નવરાત્રી 2021 : મુસ્લિમ શાસકોના કાળમાં કેવી ઉજવાતી નવરાત્રી?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, આર. વી. સ્મિથ
- પદ, ઇતિહાસકાર, બીબીસી હિંદી માટે
નવરાત્રીનો તહેવાર હિંદુઓ દ્વારા ધામધૂમથી ઊજવવામાં આવે છે.
1938માં જે સમયે તૈમૂરે દિલ્હી પર હુમલો કર્યો હતો, તે સમયે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો હતો.
એ હુમલાના કારણે નવરાત્રી પર કેટલી અસર થઈ તેનો ખ્યાલ તો કોઈને નથી, પરંતુ કંઈક તો તેની અસર જોવા મળી હશે.
તે સમયે દિલ્હી સ્થિત કાલકાજી મંદિર અને ઝંડેવાલાન મંદિરમાં ભવ્ય નવરાત્રીની ઊજવણી કરવામાં આવતી હતી.
કહેવાય છે કે ઝંડેવાલાન મંદિર 12મી સદી દરમિયાન પૃથ્વીરાજ ચૌહાણના શાસનકાળમાં બનાવાયું હતું. રાજાની પુત્રીએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
તૈમૂર આ ઘટનાના 200 વર્ષ બાદ દિલ્હી આવ્યા હતા.
મુસ્લિમ શાસકોએ ઊજવ્યા હિંદુ તહેવારો

ઇમેજ સ્રોત, REUTERS
તૈમૂરના આશરે 341 વર્ષ બાદ 9 માર્ચ 1739માં નાદિર શાહએ ચડાઈ કરી હતી. તે સમયે પણ નવરાત્રી શરૂ થવાની હતી.
મોહમ્મદ શાહ રંગીલા અને મુગલ બાદશાહનું વલણ પણ ઘર્મનિરપેક્ષ હતું. આ બધાં જ મુસ્લિમ સમ્રાટોએ વસંત પંચમી, હોળી અને દિવાળી જેવા તહેવારોની ઊજવણી કરતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાદિર શાહના આક્રમણના 100 વર્ષ બાદ આવેલા બહાદુર શાહ ઝફર, દાલ અને રસા (પૂરીની સાથે) ખાવાના શોખીન હતા. નવરાત્રીના દિવસો દરમિયાન ચાંદની ચોકથી સેઠ મોકલતા હતા.
હિંદુ તહેવારોમાં મુગલ રાજાઓ કઈ રીતે સામેલ થતા, તેના ઘણાં ઐતિહાસિક પુરાવા મળે છે.
શાહ આલમે નવરાત્રી ઉપર દિલ્હીના કાલકાજી મંદિરના પુનઃનિર્માણમાં મદદ કરી હતી.
શાહ આલમના ઉત્તરાધિકારી અકબર શાહ પણ તેમના પગલે ચાલ્યા હતા. અકબરના પુત્રે પણ આવું જ કર્યું. ત્યારબાદ બ્રિટિશ રાજ શરૂ થયું.

ઇમેજ સ્રોત, MANISH SAANDILYA
દેશના વિભાજન બાદ નવરાત્રીની ઊજવણી વધુ ભવ્ય રીતે થવા લાગી.
અગાઉ નવરાત્રીનો તહેવાર પ્રાચીન મંદિરમાં મનાવવામાં આવતો હતો, પરંતુ હવે આ તહેવાર લોકો પોત-પોતાના વિસ્તારમાં ઊજવે છે.
લોકો આ દરમિયાન ભંડારાનું આયોજન કરે છે અને માત્ર ભક્તોને જ નહીં, પરંતુ આસપાસના લોકોને પણ જમાડવામાં આવે છે.
ભંડારાનું ભોજન અસામાન્ય હોય છે. ભંડારામાં વાનગી બનાવનારાઓની ભક્તિ અને ભાવના તેને વધારે ખાસ અને સ્વાદિષ્ટ બનાવે છે.
જોકે, ભંડારાની વાનગીઓ ખાધા બાદ અમુક કેસમાં લોકોના પેટ બગડવાની વાતો પણ સામે આવે છે.
નવરાત્રી દરમિયાન દિલ્હીના છત્તરપુરમાં યોજાતો મેળો ખાસ લોકપ્રિય છે. ત્યાંના ભંડારા લોકો લોકો લાંબી લાઇનોમાં ઊભા રહે છે.
છત્તરપુરના મંદિરમાં દેવીની મૂર્તિ સોનાની છે. આ જ મંદિર પાસે એક અન્ય મંદિર છે. કહેવાય છે કે એ ખૂબ જ જૂનું મંદિર છે.
અનેક લોકોના કહેવા પ્રમાણે, તે મંદિર મુસ્લિમ શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, EPA
દિલ્હીના કાલકાજી મંદિરને પણ ઐતિહાસિક જણાવવામાં આવે છે, જોકે તેના સૌથી જૂનાં ભાગનું નિર્માણ 1764 અને 1771માં થયું હતું.
નવરાત્રીની ઊજવણી સિવાય ત્યાં દર મંગળવારે મેળો પણ ભરાય છે.
ઝંડેવાલાન પાસે પણ અનેક મંદિર છે. અહીં પણ દેવીનું એક જૂનું મદિર છે.
દિલ્હીના કનૉટ પ્લેસની નજીક આવેલાં હનુમાન મંદિરમાં પણ મંગળવાર અને શનિવારે ભક્તોની ભીડ જોવા મળે છે.
નવરાત્રી દરમિયાન બ્રાહ્મણો અને કંદોઈની પણ ખૂબ જ કમાણી થાય છે, પરંતુ મોંઘવારી અને વધતી કિંમતોને કારણે આ સમયે તેમની કમાણી પર પણ અસર પડી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












