યુપીમાં ભાજપે લગભગ અડધી બેઠકો કેવી રીતે ગુમાવી દીધી, અખિલેશની કઈ રણનીતિ ભારે પડી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
એક જૂનના રોજ જયારે છેલ્લા તબ્બકાના મતદાન બાદ શનિવારે સાંજે ઍક્ઝિટ પોલ્સ આવ્યા ત્યારે એવું લાગ્યું હતું કે ઉત્તર પ્રદેશની લડાઈ એક તરફી છે.
પરંતુ સ્થિતિ એ છે કે અયોધ્યામાં જ્યાં ભાજપે રામમંદિરને લઈને આટલો બધો પ્રચાર કર્યો ત્યાં સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા ભાજપના લલ્લુ સિંહને પર ભરી પડી ગયા.
તમામ ઍક્ઝિટ પોલમાં ભાજપને લગભગ 70 સીટો આપવામાં આવી હતી. પરંતુ મંગળવારે જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે ઉત્તર પ્રદેશે અલગ જ વાર્તા કહેવાનું શરૂ કર્યું.
જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 400ને પાર કરવાનો નારો આપ્યો હતો ત્યારે ભાજપની ઇચ્છા ઉત્તર પ્રદેશમાંથી વધુમાં વધુ સીટો જીતવાની હતી પરંતુ તેમ થયું નથી.
યુપીમાં 33 બેઠકો ભાજપે અને ઇન્ડિયા ગઠબંધને 43 બેઠકો મેળવી છે.
બે બેઠકો પર આરએલડીને જીત મળી છે અને તેઓ એનડીઓનો ભાગ છે.
એટલે એનડીએને 35 બેઠકો પર જીત મળી છે. આનું પરિણામ છે કે ભાજપ પૂર્ણ બહુમતી નથી મેળવી શક્યો.
543 બેઠકોવાળી લોકસભામાં ભાજપને પૂર્ણ બહુમતી માટે 272 બેઠકો જોઈએ છે પરંતુ તેની પાસે 240 બેઠકો છે. ગત લોકસભામાં ભાજપને 303 બેઠકો પર વિજય મળ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વખતે સમાજવાદી પાર્ટીએ યુપીમાં 62 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા અને કૉંગ્રેસે 17 બેઠકો પર. સમાજવાદી પાર્ટી 62માંથી 37 બેઠકો જીતી છે ત્યારે કૉંગ્રેસ 17 બેઠકોમાંથી છ બેઠકો જીતી છે.
2019માં સામાન્ય ચૂંટણીમાં ભાજપને યુપીમાં 62 બેઠકો મળી હતી. બહુજન સમાજ પાર્ટીને 10,સમાજવાદી પાર્ટીને પાંચ, અપના દલ (સોનેલાલ)ને બે અને કૉંગ્રેસને એક સીટ મળી હતી.
પરંતુ આ વખતે યુપીમાં ભાજપ 2019 જેવું પ્રદર્શન નથી કરી શક્યો. સ્મૃતિ ઈરાની અમેઠીમાં લગભગ એક લાખ 67 હજાર મતોથી હારી ગયાં છે. ગાંધી-નહેરુ પરિવારના વફાદાર કિશોરીલાલ શર્મા સામે સ્મૃતિ ઈરાની આ વખતે ટકી ન શક્યાં.
મોદી માટે કેટલે મોટો ઝટકો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2019માં, જ્યારે ભાજપે સ્મૃતિ ઈરાની દ્વારા રાહુલ ગાંધીને હરાવ્યા હતા, ત્યારે એક સંદેશ મોકલવામાં આવ્યો હતો કે નહેરુ-ગાંધી પરિવારના વારસદારને તેમના ગઢમાં ભાજપનાં એક સામાન્ય નેતાએ પરાજય આપ્યો હતો.
આ વખતે રાહુલ ગાંધી પોતે સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી લડ્યા નથી, તેના બદલે સામાન્ય કાર્યકરને મેદાનમાં ઉતારીને જીત્યા છે.
શરૂઆતનાં વલણમાં વડા પ્રધાન મોદી પણ બનારસથી પાછળ હતા પરંતુ ટૂંક સમયમાં જ તેમણે લીડ મેળવી લીધી. પરંતુ આ વખતે વારાણસીમાંથી મોદીને કેટલી મોટી જીત મળે છે તે જોવું રહ્યું.
2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વારાણસીમાં લગભગ ચાર લાખ 80 હજાર મતોથી જીત્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને બનારસમાં 63 ટકા વોટ મળ્યા હતા.
2014માં મોદીને બનારસમાં કુલ 5,81,022 વોટ મળ્યા હતા, જે બનારસમાં કુલ વોટના 56 ટકા હતા. જ્યારે અરવિંદ કેરજીવાલને 2,09,238 મળ્યા હતા. પરંતુ આ વખતે વડા પ્રધાન મોદીને એટલી મોટી જીત મળી નથી, તેઓ લગભગ દોઢ લાખની લીડથી વારાણસીની બેઠક જીત્યા છે.
ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે જ્યાંથી સત્તાધારી અને વિપક્ષ બંને પક્ષોની મહત્ત્વની હસ્તીઓ મેદાનમાં હતી. વડા પ્રધાન મોદી વારાણસથી જ્યારે રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા હતા. રાજનાથ સિંહ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ ઉપરાંત તેમનાં પત્ની ડિમ્પલ યાદવ પણ લખનૌથી ચૂંટણી મેદાનમાં હતાં.
સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસે ઉત્તર પ્રદેશમાં આર્થિક તંગી, ખેતી-ખેડૂત, અને બંધારણને નબળું પાડવાના મુદ્દાને જોર-શોરથી ઉઠાવ્યા હતા. બંને પાર્ટીઓના લોકો વચ્ચે અનામતના મુદ્દા પણ ઊઠયા હતા.
કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનો આરોપ હતો કે કે ભાજપ અનામત ખતમ કરવા માગે છે. આ સાથે રાહુલ ગાંધીએ ભારતીય સેનામાં ભરતી માટેની અગ્નિવીર યોજના પર પણ સવાલો ઉઠાવ્યા હતા. અગ્નિવીર પ્રત્યે યુવાનોમાં ગુસ્સો ઘણી વખત રસ્તાઓ પર પણ જોવા મળ્યો હતો.
ઉત્તર પ્રદેશના વરિષ્ઠ પત્રકાર શરત પ્રધાન કહે છે કે યુપીમાં ભાજપનું માત્ર 33 સીટો પર સમેટાય જવું માત્ર વડા પ્રધન મોદી માટે ઝાટકો જ નથી પરંતુ, મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ માટે પણ ખરાબ સમાચાર છે.

યોગી પર કેવી અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
શરત પ્રધાન કહે છે કે, "મને લાગી રહ્યું હતું કે ભાજપને 50 બેઠકો મળી જશે, પરંતુ 33 સીટો પર સમેટાઈ જવું બતાવે છે કે વડા પ્રધાન મોદી અને અમિત શાહના ઘમંડને લોકોએ નકારી કાઢયો છે. વિરોધ પક્ષો દલિતો, પછાત જાતિઓ અને ઉદાર લોકશાહીમાં માનતા સામાન્ય લોકોને સમજાવવામાં સફળ રહ્યા હતા કે જો મોદી વધુ મજબૂત થશે તો બંધારણ જોખમમાં આવી જશે."
"તેથી જ દલિતોએ પણ માયાવતીને છોડીને ઇન્ડિયા ગઠબંધનને મત આપ્યો છે. દલિતોમાં આ સંદેશો ઊંડે સુધી ગયો હતો કે જો ભાજપ સત્તામાં હશે તો અનામત નબળી પડી શકે છે. માયાવતીની જાટવ જાતિના લોકોએ પણ ભારત જોડાણ માટે મત આપ્યો હતો.
શરત પ્રધાન કહે છે કે, "યુપીમાં ભાજપ 33 સીટો પર સમેટાઈ જવાથી યોગીને પણ અસર થશે. જો અમિત શાહ અને નરેન્દ્ર મોદી ઇચ્છે તો આ હારનો દોષ યોગી પર ઢોળીને તેમને મુખ્ય મંત્રીની ખુરશી પરથી હટાવી શકે છે. નરેન્દ્ર મોદી હવે યુપીમાં જે શિખર પર પહોંચ્યા હતા તે પરથી ઊતરવાનું શરૂ કરી દીધું છે."
પ્રધાન કહે છે કે, "યોગીને એવું પણ લાગ્યું કે યુપીમાં તેમનાથી મોટા કોઈ નેતા નથી અને હિન્દુત્વ સામે કોઈ ટકી શકે તેમ નથી. પરંતુ ચૂંટણીનાં પરિણામોએ આ વાત પણ ખોટી સાબિત કરી. ભારતના લોકોને સરમુખત્યારશાહી પસંદ નથી."
"સ્મૃતિ ઈરાનીની હાર માત્ર મોદીની હાર છે. રાહુલ ગાંધીએ મોદીની સ્ટાઇલમાં સ્મૃતિ ઈરાનીને બરાબર હરાવ્યાં છે. રાહુલની એ રણનીતિ સારી હતી કે તે સ્મૃતિને હરાવશે પરંતુ એક નાના કાર્યકરથી."
ભાજપ યુપી કેમ હારી રહી છે?
શરત પ્રધાન કહે છે, "આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાંથી બે મહત્ત્વના સંદેશ છે. પહેલો સંદેશ માયાવતી માટે છે કે તેમના દલિતો બંધુઆ મજૂર નથી અને બીજો સંદેશ મોદી માટે છે કે તેઓ હિંદુઓ અને મુસ્લિમોમાં ભાગલા પાડીને દરેક ચૂંટણી જીતી શકતા નથી. માયાવતી સંપૂર્ણપણે ભાજપની તરફેણમાં હતાં અને જ્યારે તેમણે તેમના ભત્રીજાને હટાવ્યા ત્યારે તેનાથી વધુ ખોટો સંદેશો ગયો. જેનાં પરિણામો બધાની સામે છે."
રીટા બહુગુણા જોશી અલાહાબાદથી સંસદ છે અને યોગીના પહેલા કાર્યકાળમાં મંત્રી પણ હતાં.
ભાજપએ આ વખત તેમને ટિકિટ ન આપી. તેમની જગ્યાએ ભાજપના વરિષ્ટ નેતા રહેલ કેશરીનાથ ત્રિપાઠીના પુત્ર નીરજ ત્રિપાઠીને ટિકિટ મળી હતી અને તે પણ ચૂંટણી હારી ગયા છે.
રીટા બહુગુણા જોશીને પૂછ્યું કે આ વખતે ભાજપ યુપીમાં 33 સીટોમાં સીમિત થતી કેમ જણાય છે?
રીટા બહુગુણા જોશી કહે છે કે, "અમે સરકાર તો ચોક્કસ બનાવી જ લઈશું પરંતુ દેખીતી રીતે અમને 2014 અને 2019ની જીત મળવાની નથી. અમે યુપીમાં કામ કર્યું હતું પરંતુ રોજગારનો પ્રશ્ન અમારી સામે હતો. અમે અયોધ્યામાં ચૂંટણી હારી ગયા છીએ. આ વખતે આવું કેમ થયું તે આપણે વિચારવું પડશે."
રીટા રીટા બહુગુણાએ જોશીને પૂછવામાં આવ્યું કે શું યુપીનાં પરિણામો યોગી આદિત્યનાથને પણ અસર કરશે? આ પ્રશ્નના જવાબમાં જોશી કહે છે કે, "અમારી પાસે સંપૂર્ણ બહુમતી છે, મને નથી લાગતું કે કોઈ અસર થશે."
અખિલેશ યાદવની રણનીતિ

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા વિશ્લેષકો પણ આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની રણનીતિનાં વખાણ કરી રહ્યાં છે.
આ વખતે અખિલેશ યાદવે ટિકિટ વહેંચતી વખતે બિન-યાદવ જાતિઓનું ખાસ ધ્યાન રાખ્યું હતું.
મુસ્લિમો અને યાદવોને સમાજવાદી પાર્ટીની વોટ બેંક માનવામાં આવે છે પરંતુ આ વખતે અખિલેશ યાદવે 62માંથી માત્ર પાંચ યાદવ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા અને તે બધા તેમના પરિવારના હતા.
2019માં, સમાજવાદી પાર્ટીએ બહુજન સમાજ પાર્ટી અને જયંત ચૌધરીના રાષ્ટ્રીય લોક દળ સાથે ગઠબંધન કર્યું હતું.
ત્યારે સમાજવાદી પાર્ટીએ 37 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 10 યાદવ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. 2014માં, સમાજવાદી પાર્ટીએ યુપીમાં 78 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને તેમાંથી, કુલ 12 યાદવ ઉમેદવારો હતા અને ચાર મુલાયમસિંહના પરિવારના હતા.
અલાહાબાદ યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર પંકજ કુમારે પણ ટિકિટની વહેંચણી માટે અખિલેશ યાદવનાં વખાણ કર્યાં છે.
પ્રોફેસર પંકજ કુમાર કહે છે, "સમાજવાદી પાર્ટીએ ખૂબ જ સારી ટિકિટ વહેંચણી કરી છે. અયોધ્યામાં દલિતને ટિકિટ આપવી એ ખૂબ જ સમજદાર નિર્ણય હતો. અવધેશ પ્રસાદ જૂના સિપાહી છે. બલિયામાં સનાતન પાંડેને ટિકિટ આપવી એ સમજદારીભર્યો નિર્ણય હતો."
"અખિલેશ યાદવ પીડીએ વિશે વાત કરી રહ્યા હતા, જેમાં તમામ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, ભાજપે મુસ્લિમ વિરોધી વલણ રાખ્યું. ભાજપે પણ ખૂબ જ ખરાબ રીતે ટિકિટોની વહેંચણી કરી હતી. મને નથી લાગતું કે યોગીને ટિકિટ વિતરણ અંગે પૂછવામાં આવ્યું હોય. કૌશાંબીમાં રાજા ભૈયાએ તેમના એક માણસને ટિકિટ આપવાનું કહ્યું હતું પરંતુ અમિત શાહ રાજી ન થયા. અલાહાબાદમાં નીરજ ત્રિપાઠીને ટિકિટ આપવામાં આવી અને તેમની હાર થઈ ગઈ છે. અમિત શાહ દિલ્હીથી ટિકિટ વહેંચી રહ્યા હતા."
યુપીમાં ભાજપના આ પ્રદર્શનની યોગીની રાજનીતિ પર શું અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર પંકજ કુમાર કહે છે, "યોગીની વિનંતી પર ટિકિટ આપવામાં આવી ન હતી પરંતુ દોષ તેમના પર લગાવી શકાય છે." યોગીની ખામી એ છે કે તે ડિસ્કનેક્ટ થઈ ગયા છે. રાજકીય કાર્યકરો સાથે તેમનો કોઈ સંપર્ક નથી.
"તેઓ ગુજરાત મૉડલ પર સરકાર ચલાવવા માગે છે. નોકરિયાતોના જોરે સરકાર ચાલે છે. તેમને જનતા અને પાર્ટીના કાર્યકરો કરતા પોલીસ પર વધુ વિશ્વાસ છે. મને લાગે છે કે આ ચૂંટણીમાં આરએસએસ પણ હાથ પાછો ખેંચ્યો છે. આરએસએસને પણ લાગવા માંડ્યું કે મોદી ખૂબ જ મજબૂત બની રહ્યા છે અને આ સંઘ માટે સારું નથી."
પ્રોફેસર પંકજનું માનવું છે કે, "માયાવતી આ ચૂંટણીમાં સંપૂર્ણપણે હાંસિયામાં ધકેલાઈ ગયાં છે અને હવે તેમના માટે વાપસી કરવી મુશ્કેલ છે."
પ્રોફેસર પંકજ કુમાર કહે છે, "ચંદ્રશેખર માયાવતીનું સ્થાન લઈ શકે છે." નગીનાથી તેમની જીત પણ આ દર્શાવે છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપનું ખરાબ પ્રદર્શન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની ઘણી તૈયારીઓને બગાડી શકે છે. આ સાથે જ્યારે ઉત્તર ભારતમાં પ્રાદેશિક પક્ષો સંકોચાઈ રહ્યા હતા ત્યારે અખિલેશ યાદવ એક મજબૂત નેતા તરીકે ઊભરી આવ્યા છે. અમેઠી અને રાયબરેલીમાં પણ કૉંગ્રેસ મજબૂત રીતે ઊભરી આવી છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઇચ્છા વિરુદ્ધ આવું થયું છે.












