લિબિયામાં આવેલા પ્રચંડે પૂરે આખા શહેરને તબાહ કરી નાખ્યું- ગ્રાઉન્ડ રિપોર્ટ

- લેેખક, અન્ના ફોસ્ટર
- પદ, બીબીસી ન્યૂઝ, ડેરના
બેનગાઝીથી સડક માર્ગે જતાં ખેતરો લાલ સરોવરમાં પરિવર્તિત થયેલાં દેખાય છે.
પૂરના પાણીના વહેણથી ઊખડી ગયેલા ટેલિફોનના થાંભલાઓ હાલ આડેધડ પડેલા છે. હાઇવે પર ઉતાવળે ખોદાયેલા રસ્તાઓ અને ખાડાઓની આસપાસ વાહનો અવરજવર કરતા રહે છે.
ડેરના પાસેના પુલો એક એક કરીને સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. સ્થાનિક લોકો ઊબડખાબડ રસ્તા પર ઊભા રહીને તસવીરો ખેંચી રહ્યા છે.
થોડે આગળ, સૈનિકો દરેક કારના ડ્રાઇવર અને મુસાફરોને ફેસ માસ્ક આપી રહ્યા છે. બીજી દિશામાં જતા દરેક મુસાફર અને ડ્રાઇવરે માસ્ક પહેર્યાં છે. તમને જલદી જ ખબર પડશે કે આવું શા માટે કરવામાં આવી રહ્યું છે.


મૃતદેહોમાંથી આવતી દુર્ગંધ

શહેરના કેટલાક ભાગોમાં મૃતદેહોમાંથી આવતી દુર્ગંધનું વર્ણન કરવું લગભગ અશક્ય લાગે છે.
આ ગંધ તમારા નાકની નળીઓને ભરી દે છે. કેટલીક ગટરની દુર્ગંધ તો એવી વસ્તુઓની છે જેને ઓળખવી મુશ્કેલ છે.
કેટલીક વાર આ દુર્ગંધ એટલી તીવ્ર હોય છે કે પેટમાં દુખાવો થવા લાગે છે. ખાસ કરીને જ્યારે તમે પૉર્ટ તરફ જોતા ઊભા હો અને રિકવરી ટીમો મને કહે છે કે મૃતદેહોને અત્યારે ધોવાઈ રહ્યા છે.
તે દિવસે સવારે તેમને ત્રણ મૃતદેહ મળ્યા હતા. સમુદ્ર આ મૃતદેહને કિનારે તાણી લાવ્યો હતો. મૃતદેહ કાટમાળના ઢગલામાં ફસાયેલા સડી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તૂટેલું લાકડું, ઉપર ચડતી અને નીચે ઊતરતી ગાડીઓ, ટાયર, ફ્રીઝ - બધું જ સ્થિર પાણીમાં ભળી જાય છે અને ફરતું રહે છે. ડેરનામાંથી જે તસવીરો અને વીડિયો સામે આવ્યાં છે તે ખૂબ જ જીવંત અને ચોંકાવનારાં છે.
પરંતુ તેને જોયા પછી તમને ખ્યાલ આવશે કે પૂરના કારણે આ જગ્યાને કેટલું નુકસાન થયું છે. આ માટીના ઢગલા પર કંઈ જ બચ્યું નથી. અત્યારે આ ઉજ્જડ જમીન છે. પાણીની વિનાશક શક્તિ પ્રચંડ છે.

જાણે આખું જીવન તણાઈ ગયું

ગાડીઓ રમકડાંની જેમ આમ-તેમ પડેલી છે. એક અલ સહાબા મસ્જિદની આસપાસની છતની અંદર સંપૂર્ણપણે ઘૂસી ગઈ છે. બીજી સંપૂર્ણપણે જમીનની બહાર છે, જે બિલ્ડિંગની બાજુએ પડેલી છે.
મોટા કૉંક્રિટના બ્લૉકથી બનેલી દીવાલો ધરાશાયી થઈ ગઈ છે. મજબૂત વૃક્ષો ઊખડી ગયાં છે. તેનાં મૂળિયાં અધ્ધર છે. બાકીનું બધું પૂરું થઈ ગયું છે.
એવું નથી કે ડેરનામાં માત્ર હજારો લોકો જ તણાઈ ગયા. તેમનાં ઘર, તેમની સંપત્તિ, તેમના જીવન પણ ધોવાઈ ગયાં છે. ડેરના આ ભાગમાંથી માનવજીવન સાફ થઈ ગયું છે.
આ વિનાશમાંથી બચી ગયેલા લોકોનું જીવન હંમેશ માટે બદલાઈ ગયું છે. ત્યાંના લોકોમાં ભારે દર્દ અને ગુસ્સો છે.

લોકોની પીડા અને ગુસ્સો

ફારિસ ખસરે પાણીના જોરદાર પ્રવાહમાં તેમના પરિવારના પાંચ સભ્યો ગુમાવ્યા છે. તેઓ રડતા કહે છે, "અમને અમારા ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવે છે. પણ કેમ? અમને જણાવવું જોઈતું હતું કે વાવાઝોડું આવ્યું છે અને ડૅમ જૂનો છે અને તૂટી રહ્યો છે."
તેઓ કહે છે, "નાશ પામેલી કેટલીક ઇમારતો સેંકડો વર્ષ જૂની છે. આ બધું રાજકારણ છે. પશ્ચિમમાં સરકાર છે, પૂર્વમાં પણ સરકાર છે. આ એક મોટી સમસ્યા છે.''
ફારિસના પરિવારમાં મૃત્યુ પામેલા લોકોમાં તેમની 10 મહિનાની પુત્રી પણ હતી. તેઓ મને તેમની પુત્રીના ફોટો બતાવવા માટે તેનો ફોન ઉપાડે છે. તે પહેલા જીવંત પુત્રીના ફોટો બતાવે છે અને પછી કાળજીપૂર્વક ધાબળામાં લપેટેલા તેના મૃત શરીરનો. તેમનો ચહેરો તેમની આપવીતી દર્શાવે છે."
અમે વાત કરી રહ્યા હતા તે સમયે મંત્રીઓનો કાફલો આપત્તિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રહ્યો હતો. તેઓ પૂર્વીય સરકારમાંથી હતા. જે લિબિયાની બે વિરોધી સરકારોમાંથી એક છે. તેમની લડાઈએ દેશના મૂળભૂત ઢાંચાને નષ્ટ કરી દીધો છે.
ફારિસનો દાવો છે કે આ પૂર તેમના પરિવાર માટે ઘાતક સાબિત થયું છે.
બચી ગયેલા લોકોની સમસ્યાઓ

મેં સરકારના પૂર્વ વડા પ્રધાન ઓસામા હમાદને પૂછ્યું હતું કે ડૅમોથી તો લોકો સુરક્ષિત રહેવા જોઈએ, તો આવું કેવી રીતે થઈ શકે?
તેમણે મને કહ્યું, "આ ખૂબ જ પ્રચંડ વાવાઝોડું હતું." તે ડૅમ સામે ખૂબ મજબૂત સાબિત થયું. આ પ્રકૃતિ અને અલ્લાહ છે.”
ડેરનાને સંપૂર્ણ ખાલી કરાવવા અંગે શેરીઓમાં અફવા ફેલાઈ રહી છે.
જે લોકો શહેરમાં બચી ગયા છે તેઓ પીવાના શુદ્ધ પાણી અને તબીબી સંભાળ જેવી વસ્તુઓના અભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.
વિનાશક વાવાઝોડાના લગભગ એક અઠવાડિયા પછી ડેરનામાં બચી ગયેલા લોકો સામેના પડકારો વધી રહ્યા છે.














