લાલા લાજપતરાય અને પંજાબ નેશનલ બૅન્કની રસપ્રદ કહાણી

લાલા લાજપત રાય

ઇમેજ સ્રોત, PIBINDIA

પંજાબ નેશનલ બૅન્કની સાથે બે વાત જોડાયેલી છે. પહેલી બાબત એટલે લાલા લાજપતરાયનો સ્થાપનાનો વિચાર અને બીજી બાબત એટલે તેની સાથે જોડાયેલું કૌભાંડ.

11,360 કરોડ રૂપિયાના કૌભાંડ બાદ પંજાબ નેશનલ બૅન્ક ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ કૌભાંડે બ્રેકિંગ ન્યૂઝનું સ્થાન લઈ લીધું હતું.

પરંતુ આ કૌભાંડને અલગ રાખીએ તો, 123 વર્ષ જૂની આ બૅંકની સ્થાપના સાથે જોડાયેલી કહાણી પણ ઓછી રસપ્રદ નથી.

પંજાબ નેશનલ બેન્કનો છેતરપીંડી અંગે પત્ર

ઇમેજ સ્રોત, TWITTER/DDNEWSHINDI

આજે આશરે 7 હજાર બ્રાન્ચ, લગભગ 10 હજાર એટીએમ અને 70 હજાર કરતા વધારે કર્મચારીઓની સાથે પોતાની સેવાઓ આપી રહેલી પંજાબ નેશનલ બૅંક 19 મે 1894ના રોજ માત્ર 14 શેરધારકો અને 7 ડાયરેક્ટર સાથે શરૂ કરાઈ હતી.

પરંતુ જે એક વ્યક્તિએ આ બૅંકનો પાયો નાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તે હતા ભારતના પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની લાલ-બાલ-પાલની તિકડીના લાલા લાજપત રાય.

line

લાલા લાજપતરાયનો વિચાર

બૉમ્બે સ્ટોક એક્સચેન્જ

ઇમેજ સ્રોત, Getty Images

લાલા લાજપતરાય એ તથ્યથી ખૂબ ચિંતિત હતા કે બ્રિટીશ બૅન્કો અને કંપનીઓને ચલાવવા માટે ભારતીય પૈસાનો ઉપયોગ થાય છે.

પરંતુ તેનો ફાયદો અંગ્રેજ ઉઠાવી રહ્યા હતા જ્યારે ભારતીયોને માત્ર થોડું વ્યાજ જ મળતું.

તેમણે આર્ય સમાજના રાય બહાદુર મૂલ રાજ સમક્ષ એક લેખમાં પોતાની આ ભાવના વ્યક્ત કરી હતી.

મૂલ રાજ પોતે પણ લાંબા સમયથી આ જ વિચાર ધરાવતા હતા કે ભારતીયોની પોતાની રાષ્ટ્રીય બૅન્ક હોવી જોઈએ.

line

કેવી રીતે થઈ બૅન્કની સ્થાપના?

લંડનમાં પંજાબ નેશનલ બેન્ક

ઇમેજ સ્રોત, Getty Images

રાય મૂલ રાજના અનુરોધ ઉપર લાલા લાજપત રાયે કેટલાક નજીકના મિત્રોને પત્ર મોકલ્યો હતો તે સ્વદેશી ભારતીય જૉઇન્ટ સ્ટૉક બૅન્કની સ્થાપનાની દિશામાં પહેલું પગલું હતું.

આ પગલાંને સંતોષજનક પ્રતિક્રિયા પણ મળી હતી.

તરત જ પેપરવર્ક શરૂ થયું હતું અને ઇન્ડિયન કંપની એક્ટ 1882ના અધિનિયમ 6 અંતર્ગત 19 મે 1894ના રોજ પીએનબીની સ્થાપના થઈ ગઈ.

બૅન્કનું પ્રૉસ્પેક્ટસ ટ્રિબ્યૂનની સાથે ઉર્દૂના દૈનિક 'અખબાર-એ-આમ' અને 'પૈસા અખબાર'માં પ્રકાશિત કરાયું હતું.

23 મેના રોજ સંસ્થાપકોએ પીએનબીના પહેલા અધ્યક્ષ સરદાર દયાલ સિંહ મજીઠિયાના લાહોર સ્થિત આવાસ પર બેઠક કરી અને આ યોજના સાથે આગળ વધવાનો સંકલ્પ લીધો.

તેમણે લાહોરની અનારકલી બજારમાં પોસ્ટ ઑફિસ સામે અને પ્રસિદ્ધ રામા બ્રધર્સ સ્ટોર્સ નજીક એક ઘર ભાડે લેવાનો નિર્ણય કર્યો.

line

લાહોરથી થઈ શરૂઆત

પંજાબ નેશનલ બેન્ક

ઇમેજ સ્રોત, Getty Images

12 એપ્રિલ 1895ના રોજ પંજાબના તહેવાર વૈશાખીથી એક દિવસ પહેલાં બૅન્કને શરૂ કરવામાં આવી હતી.

પહેલી બેઠકમાં મૂળ તત્વોને સ્પષ્ટ કરી દેવાયાં હતાં. 14 શેરધારકો અને 7 ડાયરેક્ટરોએ બૅંકના શેર્સનો ખૂબ ઓછો ભાગ ખરીદ્યો હતો.

લાલા લાજપતરાય, દયાલ સિંહ મજીઠિયા, લાલા હરકિશન લાલ, લાલા લાલચંદ, કાલી પ્રોસન્ના, પ્રભુ દયાલ અને લાલા ઢોલના દાસે બૅંકના શરૂઆતી દિવસોમાં તેના મેનેજમેન્ટ સાથે સક્રિય ભૂમિકા ભજવી હતી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો