You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેપાળમાં વાવાઝોડાને કારણે 30 લોકોનાં મૃત્યુ, 600 લોકો ઘાયલ
નેપાળના દક્ષિણ વિસ્તારમાં વાવાઝોડાને કારણે 30 લોકોનાં મૃત્યુ અને 600 લોકો ઘાયલ થયાં છે.
નેપાળના ગૃહ મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર રવિવારે સાંજે આવેલા તોફાનને કારણે બદારા અને પરસા જિલ્લો પ્રભાવિત થયો છે.
આ કુદરતી આફત બાદ સરકારે તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડવાનું શરૂ કર્યું છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા રામ કૃષ્ણા સુબેદી અનુસાર ચાર ટ્રકમાં સૈનિકોને જરૂરી સામાન સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી દેવામાં આવ્યા છે.
સુબેદીએ એવું પણ જણાવ્યું છે કે ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ત્રણ લાખની સહાયની જાહેરાત
બીબીસી નેપાળી સેવા સાથેની વાતચીતમાં સુબેદીએ કહ્યું કે પીડિતોની મદદ માટે સૈન્ય હેલિકૉપ્ટરની મદદ પણ તૈયાર છે.
નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રવિવારે રાત્રે 10.37 વાગે આ અંગે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે 25 લોકોનાં મૃત્યુ અને 4 હજાર લોકો ઈજાગ્રસ્ત થવું આંચકાસમાન છે.
ચીફ જસ્ટિસ ઑફ સ્ટેટ દિપેન્દ્ર ઝાકા મુજબ ભાલુ, ભાવલિયા અને ફાટા સૌથી પ્રભાવિત થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વાવઝોડાને કારણે હજારો લોકો બેઘર બન્યાં છે.
ગંભીર રીતે ઘાયલ થયેલા સાત લોકોને રાજધાની કાંઠમાંડૂ ખસેડવામાં આવ્યા છે.
રાજય સરકારે જીવ ગુમાનનારા લોકોના પરિવારને ત્રણ લાખની સહાયની જાહેરાત કરી છે અને ઘાયલ લોકોની તમામ સારવારની ખાતરી આપી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો