કોરોના વાઇરસ : શું 2021માં આંતરરાષ્ટ્રીય વેપાર સુધરશે?

વૈશ્વિક વેપારની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વર્લ્ડ ટ્રૅડ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, કોરોના વાઇરસને કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટને કારણે વિશ્વવ્યાપારમાં ચાલુ વરસ 2020માં 13થી 30 ટકા ઘટાડો થવાની સંભાવના છે.

2008-09ની વૈશ્વિક નાણાકીય કાટોકટી પછીની સૌથી મોટી સમસ્યાનો સામનો વિશ્વવ્યાપાર સાથે સંકળાયેલા દેશો કરી રહ્યા છે.

આયાત-નિકાસ વેપારનું નિરીક્ષણ કરતી સંસ્થાઓએ નોધ્યું છે કે ઘણાખરા દેશોના વેપારના વૉલ્યુમમાં ખાસ કરીને ઉત્તર અમેરિકા અને એશિયામાં બે-અંકોના ઘટાડો માલૂમ પડ્યો છે.

ઇલેક્ટ્રૉનિક્સ અને ઑટોમોટિવ પ્રોડક્ટ્સના ક્ષેત્રોમાં તીવ્ર ઘટાડો થવાને કારણે નિકાસવ્યાપાર ઉપર ભારે ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે સેવાઓ અને વેપાર-પરિવહન અને મુસાફરી પ્રતિબંધો પર લૉકડાઉન પરિસ્થિતિને લીધે તેની સીધી અસર થઈ શકે છે.

line

વિખેરાઈ વેપારતુલા

માગ અને પુરવઠામાં ભારે ઘટાડો થવાને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં તેની ભારે અસર પડી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નિયંત્રણોના અમલને કારણે ઍરકાર્ગોથી માંડી કન્ટેનર શિપમૅન્ટ માટે પરિવહન મોકૂફ થતાં મલ્ટિ-કન્ટ્રી વૅલ્યૂ ચેઇન બ્રેક થઈ છે, જેના પગલે ઉત્પાદિત વસ્તુઓ, ખાદ્યપદાર્થો અને કાચા માલના મોટાભાગના વેપારનું પરિવહન અત્યારે સ્થગિત છે, ત્યારે આ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ નાણાકીય ખેંચનો સામનો કરી રહી છે.

વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે 2019માં મર્કેન્ડાઇઝ વેપારનું પ્રમાણ પહેલાંથી 0.1% ઘટ્યું હતું, વેપારમાં ઘટાડો અને આર્થિક વૃદ્ધિદર ધીમો થવાને કારણે વરસ 2019માં વિશ્વની કુલ નિકાસનું ડૉલર મૂલ્ય 3% ઘટીને 18.89 ટ્રિલિયન ડૉલર થયું છે.

ગત ઑક્ટોબરમાં ડબ્લ્યુ.ટી.ઓ.એ આગાહી કરી હતી કે વર્ષ 2019માં 1.2% વધ્યા પછી 2020 માં વેપારનો વિકાસ 2.7% વધશે, પરંતુ હવે તેમાં કોરોનાને કારણે ભારે ઘટાડો થશે.

પરંતુ આ આંકડાઓને અન્ય વૈશ્વિક મંદીની પરિપ્રેક્ષ્યમાં જોતાં 2008-09માં વૈશ્વિક નાણાકીય કટોકટીને કારણે 12% જેટલો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે વરસ 1929થી 1932 સુધીના મહામંદીનાં પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન જોવા મળતા વિશ્વવેપારમાં થયેલા ઘટાડા સાથે સમાનતા ધરાવે છે.

અનિશ્ચિતતાના એંધાણ

25મી માર્ચથી ભારતમાં લૉકડાઉન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 25મી માર્ચથી ભારતમાં લૉકડાઉન

જોકે 2021 માટે, વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશને વૈશ્વિક માલના વેપારમાં 21થી 24%ની વચ્ચે તેજીની આગાહી કરી છે, જે મોટાભાગે કોરોનાવાઇરસ ફાટી નીકળવાની અવધિ અને નીતિ પ્રતિક્રિયાઓની અસરકારકતા ઉપર આધાર રાખે છે.

2021માં અપેક્ષિત રિરિકવરી કરવાનો અંદાજ પણ એટલો જ અનિશ્ચિત છે.

ભારતની વાત કરીએ તો આ વરસે યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગ્ડમ તેમજ અન્ય યુરોપિયન બજારોમાં માગ તળિયે ગઈ છે, ત્યારે 50 ટકા જેટલા નિકાસ ઑર્ડર કૅન્સલ થતાં અને નવા નિકાસ ઑર્ડરો ઓછા મળતાં ભારતીય નિકાસકારો વ્યાકુળ બન્યા છે.

line

સંકટમાં નિકાસ સૅક્ટર

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

જોઈતી રોકડ પ્રાપ્ત ન હોવાથી ફેડરેશન ઑફ ઇન્ડિયન ઍક્સ્પૉર્ટર્સે વડા પ્રધાનને પત્ર લખી નિકાસકારોને આ અંગે મદદ માટે રજૂઆત કરી છે

માર્ચ 2020 માં ભારતનો નિકાસ વ્યાપાર આજ સમય ગાળાની સરખામણીમાં 34.6% ઘટીને 21.41 અબજ યુ.એસ. ડૉલર થઈ જવા પામ્યો જે દરમિયાન વેપારી આયાત પણ 28.7% ઘટીને 31.16 અબજ યુ.એસ. ડૉલર થઈ છે.

માર્ચ 2020 માં વેપા ખાધ 11.3% ઘટીને 9.77 અબજ ડૉલર થઈ છે, જે માર્ચ 2019માં 10.89 અબજ ડૉલર હતી.

જ્યારે એપ્રિલથી માર્ચ 2020 દરમિયાન વેપારી નિકાસ લગભગ 5 ટકા ઘટીને 314.3 અબજ ડૉલર થઈ છે, જે વર્ષ 2018-19માં 330.1 અબજ ડૉલર હતી.

ગત ચાર વર્ષમાં પ્રથમ વખત નિકાસ વ્યાપારમાં ઘટાડો નોંધાયો છે. નિકાસ થતાં મુખ્ય ઉત્પાદનોમાં ઑઈલ મિલ્સ 69.9 ટકા, મીટ, ડેરી અને પૉલ્ટ્રી ઉત્પાદનોમાં 45.5 ટકા, એન્જિનિયરિંગ ગુડ્ઝ માં 42.3 ટકા, જેમ્સ ઍન્ડ જ્વેલરીમાં 41.1 ટકા, લેધર અને લેધર પ્રોડક્ટસ માં 36.8 ટકા, જ્યારે પેટ્રોલિયમ પ્રોડકસ માં 31.1 ટકા જેટલો ઘટાડો થયો છે.

ભારતના નિકાસક્ષેત્રની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બીજી તરફ ભારતના આયાત બિલમાં 28.7 ટકા જેટલા સૌથી મોટા ઘટાડા સાથે આયાત બિલ 31.2 અબજ ડૉલર થયું છે.

ક્રૂડઑઈલની આયાતમાં 15 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે નૉન-ઑઇલ આયાતમાં 33.8 ટકાનો ઘટાડો થયો છે.

ફેડરેશન ઑફ ઈન્ડિયન ઍક્સ્પૉર્ટર્સે વડા પ્રધાનને લખેલા પત્રમાં કહ્યું છે કે લાખો ભારતીયોને રોજગાર આપતા ક્ષેત્રને નિકાસ ઑર્ડર 50 ટકાથી વધુ રદ થવાથી મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યા છે.

સૌથી વધુ અસરગ્રસ્ત ઉદ્યોગો ચામડાં, કાર્પેટ, હસ્તકલા, અને એપરલ્સ છે. જ્યાં લગભગ 75 ટકા ઑર્ડર રદ કરવામાં આવ્યા છે.

નિકાસમાં કાશ

ભારતમાં કોરોના વાઇરસના કેસ

આ માહિતીને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે, છતાં તેમાં કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના આંકડા તાત્કાલિક ન દેખાય તેવી શક્યતા રહેલી છે.

રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કુલ કેસ સાજા થયા મૃત્યુ
મહારાષ્ટ્ર 1351153 1049947 35751
આંધ્ર પ્રદેશ 681161 612300 5745
તામિલનાડુ 586397 530708 9383
કર્ણાટક 582458 469750 8641
ઉત્તરાખંડ 390875 331270 5652
ગોવા 273098 240703 5272
પશ્ચિમ બંગાળ 250580 219844 4837
ઓડિશા 212609 177585 866
તેલંગણા 189283 158690 1116
બિહાર 180032 166188 892
કેરળ 179923 121264 698
આસામ 173629 142297 667
હરિયાણા 134623 114576 3431
રાજસ્થાન 130971 109472 1456
હિમાચલ પ્રદેશ 125412 108411 1331
મધ્ય પ્રદેશ 124166 100012 2242
પંજાબ 111375 90345 3284
છત્તીગઢ 108458 74537 877
ઝારખંડ 81417 68603 688
ઉત્તર પ્રદેશ 47502 36646 580
ગુજરાત 32396 27072 407
પુડ્ડુચેરી 26685 21156 515
જમ્મુ-કાશ્મીર 14457 10607 175
ચંદીગઢ 11678 9325 153
મણિપુર 10477 7982 64
લદ્દાખ 4152 3064 58
આંદમાન નિકોબાર 3803 3582 53
દિલ્હી 3015 2836 2
મિઝોરમ 1958 1459 0

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

આમ મોટા પ્રમાણમાં ઑર્ડર રદ થવાની દેશ માટે ફોરેન એક્સ્ચેન્જ કમાવી આપતા આ ઉદ્યોગોને આસર થશે, જેની અસર દેશની ચાલુ ખાતાની ખાધ ઉપર પડશે.

નિકાસકારોએ વર્કિંગ કૅપિટલ માટે સરકાર પાસે રૂ. 30,000 કરોડના પૅકેજની માંગ કરી છે, જેમાં પગાર, વેતન, ભાડું અને વીજળીના ખર્ચનો સમાવેશ થાય છે.

નિકાસકારોએ કોલેટરલ ફ્રી લૉનવાળી બૅન્કો પાસેથી સરળ ધિરાણની પણ માગ કરી છે.

તેઓએ એવી પણ માંગ કરી છે કે ચુકવણીઓ 18 સમાન હપ્તામાં કરવામાં આવે અને મુદત લંબાવીને ત્રણ મહિનાથી છ મહિના કરવામાં આવે.

એજ રીતે ફેડરેશન દ્વારા સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રોવિડન્ટ ફંડ યોજનાનો અંતર્ગત લાભ લેવા મહત્તમ પગારની યોગ્યતાને ઘટાડીને રૂ. 15,000 કરવાની વિનંતી કરવામાં આવી છે, જેમાં સરકાર ઍમ્પ્લૉયરના હિસ્સાની ચૂકવણી કરશે.

line

પૅકેજનો પ્રસ્તાવ

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તાજેતરમાં ચીને નિકાસકારોને ટેકો આપવા માર્ચ, 2020માં નિકાસ પર ત્રણ ટકા રિબેટ આપ્યું છે.

ફેડરેશને પીએમને વિનંતી કરી છે કે તેઓ 27 માર્ચે જાહેર કરેલા રાહત પગલાં અમલમાં મૂકવા માટે આરબીઆઈ તેને ઝડપથી કામે લગાડે.

તેઓએ એક વર્ષ માટે હોટલ, ઉડ્ડયન, મુસાફરી અને ટૂર ઑપરેટરો માટેના જીએસટી દર અડધો કરવાની માંગ કરી છે.

સમય મર્યાદામાં જી.એસ.ટી. (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ) રિફંડ, ડ્યૂટી ડ્રો-બેક જે આગામી 15 દિવસમાં લાગુ પડતું હતું તેમાં છૂટછાટ આપવી અને ફ્રી કૅપિટલ એ તેમની મુખ્ય માંગ છે.

સરકારે અત્યાર સુધીમાં રૂ. એક લાખ 70 હજાર કરોડના રાહત પૅકેજ સહિત બે પૅકેજની જાહેરાત કરી છે; નિયમોમાં સરળતા અને આરબીઆઈ દ્વારા આશરે ચાર લાખ કરોડની પ્રવાહિતા જેવાં પગલાં લીધાં છે, ત્યારે સરકારે ચાવીરૂપ નિકાસક્ષેત્રને વેગ આપવા એકમો માટે મૂડીની તરલતા, લૉન ઉપરની ચુકવણી માં સરળ હપ્તા જેવાં પગલાંની જાહેરાત કરી છે.

ઑર્ડરમાં આશંકા

કાપડ ઉદ્યોગમાં કામ કરતાં મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફૅશન બદલતાં કાપડ ઉદ્યોગના ઑર્ડર રદ થવાની આશંકા

ફેડરેશન ઑફ ઇન્ડિયન ઍક્સ્પૉર્ટ ઑર્ગેનાઇઝેશન (FIEO)નું કહેવું છે કે, કોરોનાને કારણે દેશમાં નિકાસ ક્ષેત્રે કામ કરતા દોઢ કરોડ લોકો બેકાર બનશે તેમજ બૅન્ક ડિફોલ્ટર્સ ની સંખ્યા પણ વધશે.

નિકાસ ક્ષેત્રે અડધાથી વધુ ઑર્ડરો કૅન્સલ થવાથી નિકાસ ઉપર અસર થતાં એકમો જ્યાં સુધી નવા ઓર્ડર્સ ન મળે ત્યાં સુધી ભયંકર નાણાં ખેચનો સામનો કરી રહ્યાં છે, જેમાં પગાર, વિજળી જેવા દૈનિક ખર્ચા તેમજ ઑર્ડર કૅન્સલ થતાં તૈયાર માલનો ભરવો જેવી બાબતો મુખ્ય છે.

વૈશ્વિક વ્યાપારના સંદર્ભમાં જોતાં આજે અમેરિકામાં પણ આયાત અને નિકાસના ઑર્ડર્સમાં છથી સાત ટકાનો ઘટાડો આવ્યો છે.

આમ નિકાસક્ષેત્રે આજે વિશ્વના બધાજ દેશો સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

ચીનનું નુકસાન, ભારતનો લાભ?

ભારત અને અમેરિકાની વેપારતુલા

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ આ બધી નિરાશાઓમાં એક આશાનું કિરણ સામે આવ્યું છે, જેમાં અમેરિકન વિદેશવિભાગના વરિષ્ઠ અધિકારી અને ભારતમાં કાર્યરત મોટી અમેરિકન કંપનીઓના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં, ચાઇનાથી સ્થળાંતર થનારા ધંધા માટે સંભવિત સ્થળ તરીકે ભારતનું મહત્વ સૂચવવામાં આવ્યું હતું.

દક્ષિણ એશિયાના રાજ્યના સહાયક સચિવ થૉમસ વાજડાએ જણાવ્યું હતું, "હાલમાં ચીનમાં જે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ થઈ રહી છે તેના માટે ભારત ઝડપથી એક અનુકૂળ અધિકારક્ષેત્ર બની શકે છે."

આમ ચીનમાંથી ઘણી બધી કંપનીઓ ભારત આવવા આતુર છે આને આ બધી કંપનીઓ મુખ્યત્વે નિકાસ વ્યાપાર સાથે સંકળાયેલી હશે, જેનો ફાયદો રોજગારીથી લઈ વિદેશી હૂંડિયામણ કમાવી આપવામાં દેશને થશે.

જોકે ભારત સરકારના આ અધિકારીનો આશાવાદ તાજેતરમાં મળતા સમાચારો ખોટો પાડે છે. મે મહિને અપેક્ષા મુજબ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વેગ ન પકડે તો નિકાસના 20 ટકા ઑર્ડર અન્ય દેશોમાં શિફ્ટ થઈ જવાનો ભય ઊભો થયો છે.

ગાર્મેન્ટ, હીરા-રતન, જ્વેલરી, લેધરની વસ્તુઓ, કાર્પેટ, એન્જિનિયરિંગ માલસામાન, વિગેરે વસ્તુઓના નિકાસના ઑર્ડરને અસર થશે.

ફૅશનની સિઝનમાં ફટકો

વેપારસંઘર્ષની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

તૈયાર કપડાં એટલે કે ગાર્મેન્ટ્સના નિકાસકારોના જણાવ્યા મુજબ, વિદેશી બજારોમાં સિઝન મુજબ ફૅશન ઝડપથી બદલાતી હોવાથી ડિલિવરીમાં વધારે વિલંબ થાય, તો જે-તે દેશમાં આયાત કરનાર વ્યાપારી પોતે ઑર્ડર મૂકેલો હોય તે માલ લેવાનો ઇન્કાર કરી દે.

ફેડરેશન ઑફ ઇન્ડિયન ઍક્સ્પૉર્ટેર્સ ઑર્ગેનાઇઝેશન (FIEO)ના પ્રમુખ શરદ કુમાર શરાફનું એવું માનવું છે કે જો મે મહિના માં નિકાસ ફરી શરૂ થાય તો 20થી 25 ટકા નિકાસ બીજા દેશોમાં ચાલી જાય તેવું બની શકે છે.

આમ લૉકડાઉન લાંબુ ચાલે તો દેશના રહ્યાંસહ્યાં નિકાસવ્યાપાર પર મોટો ફટકો પડશે.

ભારત અત્યાર સુધી એવા આશાવાદ સાથે ચાલી રહ્યું હતું કે ચીન છોડી જનાર કંપનીઓ ભારતમાં અને તેમાંય ગુજરાતમાં આવશે.

ચીનમાં મજૂરી મોંઘી થતાં અને જિનપિંગની સત્તા આવ્યા પછી સરકારી હસ્તક્ષેપ વધવાને કારણે કેટલીક મોટી કંપનીઓ ચીન છોડીને જઈ રહી હોવાના અહેવાલ છે.

ભારત પાછળ

બંદર પર ક્રૂડ ઑઈલ ભરી રહેલા જહાજની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્રૂડની આયાત ઘટતા ભારતનું આયાતબિલ ઘટ્યું.

ભારત સરકારને આશા હતી કે ચીન છોડી જનારા કંપનીઓ ભારતમાં આવશે પણ આવું થયું નથી.

નોમુરા ગ્રૂપના જણાવ્યા અનુસાર, તાજેતરમાં 56 કંપનીઓએ પોતાનું ઉત્પાદન ચીનમાંથી બીજા દેશોમાં ખસેડ્યું છે. જેમાં 26 કંપનીઓ વિયેતનામ, 11 કંપનીઓ તાઇવાન અને ચાર કંપનીઓ થાઇલૅન્ડમાં પોતાની ફેકટરીઓ શરૂ કરી હોવાનું નોંધ્યું છે.

ભારતમાં વિપુલ યુવા માનવબળની પ્રાપ્તિ અને પ્રમાણમાં સસ્તી મજૂરી હોવાં છતાં માત્ર 56માંથી ત્રણ જ કંપનીઓ ભારત આવી છે.

1990ના સમયમાં 10 કરોડની વસ્તી ધરાવતા દેશ વિયેતનામે પોતાના અર્થતંત્રમાં ઉદારીકરણ કર્યું ત્યારથી તે છથી સાત ટકાનો સાતત્યપૂર્ણ વિકાસ કરી રહ્યો છે.

જમીન શ્રમ, મૂડી અને કાયદાકીય સુવિધાઓમાં મોટા બદલાવ લાવીને એ બહારથી આવતા રોકાણ માટે ખૂબ સાનુકૂળ વાતાવરણ પેદા કર્યું છે.

ભારતમાં કોરોના વાઇરસના કેસ

17656

કુલ કેસ

2842

સાજા થયા

559

મૃત્યુ

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

ભારત આ બધા ક્ષેત્રે વિયેતનામ, તાઇવાન કે થાઇલૅન્ડની સરખામણીમાં ઊભો રહી શકે તેમ નથી.

બાંગ્લાદેશ જેવા નાના દેશે પણ મોટાપાયે ચીનમાંથી સ્થાનાંતરિત થતાં ટૅક્સ્ટાઇલ એકમોને આકર્ષ્યા છે, ત્યારે કોવિડ-19 તેમજ જીઓ-પોલિટિકલ તણાવની પરિસ્થિતિ અને ચીનના મજૂરીદરો વગેરે કારણોથી વિદેશી મૂડીરોકાણ ત્યાંથી સ્થળાંતરિત થઈ ભારતમાં આવે એવો તર્ક વધુ પડતો આશાવાદી છે.

વિશ્વ વ્યાપાર સંસ્થાન (WTO)એ નિર્દેશિત અંદાજો પ્રમાણે, 2021ની સાલમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર ક્ષેત્રે સુધારો થવાની સંભાવના છે.

આથી ભારતીય નિકાસકારોએ આ કપરા સમયમાં ટકી રહી આગળની લડાઈ લડવી પડશે.

line
કોરોના વાઇરસ
લાઇન
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો