You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપની જીતના દાવા સાથે બીબીસીના નામે ફરતો સર્વે ફેક છે
લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન સમયે બીબીસીને નામે એક ફેક સર્વે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
બીબીસીની વેબસાઇટની લિંક સાથે ફેલાવાવમાં આવી રહેલા આ ફેક ન્યૂઝમાં કથિત રીતે અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈને ટાંકીને ભાજપના વિજયનો દાવો કરવામાં આવ્યો છે.
બીબીસી ભારતમાં ચૂંટણીઓ પહેલાં કે ચૂંટણી બાદ આવા કોઈ પણ પ્રકારના સર્વે કરતી નથી.
તેથી જો તમારી પાસે બીબીસીના નામે કોઈ પણ આવો ચૂંટણીલક્ષી સર્વે આવે તો તેને સાચો ગણવો નહીં.
શું છે આ સર્વેમાં?
આ ફેક ન્યૂઝમાં બીબીસીની વેબસાઈટની લિંક મૂકવામાં આવી છે. બીબીસીએ આવો કોઈ સર્વે કર્યો નથી કે કરાવ્યો નથી.
મૂકેલી લિંકને ક્લિક કરતાં બીબીસીનું હોમ પેજ ખૂલે છે પરંતુ આવા કોઈ જ સમાચાર બીબીસીએ છાપ્યા નથી.
આ ખોટા સમાચારમાં જો ભાજપનું પ્રદર્શન ખરાબ રહે તો 323 બેઠકો અને પ્રદર્શન સારૂં રહે તો 380 બેઠકો મળવાનો દાવો કરવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉપરાંત રાજ્ય મુજબ ભાજપને કેટલી બેઠકો મળશે તેનું વિવરણ પણ આપવામાં આવ્યું છે.
જેમાં ભાજપ ગુજરાતમાં 26 લોકસભા બેઠકમાંથી 24થી 25 બેઠક જીતશે તથા ઉત્તર પ્રદેશમાં 45થી 70 બેઠક જીતશે એવો દાવો કરાયો છે.
આ જ રીતે અલગ અલગ રાજ્યમાં લઘુત્તમ અને મહત્ત્મ ભાજપને મળનારી બેઠકોનો દાવો કરવામાં આવ્યો છે.
સર્વેના અંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં સૌથી વધુ લોકપ્રિય નેતા છે એમ પણ કહેવામાં આવ્યું છે.
આથી તમામ વાચકોને અમે જણાવીએ છીએ કે બીબીસીના નામથી વૉટ્સઍપ પર ફરી રહેલો આ સર્વે ફેક છે.
ઘણી વખત આવો સર્વે કૉંગ્રેસ જીતશે એવી રીતે પણ શૅર થતો હોય છે. જોકે, બીબીસી આવા કોઈ સર્વે કરતી નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો