુર્ઘટનાની ગણાવવામાં આવી રહી છે, તે ખરેખર વર્ષ 2017ની તસવીરો છે.

6 ઓક્ટોબર 2017ના રોજ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય વાયુ સેનાનું MI-17 હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

સમાચાર એજન્સી પીટીઆઈના આધારે આ દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના પાંચ જવાનો સહિત કુલ 7 જવાનોનાં મૃત્યુ થયાં હતાં.

જવાનોને શ્રદ્ધાંજલિ આપતી ભારતીય સેના

ઇમેજ સ્રોત, Twitter/@adgpi

ઇમેજ કૅપ્શન, ગઢચિરૌલીની ઘટના બાદ મૃત્યુ પામેલા જવાનોને સન્માન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી

આ ઘટના બાદ ખોખામાં લપેટાયેલા ભારતીય જવાનોના મૃતદેહોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.

ઇન્ડિયન આર્મીમાંથી નિવૃત્ત લેફ્ટિનન્ટ જનરલ હરચરણજીત સિંહ પનાગે આ ઘટના બાદ આ તસવીરો ટ્વીટ કરી હતી અને લખ્યું હતું, "સાત ભારતીય જવાનોએ ભારત માની સેવામાં પોતાનો જીવ ગુમાવી દીધો અને કંઈક આ રીતે તેમના મૃતદેહો તેમના ઘરે પરત ફર્યા."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ 8 ઓક્ટોબર 2017ના રોજ આ તસવીરો શૅર કરી હતી.

તેમણે લખ્યું હતું, "તવાંગ ક્રેશમાં મૃત્યુ પામેલા સાત વીર જવાનોના મૃતદેહ ખોખામાં લાવવામાં આવ્યા. શું આપણે આપણા સૈનિકો સાથે આવું વર્તન કરવું જોઈએ?"

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

ત્યારબાદ આ મામલે ભારતીય આર્મીના પ્રવક્તાએ સેનાના ઔપચારિક ટ્વિટર હેન્ડલ પરથી એક સ્પષ્ટીકરણ આપ્યું હતું.

ભારતીય સેના

ઇમેજ સ્રોત, Twitter/@adgpi

ટ્વીટમાં તેમણે લખ્યું હતું, "દુર્ઘટનાની જગ્યાએથી જ્યારે મૃત્યુ પામેલા જવાનોના મૃતદેહોને બેઝ સુધી લાવવામાં આવ્યા તો અમારે સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરવો પડ્યો હતો. પરંતુ અમે સુનિશ્ચિત કર્યું હતું કે બધા જવાનોના મૃતદેહ સૈન્ય સન્માન સાથે તેમના પરિવાર સુધી પહોંચે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો