26/11 મુંબઈ હુમલો : કસાબ વિરુદ્ધ જુબાની આપ્યા બાદ 9 વર્ષની દેવિકાને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો?

દેવિકા, આતંકવાદી અજમલ કસાબ, બીબીસી, ગુજરાતી, મુંબઈ હુમલો, 26-11 હુમલો, પાકિસ્તાન, ભારત, દેવિકા રોટાવન

ઇમેજ સ્રોત, Getty Images & Shardul Kadam

ઇમેજ કૅપ્શન, અજમલ કસાબ વિરુદ્ધ જુબાની આપનાર 9 વર્ષનાં દેવિકા રોટાવને ઘર મેળવવા માટે લાંબો સંઘર્ષ કરવો પડ્યો.
    • લેેખક, દીપાલી જગતાપ
    • પદ, બીબીસી સંવાદદાતા

"શરૂઆતમાં, મને કહેવામાં આવ્યું હતું કે તમને ઘર આપવામાં આવશે. તમારા શિક્ષણમાં મદદ કરવામાં આવશે. જો તમને કોઈ જરૂર પડે તો અમે હાજર રહીશું. જોકે, જ્યારે જરૂર પડી ત્યારે કોઈ મદદ માટે હાજર ન હતું. હવે, આખરે, મને અંધેરીમાં એક ઘર મળ્યું છે. તે 300 ચોરસ ફૂટનું છે. પરંતુ આ માટે પણ, મારે કોર્ટમાં જવું પડ્યું હતું."

મુંબઈમાં 26/11 ના આતંકવાદી હુમલાનાં સાક્ષી અને પગમાં ગોળી વાગ્યા બાદ હુમલામાં બચી ગયેલાં દેવિકા રોટાવનએ બીબીસી સાથે પોતાનું દર્દ ઠાલવ્યું હતું.

26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં થયેલા 'આતંકવાદી' હુમલામાં સીએસએમટી રેલવે સ્ટેશન પર દેવિકાને પગમાં ગોળી વાગી હતી.

આ સ્થળે થયેલી ઘટનામાં 52 લોકો માર્યા ગયા હતા અને 108 લોકો ઘાયલ થયા હતા.

એ સમયે દેવિકાએ ધરપકડ કરાયેલા આતંકવાદી અજમલ કસાબ વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપી હતી. દેવિકા આ ઘટનામાં સૌથી નાની ઉંમરનાં સાક્ષી હતાં. એ સમયે દેવિકાની ઉંમર માત્ર 9 વર્ષ અને 11 મહિના હતી.

2020માં, દેવિકા રોટાવને બૉમ્બે હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે તેમને આર્થિક રીતે નબળા વર્ગના ક્વોટામાંથી ઘર આપવામાં આવે.

દેવિકા કહે છે એ પ્રમાણે આ માંગ કર્યાનાં પાંચ વર્ષ પછી-2025માં, તેમને આખરે સરકાર તરફથી ઘર મળ્યું છે.

જોકે, અજમલ કસાબ સામે કોર્ટમાં જુબાની આપવાથી લઈને ઘર મેળવવા સુધીનો દેવિકાનો સંઘર્ષ સરળ નહોતો. છેલ્લાં 15 વર્ષમાં ખરેખર શું બન્યું? ચાલો જાણીએ.

દેવિકાએ રહેઠાણની માંગ કેમ કરી?

દેવિકા, આતંકવાદી અજમલ કસાબ, બીબીસી, ગુજરાતી
દેવિકા, આતંકવાદી અજમલ કસાબ, બીબીસી, ગુજરાતી, મુંબઈ હુમલો, 26-11 હુમલો, પાકિસ્તાન, ભારત, દેવિકા રોટાવન

ઇમેજ સ્રોત, BBC/ Shardul Kadam

ઇમેજ કૅપ્શન, દેવિકાએ તે વખતે ધરપકડ કરાયેલા 'આતંકવાદી' અજમલ કસાબ વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપી હતી.

26/11ના મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન દેવિકાને જમણા પગમાં ગોળી વાગી હતી. બાદમાં તેમની સર્જરી કરવામાં આવી હતી. તેમના પગ પર ગોળીનું નિશાન હજુ પણ જોવા મળે છે.

તે સમયે, 9 વર્ષની દેવિકાએ અજમલ કસાબને ઓળખી કાઢ્યો હતો. તેમની હિંમત અને બહાદુરી માટે ઘણા લોકોએ તેમની પ્રશંસા કરી હતી અને તેનું સન્માન પણ કર્યું હતું.

25 વર્ષીય દેવિકાએ હવે આર્ટ્સમાં ગ્રૅજ્યુએશન પૂર્ણ કર્યું છે. તેઓ તેમના પિતા અને ભાઈ સાથે બાંદ્રામાં ભાડાના ઘરમાં રહે છે.

પરંતુ ખરાબ આર્થિક સ્થિતિ અને તેમની પાસે યોગ્ય ઘર ન હોવાથી, દેવિકાએ 2020 માં સરકાર પાસેથી ઘર મેળવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારબાદ, આખરે દેવિકાને ઘર મળ્યું હતું.

દેવિકા, બીબીસી, ગુજરાતી
દેવિકા, આતંકવાદી અજમલ કસાબ, બીબીસી, ગુજરાતી, મુંબઈ હુમલો, 26-11 હુમલો, પાકિસ્તાન, ભારત, દેવિકા રોટાવન

ઇમેજ સ્રોત, Devika Rotawan

ઇમેજ કૅપ્શન, મુંબઈ હુમલા વખતે દેવિકાની ઉંમર ત્યારે માત્ર નવ વર્ષની હતી.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મુંબઈ હુમલા પછી અને આ કેસમાં જુબાની આપ્યા પછી, ઘણા લોકોએ તેણીને મદદ કરવાનું વચન આપ્યું હતું.

જોકે, દેવિકા જણાવે છે કે ખરેખર મદદ માંગ્યા પછી પણ કોઈ આગળ આવ્યું નહીં. અંતે, તેમને કોર્ટની મદદ લેવી પડી.

બીબીસી સાથે વાત કરતાં દેવિકાએ કહ્યું, "ઘર માટેની આ લડાઈ ઘણા લાંબા સમય સુધી ચાલી. 2010-2011ની આસપાસ, જિલ્લા કલેક્ટર કચેરીના કેટલાક લોકો અમારા ઘરે આવ્યા. તેમણે અમને કહ્યું કે ઘર તમારા નામે ફાળવવામાં આવ્યું છે. તેમની પાસે કેટલાક દસ્તાવેજો પણ હતા."

"તેમણે મારાં નામ અને માહિતી સાથેની એક અરજી પર લખી દીધી. મેં અને મારા પિતાએ તેના પર સહી કરી. અમે તેમની પાસે દસ્તાવેજો માંગ્યા, પરંતુ તેમણે તે સમયે આપ્યા નહીં. અમે તેમણે આપેલા નંબરોમાંથી એક પર ફોન કર્યો, ત્યારે અમને ખ્યાલ આવ્યો કે તે 'ખોટો નંબર' હતો."

આ પછી, દેવિકાના કહેવા પ્રમાણે વકીલોની મદદથી, તેણીએ 2020માં કોર્ટમાં અરજી દાખલ કરી.

દેવિકા ભાર દઈને કહે છે કે વકીલો અને ન્યાયાધીશોના કારણે જ તે ઘર મેળવી શકી.

કોર્ટના આદેશ પછી દેવિકાને સરકાર તરફથી ઘર મળી ગયું હતું.

જોકે, એવું ધ્યાનમાં આવ્યું કે તેને મળેલા ઘર માટે જમીનમાં કેટલીક સમસ્યાઓ હતી. તે પછી, તેણે ફરીથી મદદ માંગી અને હવે, દેવિકાએ કહ્યું, આખરે તેને ઘર મળી ગયું છે.

દેવિકા રોટાવન, બૉમ્બે હાઈકોર્ટ, બીબીસી, ગુજરાતી
દેવિકા, આતંકવાદી અજમલ કસાબ, બીબીસી, ગુજરાતી, મુંબઈ હુમલો, 26-11 હુમલો, પાકિસ્તાન, ભારત, દેવિકા રોટાવન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2020 માં, દેવિકા રોટાવને બૉમ્બે હાઈકોર્ટમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે આવાસની માંગણી કરતી અરજી દાખલ કરી.

દેવિકાના કહેવા પ્રમાણે આતંકવાદી હુમલા પછી, ઘણા લોકોએ મદદની ખાતરી આપી હતી પરંતુ ઘર મેળવવા માટે પણ તેણીએ કોર્ટમાં જવું પડ્યું હતું

"ઘણા લોકોએ વચનો આપ્યા, પણ બીજા દિવસે તેઓ ભૂલી ગયા. ફક્ત મોટી મોટી વાતો કરી. એવા રાજકીય નેતાઓ પણ હતા જેમની પાસે ક્ષમતા હતી, તેઓ કરી શક્યા હોત. ફક્ત મારા માટે જ નહીં, પણ 26/11ના રોજ ત્યાં જે લોકો હાજર હતા એના માટે પણ. પરંતુ માત્ર ઠાલાં વચનો જ આપ્યાં."

દેવિકા કહે છે, "કેટલાક લોકો ચૅનલ સામે બોલતા, જ્યારે કેટલાક અનૌપચારિક રીતે બોલતા. ખરેખર તેમનો સંપર્ક કર્યા પછી, કેટલાક લોકો 'દેવિકા, હું તને ઓળખતો નથી' જેવી પ્રતિક્રિયા આપતા. આ એક લાંબી પ્રક્રિયા હતી."

દેવિકા કહે છે કે તેમને જિલ્લા કલેક્ટર ઑફિસમાંથી આવેલા લોકો વિશે વધુ માહિતી મળી શકી નથી.

"મને ખબર નહોતી પડી કે અધિકારીઓ કોણ હતા અથવા તેઓ શું કરી રહ્યા હતા. મને ખબર નથી કે તેઓ સરકારમાંથી આવ્યા હતા કે કયા રાજકીય પક્ષમાંથી. 2020 પહેલાં અમે લગભગ 10 વર્ષ સુધી વિવિધ રાજકીય નેતાઓ અને અન્ય લોકોને મળ્યા. હું ફક્ત એક રાજકીય પક્ષના જ નહીં, પરંતુ લગભગ તમામ પક્ષોના લોકોને મળી."

નાણાકીય સહાય માટે રાહ જોવી પડી

મુંબઈ હુમલો, દેવિકા, બીબીસી, ગુજરાતી
દેવિકા, આતંકવાદી અજમલ કસાબ, બીબીસી, ગુજરાતી, મુંબઈ હુમલો, 26-11 હુમલો, પાકિસ્તાન, ભારત, દેવિકા રોટાવન

ઇમેજ સ્રોત, BBC / Shardul Kadam

ઇમેજ કૅપ્શન, 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા' દરમિયાન સીએસએમટી રેલવે સ્ટેશન પર દેવિકાને પગમાં ગોળી વાગી હતી.

દેવિકાને પગમાં ગોળી વાગ્યા બાદ સર્જરી કરવામાં આવી હતી.

તેઓ કહે છે કે તેનું શિક્ષણ પણ મોડું શરૂ થયું હતું જ્યાં સુધી તે ફરીથી તે પગ પર ઊભી રહી શકી અને સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકી નહીં.

દેવિકા કહે છે કે તેણે સાતમા ધોરણથી શાળાનો અભ્યાસ શરૂ કર્યો હતો. તે હવે 25 વર્ષની છે અને 2024 માં આર્ટ્સમાં ગ્રૅજ્યુએશન પૂર્ણ કર્યું છે. તેણી હવે નોકરી શોધી રહી છે.

દેવિકાએ તત્કાલીન સરકારને નાણાકીય સહાય માટે અરજી પણ કરી હતી. આ પછી, તેમણે કહ્યું કે સરકારે તેમને લગભગ 10 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપી હતી.

દેવિકા, આતંકવાદી અજમલ કસાબ, બીબીસી, ગુજરાતી, મુંબઈ હુમલો, 26-11 હુમલો, પાકિસ્તાન, ભારત, દેવિકા રોટાવન

ઇમેજ સ્રોત, SABASSTIAN D'SOUZA

ઇમેજ કૅપ્શન, અજમલ કસાબ

દેવિકાએ કહ્યું, "મને તે સમયે સરકાર પાસેથી મને ઘણી મદદની અપેક્ષાઓ હતી પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. હું દોઢ વર્ષ સુધી સેવાકાર્યમાં સંઘર્ષ કરી રહી હતી. તે પછી, મને મદદ ક્યાંથી મળી? અમે આર્થિક રીતે ખૂબ જ અસ્થિર હતા."

26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં 174 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હુમલા સમયે દેવિકા, તેના પિતા અને ભાઈ સીએસએમટી રેલવે સ્ટેશન પર હતાં.

દેવિકા કહે છે, "મને હજુ પણ એ ઘટના યાદ છે. હું તે દિવસ ક્યારેય નહીં ભૂલી શકું. એ ઘટના મને આજે પણ પરેશાન કરે છે. મારી સામે ઘણા બધા લોકો માર્યા ગયા. હું સીએસટી રેલ્વે સ્ટેશન પર હતી."

તેઓ એ ઘટનાનું વર્ણન કરતાં કહે છે, "મારા પિતા અને ભાઈ મારી સાથે હતા. અમે પુણે જઈ રહ્યા હતાં. પછી અચાનક બૉમ્બ વિસ્ફોટ થયો. આ પછી, ગોળીબાર શરૂ થયો. મેં જે વ્યક્તિને જોઈ તે આડેધડ ગોળીબાર કરી રહી હતી. મને તેનો ચહેરો હંમેશાં યાદ રહેશે."

'તમારે તમારા અધિકારો માટે લડવું પડશે'

દેવિકા, આતંકવાદી અજમલ કસાબ, બીબીસી, ગુજરાતી, મુંબઈ હુમલો, 26-11 હુમલો, પાકિસ્તાન, ભારત, દેવિકા રોટાવન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુંબઈમાં તાજ હોટલ પર થયેલા હુમલાની તસવીર

આ એ આતંકવાદી હુમલો જેણે આખી દુનિયાને હચમચાવી દીધી હતી.

26/11ની રાત્રે, 10 હુમલાખોરો સમુદ્ર માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા. તેમણે બે ફાઇવસ્ટાર હોટલ, એક ધમધમતા કાફે, છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) અને યહૂદી કેન્દ્ર, નરીમાન હાઉસ પર હુમલો કર્યો. ત્યારબાદ 60 કલાક ચાલેલી અથડામણમાં 174 લોકોએ જીવ ગુમાવ્યા.

અજમલ કસાબ વિરુદ્ધ જુબાની આપવા બદલ દેવિકાના ખૂબ વખાણ થયા હતા.

દેવિકાને અત્યાર સુધીમાં ઘણા પુરસ્કારો મળ્યા છે. જોકે, આ ઘટનાએ તેનું આખું જીવન બદલી નાખ્યું.

હુમલા પછીનાં લગભગ 15 વર્ષોમાં, દેવિકાને ઘણા સારા અને ખરાબ અનુભવો થયા છે. કસાબ વિરુદ્ધ જુબાની આપવાથી લઈને ઘર મેળવવા સુધીની, આ યાત્રાએ તેને ઘણું શીખવ્યું છે. તેણે ઘણા પડકારોનો પણ સામનો કર્યો છે.

દેવિકા, આતંકવાદી અજમલ કસાબ, બીબીસી, ગુજરાતી, મુંબઈ હુમલો, 26-11 હુમલો, પાકિસ્તાન, ભારત, દેવિકા રોટાવન

ઇમેજ સ્રોત, Getty Images

આ વિશે વાત કરતાં દેવિકા કહે છે, "મેં મારું શિક્ષણ મોડું શરૂ કર્યું. મેં હવે મારું ગ્રૅજ્યુએશન પૂર્ણ કર્યું છે. ઘણા લોકો મને ચીડવતા હતા કે કસાબ જઈ રહ્યો છે, કસાબનું નામ લેવામાં આવ્યું છે. નાનાં બાળકો બાલિશ હોય છે, પણ મોટા લોકો પણ વાતો કરતા હતા."

"મેં આવા લોકો સાથે બે-ત્રણ વાર લડાઈ કરી છે. મને લાગે છે કે જીવનમાં ગમે તેટલા ઉતાર-ચઢાવ આવે, આપણે ફક્ત લડવાનું જ છે. પાછળ બેસી રહેવાથી કંઈ મળતું નથી. તમારે તમારા હકો માટે લડવું પડશે, તમારે આગળ આવીને અવાજ ઉઠાવવો પડશે."

તેઓ એમ પણ કહે છે કે આ સમય દરમિયાન તેઓ ઘણીવાર નિરાશ થયાં છે.

તેઓ કહે છે, "મેં ઘણા લોકોના ચહેરા જોયા છે. કૅમેરા સામે તેઓ શું કહેતા હતા અને પછી શું કહેતા હતા એ મેં જોયું છે. કેટલાક લોકોએ સહકાર પણ આપ્યો. જોકે, દરેક જણ આવા નથી હોતા. હું એટલું જ કહીશ કે તમારે કોઈની વાત પર તરત જ વિશ્વાસ ન કરવો જોઈએ."

દેવિકાને હવે મુંબઈના અંધેરી વિસ્તારમાં એક ઘર મળ્યું છે. તે હાલમાં તેના પરિવાર સાથે બાંદ્રામાં ભાડાના SRA બિલ્ડિંગમાં રહે છે. તે ટૂંક સમયમાં તેના નવા ઘરમાં રહેવા જશે.

મુંબઈ પોલીસનું શું કહેવું છે?

દેવિકા, આતંકવાદી અજમલ કસાબ, બીબીસી, ગુજરાતી, મુંબઈ હુમલો, 26-11 હુમલો, પાકિસ્તાન, ભારત, દેવિકા રોટાવન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કસાબને પકડવામાં આવ્યો તે ક્ષણનું ચિત્ર

આ સંદર્ભમાં મુંબઈ પોલીસ કમિશનર કચેરી દ્વારા બીબીસીને આપવામાં આવેલી માહિતી અનુસાર, 'દેવિકા અને તેમના પિતા નટવરલાલ રોટાવને કોર્ટમાં આપેલી જુબાનીમાં જણાવ્યું હતું કે તેઓ લગભગ ત્રણ વર્ષથી (2009 પહેલા) રાજસ્થાનના પાલી જિલ્લામાં રહેતા હતા.'

"મુંબઈના બાંદ્રામાં કામચલાઉ ધોરણે રહેતા હોવાનું પણ કહેવાય છે. CSMT રેલવે સ્ટેશન પર બનેલી ઘટનામાં કુલ 52 લોકો મૃત્યુ પામ્યાં હતાં અને 108 ઘાયલ થયા હતા. આ ઘટનાના કુલ 380 સાક્ષીઓ હતા. તેમાંથી 177 સાક્ષીઓ પ્રત્યક્ષદર્શી હતા."

"કેટલાક સાક્ષીઓની જુબાની કોર્ટમાં રૂબરૂ લેવામાં આવી હતી. કેટલાક સાક્ષીઓની જુબાની સોગંદનામા દ્વારા નોંધવામાં આવી હતી. કસાબને ફક્ત દેવિકાની જુબાનીને કારણે જ ફાંસી આપવામાં આવી હતી એ વાત ખોટી છે. હકીકતમાં, સરકારી પક્ષે કોર્ટમાં કુલ 654 સાક્ષીઓની તપાસ કરી હતી."

"મૃત્યુદંડની સજા સદરના સાક્ષીઓની જુબાની, સરકાર દ્વારા રજૂ કરાયેલા ટૅકનિકલ પુરાવા, સીસીટીવી ફૂટેજ, કસાબ અને અબુ ઇસ્માઇલના બે પત્રકારો દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ, ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા તપાસ, કોર્ટમાં કસાબની કબૂલાત, ટ્રાયલ કોર્ટમાં આપવામાં આવેલી કબૂલાત વગેરેના આધારે આપવામાં આવી હતી."

દેવિકા, બીબીસી, ગુજરાતી દેવિકા, આતંકવાદી અજમલ કસાબ, બીબીસી, ગુજરાતી, મુંબઈ હુમલો, 26-11 હુમલો, પાકિસ્તાન, ભારત, દેવિકા રોટાવન

ઇમેજ સ્રોત, BBC / Shardul Kadam

ઇમેજ કૅપ્શન, દેવિકા કહે છે કે હુમલા પછી અને જુબાની આપ્યા પછી, ઘણા લોકોએ તેને મદદ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ જ્યારે તેણીએ મદદ માંગી ત્યારે લોકોએ મોં ફેરવી લીધું હતું.

અરજીના સંદર્ભમાં કોર્ટે આપેલા ચુકાદામાં કહેવાયું છે કે "આતંકવાદી હુમલામાં ઘાયલ થયા બાદ દેવિકાને સરકાર દ્વારા જાહેર કરાયેલી જાહેરાત મુજબ જિલ્લા કલેક્ટર કચેરી તરફથી તબીબી અને નાણાકીય સહાય મળી છે. બૉમ્બે હાઇકોર્ટમાં ઘર માટે દાખલ કરાયેલી તેમની અરજીની સુનાવણી દરમિયાન આ વાત કહેવામાં આવી હતી."

દેવિકાએ સરકાર પાસેથી ઘર મેળવવા માટે અરજી દાખલ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે આતંકવાદી હુમલાની સાક્ષી છે. બૉમ્બે હાઇકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે સરકારે આ અરજી અનુસાર દેવિકાને ફ્લૅટ આપવાનો નિર્ણય લીધો છે.

કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે "સરકારી વકીલોએ 12 માર્ચ, 2024 ના રોજ મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગના અધિક સચિવ તરફથી મળેલો પત્ર રજૂ કર્યો છે. તેમાં, તેમને જાણ કરવામાં આવી છે કે માનનીય ગૃહમંત્રીએ આર્થિક રીતે નબળા વિભાગ (EWS) શ્રેણી હેઠળ ખાસ કેસ તરીકે અરજદારને ફ્લૅટ ફાળવવાની મંજૂરી આપી છે."

"આ ફ્લૅટ મ્હાડા અથવા એસઆરએ પાસે ઉપલબ્ધ ફ્લૅટમાંથી મંજૂર કરવામાં આવશે. માનનીય મંત્રી દ્વારા અરજદારને ફ્લૅટ ફાળવવાના નિર્ણયની અમે હૃદયપૂર્વક પ્રશંસા કરીએ છીએ. અમારા મતે, આ પગલાથી અરજદારને સાચો ન્યાય મળશે."

મુંબઈ પોલીસ કમિશનર કચેરીનું કહેવું છે કે રિટ પિટિશનના એક આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દેવિકાને સરકાર તરફથી વળતર તરીકે 13 લાખ 26 હજાર રૂપિયાની રકમ મળી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન