અમેરિકાના વિશેષ દૂત વિટકૉફને ઈરાનના વિદેશ મંત્રી અરાગચીએ આપ્યો આ જવાબ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ મધ્ય-પૂર્વ મામલાના અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફના હાલના નિવેદન મામલે પ્રતિક્રિયા આપી છે.
વિટકૉફે ફૉક્સ ન્યૂઝને શનિવારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ સવાલ કરી રહ્યા છે કે મધ્ય-પૂર્વમાં અમેરિકાની સૈન્ય તહેનાતી વધવા છતાં ઈરાને અત્યારસુધી 'આત્મસમર્પણ' કેમ નથી કર્યું.
વિટકૉફે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના આ નિવેદન બાદ ઈરાનના વલણને લઈને 'જિજ્ઞાસુ' હતા. જેમાં તેમણે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર સમજૂતી નહીં થવા પર સીમિત સૈન્ય કાર્યવાહીની વાત કરી હતી.
અમેરિકાના દૂતના આ નિવેદન પર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ ઍક્સ પર પ્રતિક્રિયા આપી છે.
તેમણે લખ્યું, "તમે જાણવા માગો છો કે અમે આત્મસમર્પણ કેમ નથી કરતા? કારણકે અમે ઈરાની છીએ."
અમેરિકા મધ્ય-પૂર્વમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિ વધારી રહ્યું છે. તેણે પોતાનાં બે યુદ્ધપોતના નેતૃત્વ ધરાવતાં વિશાળ નૌસૈન્ય સંસ્થાનો ત્યાં તહેનાત કર્યાં છે.
આ બધા વચ્ચે ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતીને લઈને વાતચીત પણ ચાલી રહી છે.
IND vs SA : ભારતની હાર બાદ સૂર્યકુમાર યાદવે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Matthew Lewis-ICC/ICC via Getty
ટી20 વિશ્વકપ 2026માં ભારતને પહેલી વખત હારનો સામનો કરવો પડ્યો છે. સુપર-8 મુકાબલામાં તેને દક્ષિણ આફ્રિકાથી હાર ખમવી પડી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ હાર બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે તેમની ટીમ મજબૂતીથી વાપસી કરશે.
આઈસીસી પ્રમાણે, મૅચ બાદ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ટુર્નામેન્ટમાં બાકીની મૅચો પર ભારતનું વલણ કેવું રહેશે, તો સૂર્યકુમારે જવાબ આપ્યો, "સારી બેટિંગ કરો, સારી બૉલિંગ કરો અને સારી ફિલ્ડિંગ કરો. બસ આટલું જ."
તેમણે કહ્યું, "અમે ચીજોને સરળ બનાવવાની કોશિશ કરીશું. આ પ્રકારનું ક્રિકેટ રમીશું તો, જે પ્રકારે અમે રમત રમવા માગીએ છીએ તે પ્રકારે મજબૂતીથી વાપસી કરી શકીશું."
188 રનનો પીછો કરતા ભારતની ટીમે પાવરપ્લેમાં જ પોતાની ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી. શરૂઆતમાં જ ટીમ લડખડાઈ ગઈ હતી તેના પર સૂર્યકુમાર યાદવે અફસોસ વ્યક્ત કર્યો.
તેમણે કહ્યું, "ક્યારેક તમારે વિચારવું પડે કે જો તમે 180-185 રનનો પીછો કરતા હોય તો તમે પાવરપ્લેમાં મૅચ જીતી નહીં શકો, પરંતુ પાવરપ્લેમાં મૅચ ગુમાવી જરૂર શકો."
નેતન્યાહૂ બોલ્યા- વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલ આવશે, પીએમ મોદીએ આપ્યો આ જવાબ

ઇમેજ સ્રોત, Ajay Aggarwal/Hindustan Times via Getty
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઘોષણા કરી છે કે બુધવારે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલના પ્રવાસે આવી રહ્યા છે.
નેતન્યાહૂએ રવિવારે કૅબિનેટની મિટિંગની શરૂઆતમાં આ ઘોષણા કરી દીધી હતી. સાથે જ તેમણે આ પ્રવાસને 'ઐતિહાસિક મહત્ત્વ' ધરાવતો પ્રવાસ હોવાનો પણ દાવો કર્યો.
આ પ્રવાસને લઈને ઇઝરાયલી વડા પ્રધાને ઍક્સ પર લખ્યું, "ઇઝરાયલ અને ભારત વચ્ચે સંબંધોનો આધાર વિશ્વના બે નેતાઓ વચ્ચે મજબૂત ગઠબંધન છે. અમે ઇનોવેશન સિક્યૉરિટી તથા રણનીતિક ભાગીદારી ધરાવતા દૃષ્ટિકોણમાં સહભાગી છીએ."
તેમણે કહ્યું, "અમે સાથે મળીને એવા દેશોનું ગઠબંધન બનાવી રહ્યા છે જે સ્થિરતા તથા પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે. એઆઈથી લઈને ક્ષેત્રીય સહયોગ સુધી, અમારી ભાગેદારી સતત નવી ઊંચાઈઓ સુધી પહોંચી રહી છે."
નેતન્યાહૂએ કહ્યું, "વડા પ્રધાન મોદી, જેરુસેલમમાં તમારી મુલાકાતનો ઇંતેજાર છે."
નેતન્યાહૂના આ સોશિયલ મીડિયા પોસ્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો પર નેતન્યાહૂના શબ્દોનું સમર્થન કર્યુ.
પીએમ મોદીએ લખ્યું, "ભારત ઇઝરાયલ સાથે મજબૂત તથા સ્થાયી દોસ્તીને ઘણું મહત્ત્વ આપે છે. આ દોસ્તી પરસ્પર ભરોસો, ઇનોવેશન તથા શાંતિ અને પ્રગતિની પરસ્પર આકાંક્ષા પર આધારિત છે."
પીએમ મોદીએ પુષ્ટિ કરી કે તેઓ જલદી ઇઝરાયલના પ્રવાસે જઈ રહ્યા છે.
જોકે, તેમણે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર આ પ્રવાસનો સમય કે તારીખની જાણકારી નહોતી આપી.
ભારતીય વિદેશ મંત્રાલયે પણ હજુ વડા પ્રધાન મોદીના ઇઝરાયલ પ્રવાસને લઈને કોઈ જાણકારી આપી નથી.
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હુમલા પર ભારતે જારી કર્યું નિવેદન, શું કહ્યું?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ભારતમાં અફઘાનિસ્તાનમાં થયેલા પાકિસ્તાની હવાઈ હુમલાની ઘોર નિંદા કરી છે. તેને લઈને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જારી કર્યું છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું, "ભારત અફઘાન ક્ષેત્રમાં પાકિસ્તાની હવાઈ હુમલાની ઘોર નિંદા કરે છે. તેને કારણે પવિત્ર રમઝાનના મહિનામાં મહિલાઓ અને બાળકો સહિત સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે."
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "આ પાકિસ્તાનની પોતાની આંતરિક વિફળતાઓનો દોષ બીજા પર નાખવાની કોશિશ છે. ભારત અફઘાનિસ્તાનની સંપ્રભુતા, ક્ષેત્રીય અખંડતા અને સ્વતંત્રતા પ્રતિ પોતાનું સમર્થન વ્યક્ત કરે છે."
પાકિસ્તાને શનિવારે દાવો કર્યો હતો કે તેણે અફઘાન સીમા ક્ષેત્રમાં 'સાત આતંકવાદી શિબિરો'ને નિશાન બનાવ્યાં છે.
અફઘાનિસ્તાનના તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તે 'યોગ્ય સમયે જવાબ આપશે'.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન












