You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુકેની હાઈકોર્ટે વિજય માલ્યાની પ્રત્યર્પણ વિરુદ્ધની અરજી ફગાવી
બૅન્કોના કરોડો રૂપિયા મામલે જેમના ઉપર છેતરપિંડી આરોપો છે તે વિજય માલ્યાના ભારત પ્રત્યપર્ણના કેસમાં હાઈકોર્ટે વિજય માલ્યાની દલીલ ફગાવી દીધી છે.
અગાઉ નીચલી કોર્ટેમાં હાર બાદ વિજય માલ્યાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
વિજય માલ્યા પર 9000 કરોડની ઉચાપતનો આરોપ છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં વિજય માલ્યાને ભારત મોકલવા અંગે યૂકે સરકારની મંજૂરી મળી ગઈ હતી અને તેની સામે વિજય માલ્યાએ અપીલ કરી હતી.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
હવે પ્રીતિ પટેલ પર આધાર
યુકેના કાયદા મુજબ હવે આ ચુકાદા પછી વિજય માલ્યાને અપીલ કરવા માટે 14 દિવસનો સમય મળશે.
જસ્ટિસ ઇરવિન અને ઍલિસબૅથના ચુકાદા પછી આ અંગે રજૂઆતો યુકેના ભારતીય મૂળનાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પાસે જશે.
જો હાઈકોર્ટના ચુકાદા સામે વિજય માલ્યા અપીલ ન કરે તો 28 દિવસમાં એમને યુકેથી ભારત મોકલી દેવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો અપીલ કરશે તો ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થવામાં હજી વાર લાગી શકે છે.
જોકે, અગાઉ હોમ ડિપાર્ટમેન્ટ વેસ્ટમિનિસ્ટર્સ કોર્ટના ચુકાદા પર મંજૂરી આપી ચૂક્યો છે ત્યારે હાઈકોર્ટના ચુકાદા સામે વિરોધની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે.
અગાઉ શું બન્યું?
અગાઉ વૅસ્ટમિનસ્ટર કોર્ટના પ્રત્યાર્પણ સંબંધિત ચુકાદાની ફાઇલ હોમ સેક્રેટરી સાજીદ જાવીદને મોકલી આપવામાં આવી હતી, જેની ઉપર તેમણે મંજૂરીની મહોર મારી હતી.
વિજય માલ્યાના કહેવા પ્રમાણે, તેઓ નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં અપીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
વિજય માલ્યા પર ભારતની બૅન્કો સાથે હજારો કરોડની છેતરપીંડી કરવાનો આરોપ છે. માલ્યા માર્ચ 2016માં ભારત છોડી લંડન જતા રહ્યા હતા.
માલ્યાને ભારત પરત લાવવા માટે કેન્દ્રની એજન્સીઓએ કાનૂની લડાઈ શરૂ કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો