ભારતનું ઑપરેશન સિંદૂરઃ 10 તસવીરોમાં જુઓ ભારતે પાકિસ્તાનમાં જ્યાં હુમલા કર્યા ત્યાં કેવાં દૃશ્યો જોવા મળ્યાં?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં ભારતીય મિસાઇલ હુમલામાં એક ધાર્મિકસ્થળ ધ્વસ્ત થઈ ગયું છે. તેને જોવા માટે આંતરરાષ્ટ્રીય મીડિયા પહોંચ્યું છે.
ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પર હવાઈ હુમલા કર્યા તેના કારણે ઇમારતોને ભારે નુકસાન થયું છે અને પાકિસ્તાન સરકારના કહેવા પ્રમાણે 31 લોકો પણ માર્યા ગયા છે અને 57 લોકો ઘાયલ થયા છે.
ભારતે કેટલી જગ્યાએ હુમલા કર્યા તેની સંખ્યા વિશે બંને દેશો અલગ અલગ દાવા કરે છે. ભારતના દાવા પ્રમાણે તેણે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં કુલ નવ જગ્યાએ હુમલાઓ કર્યા જ્યારે કે પાકિસ્તાનના દાવા પ્રમાણે ભારતે કુલ છ જગ્યાએ હુમલાઓ કર્યા.
પાકિસ્તાનમાં હવાઈ હુમલા પછી ત્યાં કેવી હાલત છે તે આ 10 તસવીરોમાં જોઈ શકાય છે.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના કોટલી જિલ્લામાં એક ધાર્મિકસ્થળ પર હુમલા પછી મોટા પાયે નુકસાન થયું છે.
બીજી તરફ ભારતે કહ્યું કે પાકિસ્તાન તરફથી કરાયેલા ગોળીબારમાં ભારતના ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, લાહોરથી 30 કિમી દૂર આવેલ મુરીદકે શહેરમાં સરકારી આરોગ્ય અને શિક્ષણ પરિસર તરીકે ઓળખાવાતી ઇમારત ધ્વસ્ત થઈ ગઈ છે
આ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે રાષ્ટ્રને નામ સંબોધનમાં કહ્યું કે 'ભારતે આક્રમણ કરીને જે ભૂલ કરી છે તેનાં ગંભીર પરિણામ ભોગવવા પડશે.'
ઇમેજ કૅપ્શન, મુરીદકે શહેરમાં એક ઇમારત પર ભારતના મિસાઈલ હુમલા બાદ આખું માળખું કાટમાળમાં ફેરવાઈ ગયું છે.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, લાહોર નજીક મુરીદકેમાં સરકારી આરોગ્ય પરિસર પર હુમલા બાદ ભારે નુકસાન થયું છે. લોકો તેમાંથી પોતાનો માલસામાન ખસેડી રહ્યા છે.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના કોટલી જિલ્લામાં હુમલા પછી ઘર અને વાહનોના ભુક્કા બોલી ગયા હતા.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, મુરીદકેમાં એક ઇમારત મિસાઇલ હુમલામાં મોટા ભાગે ધ્વસ્ત થઈ ગઈ છે, ભારતનો દાવો છે કે આ ઇમારતનો ઉપયોગ ચરમપંથી કરતા હતા.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બહાવલપુર નજીક અહમદપુર શરકિયામાં એક ધાર્મિકસ્થળને હુમલામાં નુકસાન થયું છે.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, મુઝફ્ફરાબાદમાં ભારતીય હુમલા પછી એક ધાર્મિક ઇમારત નુકસાન પામી છે. આસપાસ તેનો કાટમાળ ફેલાયો જોઈ શકાય છે.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનમાં ભારતના હવાઈ હુમલા પછી પાકિસ્તાનમાં નાગરિકોને એ જાણવામાં રસ છે કે રાતે કઈ રીતે ઘટના ઘટી હતી. રાવલપિંડી શહેરમાં લોકો સવારે અખબાર વાંચી રહ્યા છે.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ભારતના મિસાઈલ હુમલામાં મરકઝ તૈયબા કૉમ્પ્લેક્સમાં ભારે નુકસાન થયું હતું જે સેટેલાઈટ તસવીરમાં જોઈ શકાય છે.