નેપાળમાં રાજકીય સંકટ : નેપાળના રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી, સાત નારાજ મંત્રીઓનું રાજીનામું

કે. પી. ઓલી શર્મા

ઇમેજ સ્રોત, NEPAL PM SECRETARIAT

નેપાળનાં રાષ્ટ્રપતિ બિદ્યાદેવી ભંડારીએ ઓલી સરકારની ભલામણ પ્રમાણે દેશની સંસદ એટલે કે પ્રતિનિધિ સભાને ભંગ કરવાની અને વચગાળાની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.

આ નિર્ણયથી નારાજ સાત મંત્રીઓએ પદ પરથી સામૂહિક રાજીનામું આપી દીધું છે.

રાષ્ટ્રપતિના નિર્ણય પ્રમાણે ત્રીજી એપ્રિલ અને દસમી એપ્રિલ એમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે.

મંત્રીઓનું સામૂહિક રાજીનામું
ઇમેજ કૅપ્શન, મંત્રીઓનું સામૂહિક રાજીનામું

રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે આ નિર્ણય બંધારણીય પરંપરાઓ આધારે લેવાયો હોવાનું જણાવાયું છે.

નેપાળની સંસદને ભંગ કરવાની રાષ્ટ્રપતિને ભલામણ કરી એ પછી વડા પ્રધાન કે. પી. ઓલીની સરકારે રાજધાની કાઢમાંડુમાં સુરક્ષાનો બંદોબસ્ત વધારી દીધો છે.

રવિવારે સવારે બાલુવતાર ખાતે વડા પ્રધાનના નિવાસસ્થાને ઇમર્જન્સી બેઠક મળી હતી.

બીબીસીની નેપાલી સેવાને રાષ્ટ્રપતિના નિર્ણય પહેલાં સ્થાનિક બંધારણીય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સંસદને ભંગ કરવાની વડા પ્રધાનની ભલામણ ગેરબંધારણીય છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

કૅબિનેટ મિટિંગમાં લેવાયેલા નિર્ણય અંગે સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં નેપાળ કૉમ્યુનિસ્ટ પાર્ટીના પ્રવક્તા નારાયણકાજી શ્રેષ્ઠાએ જણાવ્યું હતું કે, “આજે સવારે યોજાયેલી મિટિંગમાં બધા મંત્રીઓ હાજર નહોતા, તેથી આ ઉતાવળે લેવાયેલ નિર્ણય છે. આ નિર્ણય લોકશાહીના નિયમોની વિરૂદ્ધ છે અને આ નિર્ણયથી દેશ પાછળ જશે. આ નિર્ણય લાગુ ન કરી શકાય.”

સત્તા પક્ષ CPN (માઓવાદી)ના આંતરિક વિખવાદો વચ્ચે વડા પ્રધાને સંસદ વિખેરી દેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ચૅરમૅન પુષ્પ કમલ દહલ અને માધવ કુમાર નેપાળ અને ઝાલા નાથ ખનલ જેવા વરિષ્ઠ નેતાઓ ઓલી પર પક્ષ અને સરકારને મનસ્વી અને એકતરફી રીતે ચલાવવાનો આરોપ લગાવતા રહ્યા હતા.

line

આ અંગે બંધારણમાં શી જોગવાઈ છે?

નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન, નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી

નેપાળના બંધારણના અનુચ્છેદ 85માં પ્રતિનિધિસભાના કાર્યકાળ વિશે વાત કરવામાં આવી છે.

આ અનુચ્છેદની પેટા કલમ (1)માં લખાયું છે : બંધારણ અનુસાર વિખેરી ન દેવામાં આવે ત્યાં સુધી પ્રતિનિધિસભાની મુદ્દત મહત્તમ પાંચ વર્ષની રહેશે.

બંધારણના અનુચ્છેદ 76ની પેટાકલમ (7)માં મંત્રીમંડળના ગઠનને લગતી જોગવાઈ છે, જેમાં જણાવાયું છે: જો પેટા કલમ (5)ને અનુસરીને બનાવેલ વડા પ્રધાન વિશ્વાસ મત મેળવવામાં અસફળ નીવડે કે વડા પ્રધાનની નિમણૂક ન થઈ શકે, તો તેવા કિસ્સામાં વડા પ્રધાનની સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ પ્રતિનિધિસભાને વિખેરી શકશે છે અને છ માસની અંદર તેની બીજી ચૂંટણીની તારીખ નક્કી કરશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો