You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'સુપ્રીમે કોર્ટે અમારી તપાસની પ્રશંસા કરી હતી'
2G કેસ માટેની ખાસ અદાલતે પુરાવાના અભાવે અને ખામીયુક્ત ચાર્જશીટ ખોટી હોવાના અવલોકન સાથે આ કેસનાં તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યાં.
ભૂતપૂર્વ CBI ડિરેક્ટર એપી સિંઘ સાથે બીબીસીનાં દેવિના ગુપ્તાએ વાત કરી.
આ કેસમાં CBI તરફથી તપાસ કરનારા તે સૌથી પહેલા અધિકારી હતા, જેમણે એ. રાજા, કનિમોડિ અને અન્યો સામે ચાર્જશીટ રજૂ કરી હતી.
તમને આ વાંચવું પણ ગમશે:
પાંચ સવાલ પાંચ જવાબ
- સવાલ: કોર્ટે પુરાવાના અભાવે 2G કૌભાંડના તમામ આરોપીઓને છોડી મૂક્યાં છે, તમારી પહેલી પ્રતિક્રિયા શું છે?
- જવાબ: હું એ સમયે કોર્ટમાં હાજર નહોતો, પરંતુ મને આ ચૂકાદાથી આશ્ચર્ય થયું છે.
- સ: તમને લાગે છે કે, ફરિયાદ પક્ષ તરફથી આ કેસને વધું સારી રીતે લડી શકાયો હોત?
- જ: ચાર્જશીટનાં 60 પાનામાં અમારી તપાસ કામગીરીનો ભાગ છે. અમારી પાસે મિ. રાજાએ લાઇસન્સની ફાળવણી કરવામાં આચરેલી ગેરરીતી દર્શાવતા પૂરતા પુરાવા હતા.
- સ: તો તમને લાગે છે કે, તપાસ વધુ ચૂસ્ત રીતે થઈ શકી હોત?
- જ: હું તે બાબતે કોઈ જ કૉમેન્ટ નહીં કરું. પણ જ્યાં સુધી તપાસને લાગેવળગે છે, ત્યાં સુધી હું એટલું કહીશ કે, એ તપાસ માટે સુપ્રીમ કોર્ટે અમારી સરાહના કરી હતી.
- સ: પણ એ સમયે સુપ્રીમ કોર્ટ CBIની તપાસ પર દેખરેખ રાખવા એક કમિટી નીમવા નહોતી ઇચ્છતી?
- જ: શરૂઆતમાં કોર્ટ એક દેખરેખ કમિટી બનાવે તેવી માંગણી થઈ હતી, પરંતુ અમે તેનો વિરોધ કર્યો હતો.
- સ: તમને લાગે છે કે, તપાસ સંસ્થાઓએ વધુ સારી વ્યૂહરચના સાથે આ કેસને ઉચ્ચ અદાલતમાં ઉચ્ચ અદાલતમાં દાખલ કરવો જોઈએ?
- આ બાબત હું હાલની વ્યવસ્થા પર છોડું છું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો