CAA-NRC વિરોધ : મમતા બેનરજીએ કરી સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરીની વાત

ઇમેજ સ્રોત, Getty Images
દેશમાં નાગરિતા સંશોધન કાયદા અને સૂચિત નેશનલ સિટિઝન રજિસ્ટ્રીનો આજે મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરીની વાત કરી છે.
કોલકાતામાં એક રેલીને સંબોધન કરતાં તેમણે તટસ્થ સંસ્થા દ્વારા કમિટી નાગરિકતા કાયદા મુદ્દે તપાસની માગ કરી છે.
સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા મુજબ મમતા બેનરજીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રસંઘ કે માનવઅધિકાર પંચ જેવી તટસ્થ સંસ્થાઓ આ મુદ્દે કમિટી બનાવે અને જુએ કે કેટલા લોકો નાગરિકતા સંશોધન કાયદાની તરફેણ કરે છે.
એમણે કહ્યું કે, આઝાદીનાં 73 વર્ષ પછી આપણને અચાનક નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવે છે. ભાજપ ત્યારે ક્યાં હતી ભાજપ દેશના ભાગલા પાડી રહી છે. નાગરિકતા કાયદાનો વિરોધ ચાલુ જ રહેશે.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
મમતા બેનરજીના નિવેદન પર પશ્ચિમ બંગાળ રાજ્યપાલ જગદીપ ધનખડે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.
એમણે ટ્વીટ કરીને કહ્યું કે હું મુખ્ય મંત્રીને તેમનું નિવેદન પરત લેવા માટે વિનંતી કરું છું.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ નાગરિકતા સંશોધન કાયદાનો શરૂઆતથી વિરોધ કરી રહ્યું છે.
મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં આ કાયદો લાગુ નહીં કરવામાં આવે તેમ પણ અગાઉ કહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મમતા બેનરજીએ વિશાલ રેલી યોજી નાગરિકતા સંશોધન કાયદાનો અને એનઆરસીનો વિરોધ કર્યો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












