દિલ્હી રમખાણોનાં પાંચ વર્ષ: શું પીડિતોને ન્યાય મળ્યો, પોલીસ સામે કેમ સવાલો થઈ રહ્યા છે?
નવી દિલ્હીમાં થયેલાં સૌથી ખરાબ રમખાણોને પાંચ વર્ષ વીતી ગયાં છે. આ દરમિયાન રમખાણોને લગતા 80 ટકાથી વધુ કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે.
2020માં દિલ્હીમાં થયેલાં કોમી રમખાણો છેલ્લા ત્રણ દાયકામાં રાજધાનીમાં જોવા મળેલાં સૌથી ભયંકર રમખાણો હતાં.
તે વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ચાર દિવસ સુધી ચાલેલી હિંસામાં 53 લોકોનાં મોત થયાં હતાં. જેમાં 40 મુસ્લિમો અને 13 હિન્દુઓ હતા.
દિલ્હી પોલીસે કેટલાક કર્મશીલો અને વિદ્યાર્થી નેતાઓ ઉમર ખાલિદ તથા શરજીલ ઇમામ અને 16 અન્ય લોકોની ધરપકડ કરી હતી.
પોલીસે કહ્યું હતું કે આ લોકોએ 2019માં લાવવામાં આવેલા વિવાદાસ્પદ નાગરિકતા કાયદા સામે મહિનાઓ સુધી ચાલેલાં વિશાળ વિરોધપ્રદર્શનોની આડમાં રમખાણોની યોજના બનાવી હતી.
આ તોફાનોમાં સેંકડો ઘાયલ થયા હતા અને ઘણી દુકાનો અને ઘરો પણ બાળી નાખવામાં આવ્યાં હતાં.
પોલીસે રમખાણો સંબંધિત 758 કેસ નોંધ્યા હતા અને બે હજારથી વધુ લોકોની ધરપકડ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર













