G-7 શિખર મંત્રણા: ભારત અને નરેન્દ્ર મોદી માટે કેમ જરૂરી?

બોરિસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન સાથે મોદી
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન દ્વિ-પક્ષીય બાબતો અંગે ચર્ચા કરવામાં આવશે.

આ પહેલાં તેમણે યૂએનના સેક્રેટરી જનરલ તથા બ્રિટનના વડા પ્રધાન સાથે મુલાકાત કરી હતી.

ત્રણ દેશોની વિદેશયાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) તથા બહરીનની મુલાકાત પણ લીધી હતી.

તાજેતરમાં મોદી સરકારે કાશ્મીરમાંથી 370 તથા 35-A અનુચ્છેદ નાબૂદ કર્યાં છે, એટલે તેમની આ મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ સિવાય તેમણે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન સાથે મુલાકાત કરી હતી અને પરસ્પર લાભકારક સંબંધોને વધુ મજબૂત કરવા ચર્ચા કરી હતી.

મોદીએ ટ્વિટર ઉપર લખ્યું, 'વ્યાપાર, સંરક્ષણ તથા ઇનૉવેશન સહિતની બાબતો ઉપર ચર્ચા કરીશું. બંને દેશોના સંબંધ નાગરિકો માટે ખૂબ જ લાભકારક છે.'

બોરિસ જોહ્નસન અણસાર આપી ચૂક્યા છે કે બ્રિટન કોઈ પણ પ્રકારના કરાર વગર યુરોપિયન સંઘ છોડે, તેવી શક્યતા પ્રબળણ છે, એટલે તેમની આ બેઠકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પહેલાં વડા પ્રધાને સંયુક્ત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી જનરલ ઍન્ટોનિયો ગ્યુટેરસ સાથે મુલાકાત કરી હતી, જેમાં જળવાયુ પરિવર્તન સહિતની 'મહત્ત્વપૂર્ણ બાબતો' અંગે ચર્ચા કરી હતી.

line

મોદીની વિદેશયાત્રાનું મહત્ત્વ

યૂએઈ તથા બહરીન થઈને જી-7 સંમેલનમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના બિરેટ્શ પહોંચ્યા છે.

તા. 25 અને 26 ઑગસ્ટના આયોજિત આ શિખર મંત્રણામાં ભાગ લેવા માટે ફ્રાન્સે ભારતને આમંત્રણ આપ્યું છે.

તારીખ 26મી ઑગસ્ટે મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. આ વાતની જાહેરાત ટ્રમ્પ અગાઉ જ કરી ચૂક્યા છે.

કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370ની જોગવાઈઓ તથા 35-Aને નાબૂદ કર્યાં છે.

પાકિસ્તાન આની સામે વૈશ્વિક અભિપ્રાય ઊભો કરવા માટે અનેક દેશોનો સંપર્ક કરી રહ્યું છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ભારતનું કહેવું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એ બંને દેશો વચ્ચેનો 'દ્વિ-પક્ષીય મુદ્દો' છે.

આ માટે કોઈ ત્રીજા પક્ષની દરમિયાનગીરીની જરૂર નથી.

બીજી બાજુ, પાકિસ્તાન સતત ત્રીજા પક્ષની દરમિયાનગીરીની હિમાયત કરતું રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ચીને પણ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો.

આ સિવાય ટ્રમ્પ પણ કાશ્મીરની સ્થિતિને 'વિસ્ફોટક' ગણાવી ચૂક્યા છે અને દરમિયાનગીરી કરવાની તૈયારી દાખવી છે.

આ સંજોગોમાં વડા પ્રધાન મોદી માટે જરૂરી છે કે તેઓ વિશ્વના ટોચના દેશોને મળે અને અસરકારક તર્કો દ્વારા તેમને ભારતનું વલણ સમજાવે અને તેના માટે સહમતિ મેળવે.

મોદી તથા મૈક્રૉંની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મેક્રોન અગાઉ જ કહી ચૂક્યા છે કે કાશ્મીરની સમસ્યાનો ઉકેલ દ્વિ-પક્ષીય ચર્ચા દ્વારા લાવવો જોઈએ.

સંયુક્ત આરબ અમિરાતે મિત્રરાષ્ટ્ર પાકિસ્તાનના દબાણ છતાં કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ કશું નથી કહ્યું. આ સિવાય મોદીને ત્યાંના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઑર્ડર ઑફ ઝાયેદ'થી નવાજ્યા છે.

જેની સામે પાકિસ્તાનમાં ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. મોદીને સન્માનથી નારાજ પાકિસ્તાની સેનેટના ચૅરમૅને યૂએઈની પૂર્વનિર્ધારિત યાત્રા રદ કરી દીધી હતી.

અગાઉ ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉર્પોરેશનમાં પણ પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવી ચૂક્યું છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

જી-7 સમૂહ દેશોનું 45મું શિખર સંમેલન ફ્રાંસમાં યોજાઈ રહ્યું છે. આ સંમેલનમાં ભારતને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં 24થી 26 ઑગસ્ટ દરમિયાન યોજાનારી જી-7 સમિટમાં ભાગ લઈ રહ્યા છે.

યૂએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, જાપાનના વડા પ્રધાન શિંજો એબે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન સહિતના વૈશ્વિક નેતાઓ ભાગ લઈ રહ્યા છે.

પણ આ જી-7 શું છે અને કયા-કયા દેશો એના સભ્ય છે અને તેઓ શું કરે છે?

line

જી-7નો અર્થ શું છે?

જી-7ની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જી-7ની ફાઇલ તસવીર

આ 7 દેશોનો સમૂહ છે એટલે તેને જી-7 કહેવાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે દુનિયાના વિકસિત દેશોનું આ જૂથ છે.

પહેલાં તે જી-8 હતું, પરંતુ વર્ષ 2014માં રશિયાને તેમાંથી અલગ કરી દેવાયું હતું, તેથી તે જી-7 બન્યું.

વૈશ્વિક અર્થતંત્રનાં વિવિધ પાસાં, સુરક્ષા અને ઊર્જા જેવા મુદ્દાઓ પર આ દેશોના નેતાઓ ચર્ચા કરી શકે તે હેતુથી ચાર દાયકા પહેલાં જી-8ની રચના થઈ હતી.

line

કયા દેશો જી-7ના સભ્યો છે?

યૂએસ, યૂકે, જર્મની, કૅનેડા, જાપાન, ફ્રાન્સ અને ઇટાલી આ જી-7 ના સભ્યો છે.

સભ્યરાષ્ટ્રો 40 ટકા વૈશ્વિક જીડીપી અને દુનિયાની દસ ટકા વસતીનું પ્રતિનિધિત્વ કરે છે.

વર્ષ 1975માં ફ્રાન્સ, ઇટાલી, જાપાન, યૂકે, યૂએસ અને પશ્ચિમ જર્મનીએ જી-6ની શરૂઆત કરી. તેના પછીના વર્ષે કૅનેડા તેમાં જોડાયું. રશિયા આ સમૂહમાં 1998થી જોડાયું.

line

રશિયા જી-8માંથી બહાર કેમ થયું?

ઓબામા

ઇમેજ સ્રોત, Getty Images

રશિયાના યુક્રેન સાથેના ઘર્ષણને કારણે વર્ષ 2014માં વિશ્વના નેતાઓ દ્વારા રશિયાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું.

વૈશ્વિક નેતાઓએ તેને યુક્રેનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન ગણાવ્યું.

તે વખતના યૂએસના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એક નિવેદન જાહેર કર્યું કે 'જ્યાં સુધી રશિયા પોતાનું વલણ ન બદલે અને જી-8 અર્થપૂર્ણ ચર્ચા કરી શકે તેવો માહોલ ફરી ન બને ત્યાં સુધી અમે રશિયા ખાતે યોજાનારી સમિટમાંથી અમારી ભાગીદારી પાછી ખેંચીએ છીએ.'

અગાઉ યૂએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવું નિવેદન કરી ચૂક્યા છે કે 'આ શિખર મંત્રણામાં રશિયાને ફરી આમંત્રણ મળવું જોઈએ.'

line

ભારત સભ્ય નથી તો આમંત્રણ કેમ?

મોદી સાથે મેક્રોન

ઇમેજ સ્રોત, Getty Images

ફ્રાન્સના વડા પ્રધાન દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ જી-7 સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ વખતે ચર્ચાનો મુખ્ય મુદ્દો અસમાનતા છે. જેના અંતર્ગત જેન્ડરના પ્રશ્નો, આર્થિક અને સામાજિક સમાનતાઓનાં વિવિધ પાસાં પર ચર્ચા થશે.

ત્યારે વડા પ્રધાન મોદી જઇતાપુર ન્યુક્લિયર પાવર પ્રોજ્કટ અને કાશ્મીરના પ્રશ્ને ચર્ચા કરે તેવી શક્યતા છે.

તે ઉપરાંત જી-7માં ગ્લોબલ કૉર્પોરેટ ટેક્સ કોડ, ઈરાન-યૂએસ વચ્ચેની સ્થિતિ, જલવાયુ પરિવર્તન બાબતે કટોકટીની સ્થિતિ, રશિયા અને યુક્રેન વચ્ચે ઘર્ષણનો મુદ્દો અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી શક્યતા છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો