આસામના પૂરથી બચેલા લોકોનું જીવન વેરવિખેર, તસવીરોમાં...

ઉત્તર-પૂર્વ ભારતના રાજ્ય આસામમાં અત્યાર સુધીના સૌથી ભયંકર પૂરે તબાહી મચાવી છે. આ પૂરના કારણે લાખો લોકો અસરગ્રસ્ત થયા છે અને હજારો લોકો નિરાશ્રિત બન્યા છે.
બીબીસીના અંશુલ વર્માએ તાજેતરમાં સિલ્ચર શહેરના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે હજારો લોકોને ખોરાક, દવાઓ તેમજ પીવાના પાણી સુધી પહોંચવા માટે સંઘર્ષ કરતા જોયા હતા.
લોકો રાહત કૅમ્પ સુધી પહોંચવા માટે રબર બોટ્સ, તરાપા કે પછી પરિવહનના કોઈપણ માધ્યમ માટે વલખા મારતા નજરે પડ્યા હતા. ઘણા લોકોએ કહ્યું કે તેઓ વૃદ્ધોને બહાર કાઢવા અને પરિવારના બીમાર સભ્યોને હૉસ્પિટલ સુધી પહોંચાડવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ભારતીય સેના અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ હાલ આસામમાં રાહતકાર્ય હાથ ધરી રહી છે.
તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી રહેવાસીઓને બહાર કાઢી રહ્યા છે અને તેમના માટે રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે.
આસામની ડિઝાસ્ટર મૅનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં વિવિધ રાહત કૅમ્પોમાં 1,48,000થી વધુ લોકો આશરો મેળવી રહ્યા છે.
જોકે, આ રાહત કૅમ્પોમાં પરિસ્થિતિ ભયાવહ છે. મોટાભાગના કૅમ્પ શાળાઓમાં બનાવવામાં આવ્યા છે. અહીં નાનકડી જગ્યામાં ઘણા પરિવારોને રાખવામાં આવ્યા છે. કેટલાક ઓરડાઓમાં 30થી વધુ લોકો આશરો મેળવી રહ્યા છે.
આ રાહત કૅમ્પોમાં પણ પીવાનું પાણી એ સૌથી મોટી સમસ્યા છે. મોડીરાત્રે ઘરોમાંથી નીકળતી વખતે ઈજાગ્રસ્ત થયેલા લોકોએ જણાવ્યું હતું કે તેઓ કૅમ્પમાં તબીબી સારવાર મેળવી શક્યા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણા લોકોએ એમ પણ કહ્યું કે તેઓ પોતાનું ઘર છોડીને આવ્યા છે અને તેમણે પૂરમાં ઓળખના દસ્તાવેજો પણ ગુમાવી દીધા છે.









તસવીરો : અંશુલ વર્મા
આલેખન : મૅરિલ સૅબેસ્ટિયન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













