વાજપેયીનું નિધન : સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત

ઇમેજ સ્રોત, Getty Images
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં આજે નિધન થયું છે. તેઓ છેલ્લાં નવ અઠવાડિયાથી એઇમ્સમાં દાખલ હતા. બુધવારના રોજ તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.
એઇમ્સે જણાવ્યું, "આજે એઇમ્સ ખાતે સારવાર દરમિયાન સાંજે પાંચ કલાક અને પાંચ મિનિટે તેમનું નિધન થયું છે."
કેન્દ્ર સરકાર દ્વારા સાત દિવસના 'રાષ્ટ્રીય શોક'ની જાહેરાત કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.
રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શુક્વારે ગુજરાતની સરકારી, અર્ધ-સરકારી તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
ઉપરાંત ગુજરાતની શાળાઓ તથા યુનિવર્સિટીઝ પણ રજા પાળશે.
મોદીએ ટ્વિટર પર લખ્યું, 'વાજપેયીનું જવું એ એક યુગનો અંત છે.'
બહાર પાડવામાં આવેલા વીડિયો સંદેશમાં મોદીએ કહ્યું કે તેમણે 'પિતાનું છત્ર' ગુમાવ્યું છે. પક્ષ તથા શાસનનું મહત્ત્વ તેમની પાસેથી શીખ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાજપેયીનો પાર્થિવદેહ તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો છે, જ્યાં ભાજપ સહિત વિપક્ષના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
શુક્રવારે વાજપેયીનો પાર્થિવદેહ ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલયે લઈ જવામાં આવશે. સાંજે પાંચ કલાકે વિજય ઘાટ ખાતે અંતિમક્રિયા કરવામાં આવશે.
તેમને કિડનીમાં ઇન્ફેક્શન, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન અને લૉ યુરિન આઉટપુટના નિદાન બાદ 11 જૂનના રોજ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારત ખાતે અમેરિકાના રાજદૂત કેન જસ્ટરે વાજપેયીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જસ્ટરે લખ્યું કે વાજપેયીએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજૂબત બનાવામાં મોટો ફાળો આપ્યો હતો.
અમે ભારતીયો પ્રત્યે સંવેદના પ્રગટ કરીએ છીએ. તેઓ ભારતને 'સહજ સહયોગી' માનતા હતા.
એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે કહ્યું કે વાજપેયી 'સંપૂર્ણ રીતે સજ્જન' અને 'દૂરંદેશી' ધરાવતા રાજનીતિજ્ઞ હતા.

લોકોએ આપી શબ્દાંજલિ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
વડા પ્રધાન મોદીએ તેમના ટ્વીટમાં લખ્યું કે વાજપેયીની પ્રેરણા અને માર્ગદર્શન દરેક ભારતીય તથા ભાજપના કાર્યકર્તાને મળતાં રહેશે.
મોદીએ ઉમેર્યું કે વાજપેયીના કારણે 21મી સદીના સશક્ત ભારતનો પાયો નખાયો હતો.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી લખ્યું કે દેશે 'સદીના સૌથી મોટા' નેતા ગુમાવ્યા છે. તેઓ 'અક્રોસ ધ પાર્ટી'ને વરેલા નેતા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘે વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે તેઓ 'ઉત્તમ સાંસદ' તથા 'મહાન વડા પ્રધાન' હતા.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવિસે કહ્યું, 'તેઓ સદેહે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનું દૂરંદેશીપણું અમને માર્ગદર્શન આપતું રહેશે.'
લગભગ 65 વર્ષ સુધી તેમના મિત્ર રહેલા લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું, 'સંઘના પ્રચાર દરમિયાનના દિવસોની યાદો મારી સાથે રહેશે.'

ઇમેજ સ્રોત, AIIMS
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, 'નેતૃત્વ, દૂરંદેશી તથા પાકટતા'ને કારણે તેઓ અનોખા નેતા બની રહ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના કહેવા પ્રમાણે, વાજપેયીએ હંમેશા સંયમ અને ગૌરવયુક્ત વર્તન કર્યું હતું. તેઓ રાજકારણના 'અજાતશત્રુ' હતા.
અડવાણીએ ભારતીય જનસંઘની સ્થાપના, ઇમરજન્સી, ભાજપની સ્થાપના સમયની વાતો યાદ કરી હતી.
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'દેશે મહાન સપૂત' ગુમાવ્યા છે અને 'મને હંમેશા તેમની ખોટ સાલશે.'
ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકના કહેવા પ્રમાણે, 'દેશે મહાન નેતાઓમાંથી એક ગુમાવ્યા છે.'

આ પહેલા ગુરુવારે શું થયું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
બિહારના મુખ્ય મંત્રી નીતિશકુમાર બાદ હવે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એઇમ્સ હૉસ્પિટલ પહોંચ્યા હતા.
છત્તિસગઢના મુખ્ય મંત્રી રમણ સિંહ AIIMS ખાતે વાજપેયીની મુલાકાત માટે પહોંચ્યા હતા.

બિહારના મુખ્ય મંત્રી નીતિશકુમાર એઇમ્સ પહોંચ્યા
બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમાર, ઉપ-મુખ્ય મંત્રી સુશિલ કુમાર મોદી અને બિહારના મંત્રી નંદકિશોર યાદવ દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલ પહોંચ્યા છે.
આ પહેલાં કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના અન્ય નેતાઓ સાથે કેજરીવાલ, રાહુલ ગાંધી પણ એઇમ્સ આવી ચૂક્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5

કૈલાશ સત્યાર્થી એઇમ્સ પહોંચ્યા
રાહુલ ગાંધી બાદ સામાજીક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી પણ એઇમ્સ હૉસ્પિટલ પહોંચ્યા છે. આ પહેલાં વડા પ્રધાન મોદી અને અમિત શાહ પણ એઇમ્સ આવી ચૂક્યા છે.

આવી રીતે ફેલાઈ વાજપેયીના નિધનની અફવા?
ગુરુવારે બપોરે અચાનક જ અટલ બિહારી વાજપેયીના નિધનના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા અને સોશિયલ મીડિયાએ આ આગને હવા આપવાનું કામ કર્યું.
જોકે, આની પાછળ 'ન્યૂઝ બ્રેક' કરવાની ઉતાવળ કે સમાચાર સંસ્થાઓની 'વધુ પડતી તૈયારી' જવાબદાર હોવાનું જણાય છે.
દેશભરની રાષ્ટ્રીય તથા પ્રાદેશિક ન્યૂઝ ચેનલ્સે અમુક મિનિટ્સ માટે 'નિધનની જાહેરાત' કરી દીધી હતી.

રાહુલ ગાંધી હૉસ્પિટલ પહોંચ્યા
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ દિલ્હીમાં આવેલી એઇમ્સ હૉસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સારવાર ચાલી રહી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6

અમિત શાહ હૉસ્પિટલથી નીકળ્યા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વાજપેયી જ્યાં દાખલ છે તે એઇમ્સ હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. જે બાદ તેઓ હવે હૉસ્પિટલથી રવાના થયા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7

આપણે વાજપેયીજી માટે પ્રાર્થના કરીએ : રાહુલ
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે વાજપેયીજી હાલ હૉસ્પિટલમાં છે અને આપણે તેમના માટે પ્રાર્થના કરીએ.
રાહુલ ગાંધી આજે દિલ્હી ખાતે યોજાયેલા 'સાંજી વિરાસત બચાવો' સંમેલનમાં ભાગ લઈ રહ્યા હતા. અહીં તેમણે આ નિવેદન આપ્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8

વડા પ્રધાન મોદી એઇમ્સથી નીકળ્યા
વડા પ્રધાન મોદી આજે ફરીથી વાજપેયીની ખબર પૂછવા માટે એઇમ્સ પહોંચ્યા હતા. ઘણા સમય ત્યાં રહ્યા બાદ હાલ મોદી હૉસ્પિટલથી નીકળી ગયા છે.
જોકે, અમિત શાહ અને લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજન ત્યાં હાજર છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9

વાજપેયીના ઘરની બહાર ચુસ્ત સુરક્ષા
અટલ બિહારી વાજપેયીના ઘરની બહાર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દિલ્હીના તેમના ઘર ખાતે હાલ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને જીતેન્દ્ર સિંહ તથા ભાજપના નેતા ભૂપેન્દ્ર સિંહ હાજર છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એઇમ્સ પહોંચ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાજયેયી જ્યાં દાખલ છે ત્યાં એઇમ્સમાં પહોંચ્યા છે. ગઈકાલે પણ મોદીએ વાજપેયીની મુલાકાત લીધી હતી. આ પહેલાં અમિત શાહ પણ ફરીથી એઇમ્સ પહોંચ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 10

તેઓ મહાન નેતા છે : નવિન પટનાયક
ઓડિશાના મુખ્ય મંત્રી નવિન પટનાયકે કહ્યું કે મેં તેમની કેબિનેટમાં બે વર્ષ સુધી કામ કર્યું છે. તેમની તબિયત અંગે સાંભળીને ખૂબ દુઃખ થયું. તેઓ એક મહાન નેતા છે અને તેમના નેતૃત્વમાં કામ કરવાનો મને ખૂબ સારો અનુભવ રહ્યો છે.

'વાજપેયી દેશને મજબૂત બનાવવા માગતા હતા'
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને નેશનલ કૉન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે આપણે તેમની તબિયત સુધરે તેની પ્રાર્થના કરવી જોઈએ.
આપણે એ ના ભૂલવું જોઈએ કે તેઓ ભારતને મજબૂત બનાવવા માગતા હતા. તેઓ માત્ર આપણા દેશમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં શાંતિ ઇચ્છતા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 11

વિજય રૂપાણીએ ચિંતા વ્યક્ત કરી
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ અટલ બિહારી વાજપેયીની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે ટ્વીટ કર્યું, "પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીજીના સ્વાસ્થ્યની સ્થિતિ અત્યંત નાજુક હોવાની સૂચના મળી છે. હું ઇશ્વરને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થવાની પ્રાર્થના કરું છું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 12

વાજપેયી માટે દેશભરમાં દુવાઓ
દેશભરમાં અટલ બિહારી વાજપેયીની તબિયત અંગે પ્રાર્થનાઓ થઈ રહી છે. ગ્વાલિયરમાં સરકારી આયુર્વેદિક કૉલેજના વિદ્યાર્થીઓએ વાજપેયીની તબિયત માટે યજ્ઞ કર્યો હતો.
તો બીજી તરફ લખનૌની એન. ડી. કૉન્વેન્ટ સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 13

કેજરીવાલ એઇમ્સ પહોંચ્યા
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્ય મંત્રી મનિષ સિસોદિયા હાલ વાજપેયીની તબિયતની ખબર કાઢવા માટે એઇમ્સ હૉસ્પિટલ પહોંચ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 14

ચંદ્રબાબુ નાયડુએ વ્યક્ત કરી ચિંતા
આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ અટલ બિહારી વાજપેયીની તબિયત પર ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે વાજપેયીજીની તબિયતના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમની તબિયત જલદી સારી થઈ જાય તે માટે પ્રાર્થના કરું છું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 15

શિવરાજ સિંહે યાત્રા સ્થગિત કરી
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 16
મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જન આશીર્વાદ યાત્રા સ્થગિત કરી. શિવરાજ સિંહ ચૌહાણે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે અટલ બિહારી વાજપેયી મારા પ્રેરણા સ્રોત રહ્યા છે.

સુષમા સ્વરાજ હૉસ્પિટલ પહોંચ્યાં
વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને કૃષિ મંત્રી રાધા મોહન સિંહ એઇમ્સ પહોંચ્યા. અટલ બિહારી વાજપેયીને હાલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે.

મેડિકલ બુલેટિન બહાર પડાયું
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 17
આજે સવારે 11 વાગ્યે એઇમ્સ દ્વારા અટલ બિહારીની તબિયત અંગે મેડિકલ બુલેટિન બહાર પાડ્યું હતું.
બુલેટિનમાં જણાવાયું છે કે અટલ બિહારી વાજપેયીની તબિયત હજી પણ નાજુક છે અને તેઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે.

હૉસ્પિટલમાં કોણ કોણ મળવા આવ્યું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 18
આજે સવારે ગૃહ મંત્રી રાજનાથ સિંહ હૉસ્પિટલ પહોંચ્યા હતા. ઉપરાંત લાલકૃષ્ણ અડવાણી તેમના પુત્રી પ્રતિભા અડવાણી સાથે હૉસ્પિટલ પહોંચ્યા હતા.
સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ એઇમ્સ પહોંચ્યા હતા.
બુધવારે સાંજે વડા પ્રધાન મોદી વાજપેયીની ખબર કાઢવા માટે એઇમ્સ હૉસ્પિટલ પહોંચ્યા હતા.
મોદીની એઇમ્સમાં આ ચોથી મુલાકાત હતી, જ્યાં તેઓ 50 મિનિટ સુધી રહ્યા હતા.
મોદી સિવાય કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, સ્મૃતિ ઈરાની, હર્ષ વર્ધન, જીતેન્દ્ર સિંહ અને અશ્વિનીકુમાર ચૌબેએ પણ અટલ બિહારીની ખબર કાઢવા માટે હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.

દેશના દસમા વડા પ્રધાન

ઇમેજ સ્રોત, Getty Images
93 વર્ષના અટલ બિહારી વાજપેયીને ડાયાબિટીસની બીમારી હતી અને તેમની એક જ કિડની કામ કરી રહી હતી.
2009માં આવેલા સ્ટ્રોકને કારણે તેમની જ્ઞાનાત્મક ક્ષમતાઓને અસર થઈ હતી, જે બાદ તેઓ ચિત્તભ્રમની બીમારીથી પીડાતા હતા.
પોતાની તબિયત નરમ થવાની સાથે જ વાજયેપીએ પોતાની જાતને જાહેર જીવનથી દૂર કરીને પોતાના ઘર પૂરતી જ મર્યાદીત કરી દીધી હતી.
1996ની સંસદની ચૂંટણી બાદ અટલ બિહારી વાજપેયીએ પ્રથમ વખત દેશના 10મા વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા.
જોકે, એનડીએ ગઠબંધને સાથે તેઓ સંસદમાં પોતાની બહુમતી સાબિત ન કરી શકતા તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
1998માં તેઓ ફરી વડા પ્રધાન બન્યા અને 2004 સુધી તેમણે સાથી પક્ષો સાથે મળીને સરકાર ચલાવી હતી.
2014માં તેમને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન વડે નવાજવામાં આવ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












