બિપરજોય વાવાઝોડાની અસર શરૂ, તોફાન પહેલાં દૃશ્યો જુઓ તસવીરોમાં

ઇમેજ સ્રોત, PAVAN JAYSWAL
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રે ગુજરાતના કાંઠા વિસ્તારો તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડા અંગેની માહિતી મીડિયા સાથે શૅર કરી હતી.
તેમણે પત્રકારપરિષદમાં કહ્યું હતું કે, “વાવાઝોડું લૅન્ડફોલ થવાની શરૂઆત ગુરુવારે સાંજે છ વાગ્યા પછીથી શરૂ થશે, જે મધ્ય રાત્રિ સુધી ચાલુ રહેશે. વાવાઝોડું ટકરાશે એ વખતે પવનની ગતિ 120-130 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. એક તબક્કે તે વધીને 145 કિલોમિટર પ્રતિ કલાક થઈ શકે છે.”
“હાલ મળી રહેલ વિગતો અનુસાર વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી બંદર વચ્ચે કચ્છના જખૌ બંદર પાસે ત્રાટકશે.”

ઇમેજ સ્રોત, Aman Studio, Kandla
વાવાઝોડાને પગલે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને રાહતશિબિરોમાં સુરક્ષિત ખસેડાયા છે.

ઇમેજ સ્રોત, Aman Studio, Kandla
વાવાઝોડું બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોવાથી ઘણાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા છે. રાહતશિબિરોમાં તેમની રહેવા-ખાવાની વ્યવસ્થા રાહતશિબિરોમાં જ કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
દ્વારકામાં બીચ પર વ્યાપક નુકસાન. દરિયાકિનારે 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દ્વારકાના દરિયાકિનારે કેબીનો અને શેડને નુકસાન થયું છે. લારીઓ-ગલ્લા પણ ફંગોળાઈ ગયાં છે.

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
બેટ દ્વારકાની જેટી પર બિપરજોયની અસર થતાં જૅટી પર પાણી ફરી વળ્યાં.

ઇમેજ સ્રોત, DILIP MORI
ઓખા બંદરે પણ વાવાઝોડાના લીધે દરિયાનાં પાણી અંદર ઘૂસી ગયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ઘણાં સ્થળે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો છે. રાજકોટમાં પણ સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે.

ઇમેજ સ્રોત, DILIP MORI
ગીર સોમનાથના દરિયાકિનારા પર તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિમાં વધારા સાથે દરિયામાં મોટાં મોજાં ઊછળી રહ્યાં છે. ઊંચાં મોજાંના કારણે બંદર પર ખાનગી કંપની અને માછીમારની બૉટને નુકસાન પણ થયું છે.














