ઈરાનનું જહાજ શ્રીલંકા નજીક ડૂબી ગયું, અંદાજે 180 લોકો સવાર હતા

ઇમેજ સ્રોત, Mashregh News / File Photo
શ્રીલંકાની નૌસેના અને સંરક્ષણ મંત્રાલયનાં સૂત્રોએ સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું છે કે શ્રીલંકાના સમુદ્રકાંઠાની નજીક એક ઈરાન જહાજ પર સબમરીનથી થયેલા હુમલામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત અને ગુમ થઈ ગયા છે.
કહેવાઈ રહ્યું છે કે જહાજ પર લગભગ 180 લોકો સવાર હતા.
શ્રીલંકાની નૌસેનાના એક પ્રવક્તાએ રૉયટર્સને કહ્યું કે હુમલામાં 101 લોકો ગુમ થયા હોવાના સમાચાર સાચા નથી અને ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 32 લોકોને શ્રીલંકા નૌસેનાએ બચાવી લીધા છે અને હૉસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર, જહાજ સંપૂર્ણપણે ડૂબી ચૂક્યું છે.
શ્રીલંકાના વિદેશમંત્રીએ આ પહેલાં સંસદમાં જાહેરાત કરી હતી કે નૌસેનાએ જહાજમાંથી સહાયની વિનંતી સામે પ્રતિક્રિયા આપી હતી અને સ્થાનિક સમયાનુસાર સવાર છ વાગ્યે બચાવ અભિયાન શરૂ કરી દીધું હતું.
શ્રીલંકાના વિદેશમંત્રી વિજિતા હેરાથે સંસદને જણાવ્યું કે "આઇઆરઆઇએસ ડેના" નામના જહાજમાંથી સવારે ઇમર્જન્સી સંકેત મળ્યો.
સૂત્રો મુજબ, હૉસ્પિટલ લઈ જવાયેલા લોકો પૈકી એકનું મૃત્યુ થયું છે.
તેમજ, શ્રીલંકાના વિપક્ષના એક સાંસદે સવાલ ઉઠાવ્યો કે ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઇઝરાયલના હુમલા અંતર્ગત આ જહાજ પર બૉમ્બમારો કરાયો હતો કે કેમ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાને પણ અમેરિકન ઠેકાણાં પર હુમલા વધુ તીવ્ર કર્યા?

ઇમેજ સ્રોત, Fadel SENNA / AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ દરમિયાન કતારના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે ઈરાને કતારને બે બૅલિસ્ટિક મિસાઇલથી નિશાન બનાવ્યું છે.
તેમાંથી એક મિસાઇલને કતારની ઍર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડી, જ્યારે બીજી મિસાઇલ અલ ઉદૈદસ્થિત અમેરિકન વાયુસેના મથક પર પડી. આ એ ક્ષેત્રમાં અમેરિકાનો સૌથી મોટો સૈન્ય અડ્ડો છે.
કતારનું કહેવું છે કે આ હુમલામાં કોઈએ જીવ ગુમાવ્યો નથી.
તેમજ ઇઝરાયલ ડિફેન્સ સિસ્ટમ (આઇડીએફ)ના અરબી ભાષાના પ્રવક્તા અવિચાય અદરઈએ કહ્યું કે ઇઝરાયલે તહેરાનમાં ઘણાં ઠેકાણાં પર હુમલો કર્યો છે.
આ હુમલામાં બસીઝ મુખ્યાલયને નિશાન બનાવાયું, જે ઈરાનના રિવૉલ્યૂનરી ગાર્ડ્સ સાથે સંકળાયેલ એક અર્ધસૈનિક દળ છે.
આ સિવાય મિસાઇલ લૉન્ચ પૅડ અને સંરક્ષણ પ્રણાલીઓને પણ નિશાન બનાવાયાં.
તેમણે કહ્યું કે આઇડીએફ ઈરાની શાસનની માળખાકીય સુવિધાઓ પર પોતાના હુમલા "વધુ તીવ્ર" કરતો રહેશે.
શનિવારે અમેરિકા-ઇઝરાયલના હુમલા શરૂ થયા બાદથી ઈરાને આખા ક્ષેત્રમાં અમેરિકન ઠેકાણાં અને તેના સહયોગીઓ પર હુમલા કર્યા છે.
બીબીસી વેરિફાયે એક વીડિયો ફૂટેજ વેરિફાઇ કર્યું છે. તેમાં મંગળવાર સાંજે ડ્રોન હુમલા બાદ દુબઈસ્થિત અમેરિકન વાણિજ્ય દૂતાવાસ ઇમારતમાં આગ લાગતી દેખાઈ રહી છે.
એક વીડિયો, જે વાણિજ્ય દૂતાવાસથી અમુક મીટર દૂરના એક ચાર રસ્તેથી ફિલ્માવાયો છે, તેમાં એક ડ્રોન ઇમારતથી અથડાતું દેખાઈ રહ્યું છે.
મંગળવારે રાત્રે પત્રકારો સાથે વાતચીત કરતા અમેરિકન વિદેશમંત્રી માર્કો રુબિયોએ પુષ્ટિ કરી કે એક ડ્રોન વાણિજ્ય દૂતાવાસની મુખ્ય વહીવટી ઇમારત પાસે સ્થિત "પાર્કિગ સ્પેસ"માં પડ્યું.
રુબિયોએ કહ્યું, "અમે ઘણા નસીબદાર રહ્યા છીએ, પરંતુ અમારાં દૂતાવાસ અને રાજદ્વારી પ્રતિષ્ઠાન એક આતંકવાદી શાસનના સીધા હુમલાના નિશાન પર છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












